રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષેથી વિદ્યાર્થીઓને ગુજરાત એસ.ટીનો પાસ ઓનલાઇન મળશે, ઈ-પાસની સિસ્ટમ અંગે મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-08 20:32:00

રાજ્ય સરકારે શાળા-કોલેજમાં અભ્યાસ કરવા માટે માટે અપડાઉન કરતા ગામડાના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી છે. આમ તો ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


આંગળીના ટેરવે બસનો પાસ 


ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી 


રાજ્ય સરકારની આ નવી પહેલ અંગે માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ કન્યા કેળવણી ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે મુસાફરી કરી સ્કૂલો અને કોલેજો જવા માગતા હોય તે માટે ઈ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈ-પાસની સિસ્ટમે બે વિભાગને તાલમેલ સાધવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓન લાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો પણ ઓનલાઇન પાસ એમ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4 લાખ 73 હજાર 769 ગ્રામીણ વિદ્યાર્થીઓ અને 43 હજાર 392 શહેરી વિદ્યાર્થીઓ જ્યારે દૈનિક મુસાફરીમાં 80 હજાર 339 મહિલા મુસાફરો અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરો લાભ મેળવશે. આગામી દિવસોમાં ITI અને કોલેજના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.