Netflixએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, ભારતમાં પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:47:04

શું તમે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સીરીઝ જોવાના શોખિન છો? જો હા તો તમારા માટે આ મોટા સમાચાર છે. જો તમે તમારા મિત્રોને નેટફ્લિક્સ જોવા માટે તમારો પાસવર્ડ આપો છો તો હવેથી તમે તેવું નહીં કરી શકો. પાસવર્ડ શેરિંગના કારણે ઘટી રહેલી આવકના કારણે કંપનીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે હવે એક યુઝર્સ અન્ય યુઝર્સને પાસવર્ડ શેર કરી શકશે નહીં.જે મુજબ નેટફ્લિક્સનું સબ્સક્રિપ્સન લીધા બાદ યુઝર્સ તેનો માત્ર એક જ સ્થળેથી ઉપયોગ કરી શકશે.


નફો ઘટતા લીધો નિર્ણય


નેટફ્લિક્સને સતત થઈ રહેલા નુકસાન વચ્ચે પાસવર્ડ શેરિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ નિર્ણયથી યુઝર્સ તો વધશે જ સાથે સાથે તેની આવકમાં વૃધ્ધી થશે. જો યુઝર્સ એક જ નેટફ્લિક્સ અકાઉન્ટને અનેક ડિવાઈસમાં ઉપયોગ કરતા હોય અથવા મિત્રો સાથે શેર કરતા હોય તો તેમના રજિસ્ટર્ડ ઈમેલ ID પર એક ઈમેલ આવશે. જો એક અકાઉન્ટ એક કરતા વધારે લોકો યુઝ કરતા હોય તો પ્રત્યેક સાત દિવસે એક કોડ મારફતે વેરિફિકેશન કરવામાં આવશે. આ સાથે જ પ્રાઈમરી અકાઉન્ટનું વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસમાં ઓછામાં ઓછા એક વખત જ કનેક્ટ કરી શકાશે. એકંદરે કરીએ તો નેટફ્લિક્સ ઈચ્છે છે કે તેના એક અકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરના લોકો કરે, નહીં કે મિત્ર અને સંબંધીઓ.ભારતમાં નેટફ્લિક્સ આ નિર્ણયથી હોબાળો મચવાની શક્યતા છે. આવું એટલા માટે કારણ કે નેટફ્લિક્સ એક એવું ઓટીટી ફ્લેટફોર્મ છે જે મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સે અગાઉ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.