Netflixએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, ભારતમાં પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:47:04

શું તમે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સીરીઝ જોવાના શોખિન છો? જો હા તો તમારા માટે આ મોટા સમાચાર છે. જો તમે તમારા મિત્રોને નેટફ્લિક્સ જોવા માટે તમારો પાસવર્ડ આપો છો તો હવેથી તમે તેવું નહીં કરી શકો. પાસવર્ડ શેરિંગના કારણે ઘટી રહેલી આવકના કારણે કંપનીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે હવે એક યુઝર્સ અન્ય યુઝર્સને પાસવર્ડ શેર કરી શકશે નહીં.જે મુજબ નેટફ્લિક્સનું સબ્સક્રિપ્સન લીધા બાદ યુઝર્સ તેનો માત્ર એક જ સ્થળેથી ઉપયોગ કરી શકશે.


નફો ઘટતા લીધો નિર્ણય


નેટફ્લિક્સને સતત થઈ રહેલા નુકસાન વચ્ચે પાસવર્ડ શેરિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ નિર્ણયથી યુઝર્સ તો વધશે જ સાથે સાથે તેની આવકમાં વૃધ્ધી થશે. જો યુઝર્સ એક જ નેટફ્લિક્સ અકાઉન્ટને અનેક ડિવાઈસમાં ઉપયોગ કરતા હોય અથવા મિત્રો સાથે શેર કરતા હોય તો તેમના રજિસ્ટર્ડ ઈમેલ ID પર એક ઈમેલ આવશે. જો એક અકાઉન્ટ એક કરતા વધારે લોકો યુઝ કરતા હોય તો પ્રત્યેક સાત દિવસે એક કોડ મારફતે વેરિફિકેશન કરવામાં આવશે. આ સાથે જ પ્રાઈમરી અકાઉન્ટનું વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસમાં ઓછામાં ઓછા એક વખત જ કનેક્ટ કરી શકાશે. એકંદરે કરીએ તો નેટફ્લિક્સ ઈચ્છે છે કે તેના એક અકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરના લોકો કરે, નહીં કે મિત્ર અને સંબંધીઓ.ભારતમાં નેટફ્લિક્સ આ નિર્ણયથી હોબાળો મચવાની શક્યતા છે. આવું એટલા માટે કારણ કે નેટફ્લિક્સ એક એવું ઓટીટી ફ્લેટફોર્મ છે જે મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સે અગાઉ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .