Netflixએ યુઝર્સને આપ્યો મોટો ઝટકો, ભારતમાં પાસવર્ડ શેરિંગની સુવિધા બંધ કરી બંધ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:47:04

શું તમે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સીરીઝ જોવાના શોખિન છો? જો હા તો તમારા માટે આ મોટા સમાચાર છે. જો તમે તમારા મિત્રોને નેટફ્લિક્સ જોવા માટે તમારો પાસવર્ડ આપો છો તો હવેથી તમે તેવું નહીં કરી શકો. પાસવર્ડ શેરિંગના કારણે ઘટી રહેલી આવકના કારણે કંપનીએ મહત્વનો નિર્ણય લીધો છે. વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે ભારતમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ મુકી દીધો છે. એટલે કે હવે એક યુઝર્સ અન્ય યુઝર્સને પાસવર્ડ શેર કરી શકશે નહીં.જે મુજબ નેટફ્લિક્સનું સબ્સક્રિપ્સન લીધા બાદ યુઝર્સ તેનો માત્ર એક જ સ્થળેથી ઉપયોગ કરી શકશે.


નફો ઘટતા લીધો નિર્ણય


નેટફ્લિક્સને સતત થઈ રહેલા નુકસાન વચ્ચે પાસવર્ડ શેરિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનું માનવું છે કે તેના આ નિર્ણયથી યુઝર્સ તો વધશે જ સાથે સાથે તેની આવકમાં વૃધ્ધી થશે. જો યુઝર્સ એક જ નેટફ્લિક્સ અકાઉન્ટને અનેક ડિવાઈસમાં ઉપયોગ કરતા હોય અથવા મિત્રો સાથે શેર કરતા હોય તો તેમના રજિસ્ટર્ડ ઈમેલ ID પર એક ઈમેલ આવશે. જો એક અકાઉન્ટ એક કરતા વધારે લોકો યુઝ કરતા હોય તો પ્રત્યેક સાત દિવસે એક કોડ મારફતે વેરિફિકેશન કરવામાં આવશે. આ સાથે જ પ્રાઈમરી અકાઉન્ટનું વાઈ-ફાઈ નેટવર્કથી પણ 31 દિવસમાં ઓછામાં ઓછા એક વખત જ કનેક્ટ કરી શકાશે. એકંદરે કરીએ તો નેટફ્લિક્સ ઈચ્છે છે કે તેના એક અકાઉન્ટનો ઉપયોગ એક જ ઘરના લોકો કરે, નહીં કે મિત્ર અને સંબંધીઓ.ભારતમાં નેટફ્લિક્સ આ નિર્ણયથી હોબાળો મચવાની શક્યતા છે. આવું એટલા માટે કારણ કે નેટફ્લિક્સ એક એવું ઓટીટી ફ્લેટફોર્મ છે જે મોટી સંખ્યામાં ઉપયોગ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેટફ્લિક્સે અગાઉ અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં પાસવર્ડ શેરિંગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.