Netflixએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, ભારતમાં પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:47:04

શું તમે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સીરીઝ જોવાના શોખિન છો? જો હા તો તમારા માટે આ મોટા સમાચાર છે. જો તમે તમારા મિત્રોને નેટફ્લિક્સ જોવા માટે તમારો પાસવર્ડ આપો છો તો હવેથી તમે તેવું નહીં કરી શકો. પાસવર્ડ શેરિંગના કારણે ઘટી રહેલી આવકના કારણે કંપનીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે હવે એક યુઝર્સ અન્ય યુઝર્સને પાસવર્ડ શેર કરી શકશે નહીં.જે મુજબ નેટફ્લિક્સનું સબ્સક્રિપ્સન લીધા બાદ યુઝર્સ તેનો માત્ર એક જ સ્થળેથી ઉપયોગ કરી શકશે.


નફો ઘટતા લીધો નિર્ણય


નેટફ્લિક્સને સતત થઈ રહેલા નુકસાન વચ્ચે પાસવર્ડ શેરિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ નિર્ણયથી યુઝર્સ તો વધશે જ સાથે સાથે તેની આવકમાં વૃધ્ધી થશે. જો યુઝર્સ એક જ નેટફ્લિક્સ અકાઉન્ટને અનેક ડિવાઈસમાં ઉપયોગ કરતા હોય અથવા મિત્રો સાથે શેર કરતા હોય તો તેમના રજિસ્ટર્ડ ઈમેલ ID પર એક ઈમેલ આવશે. જો એક અકાઉન્ટ એક કરતા વધારે લોકો યુઝ કરતા હોય તો પ્રત્યેક સાત દિવસે એક કોડ મારફતે વેરિફિકેશન કરવામાં આવશે. આ સાથે જ પ્રાઈમરી અકાઉન્ટનું વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસમાં ઓછામાં ઓછા એક વખત જ કનેક્ટ કરી શકાશે. એકંદરે કરીએ તો નેટફ્લિક્સ ઈચ્છે છે કે તેના એક અકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરના લોકો કરે, નહીં કે મિત્ર અને સંબંધીઓ.ભારતમાં નેટફ્લિક્સ આ નિર્ણયથી હોબાળો મચવાની શક્યતા છે. આવું એટલા માટે કારણ કે નેટફ્લિક્સ એક એવું ઓટીટી ફ્લેટફોર્મ છે જે મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સે અગાઉ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.