રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષેથી વિદ્યાર્થીઓને ગુજરાત એસ.ટીનો પાસ ઓનલાઇન મળશે, ઈ-પાસની સિસ્ટમ અંગે મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-06-08 20:32:00

રાજ્ય સરકારે શાળા-કોલેજમાં અભ્યાસ કરવા માટે માટે અપડાઉન કરતા ગામડાના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષ ચાલુ થતાની સાથે જ પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકે તેવી વ્યવસ્થા કરી છે. આમ તો ગુજરાત વાહન વ્યવહાર નિગમની બસોમાં મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે ફિઝિકલ ફોર્મ ભરવાનું રહેતું હોય છે અને એ ફિઝિકલ ફોર્મ બસ સ્ટેશનથી મેળવી અને સ્કૂલની અંદર કરાવવાના રહેતા હોય છે અને ત્યારબાદ ફરી વિદ્યાર્થીએ બસ સ્ટેશન જઈ તે ફોર્મ સબમીટ કરતાની સાથે તેમને નિયત પૈસા ભરી તે પાસ કાઢી આપવામાં આવતો હોય છે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આ નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પાંચ સિસ્ટમ થકી વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


આંગળીના ટેરવે બસનો પાસ 


ગુજરાત રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નવી સિસ્ટમમાં વિદ્યાર્થીઓને મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી રજિસ્ટ્રેશન કરાવી આંગળીના ટેરવે પોતાનો બસનો પાસ કાઢી શકશે. આ નવી સિસ્ટમ પ્રમાણે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી પત્રક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન વેરિફિકેશન કરવામાં આવશે. હવે વેરિફિકેશન ગુજરાત વાહન વ્યવહાર નિગમના સર્વરની અંદર જશે અને શૈક્ષણિક સંસ્થાઓના વેરિફિકેશન બાદ વિદ્યાર્થીઓ પાસ મેળવી શકશે.


મંત્રી હર્ષ સંઘવીએ આપી જાણકારી 


રાજ્ય સરકારની આ નવી પહેલ અંગે માહિતી આપતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે 12 જૂનના રોજ કન્યા કેળવણી ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ જે મુસાફરી કરી સ્કૂલો અને કોલેજો જવા માગતા હોય તે માટે ઈ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈ-પાસની સિસ્ટમે બે વિભાગને તાલમેલ સાધવા ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓન લાઈન એપ્લિકેશનના માધ્યમથી ઈ-પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમ પ્રમાણે દૈનિક મુસાફરી કરતા મુસાફરો પણ ઓનલાઇન પાસ એમ મેળવી શકશે. આ સેવાનો લાભ રાજ્યના 4 લાખ 73 હજાર 769 ગ્રામીણ વિદ્યાર્થીઓ અને 43 હજાર 392 શહેરી વિદ્યાર્થીઓ જ્યારે દૈનિક મુસાફરીમાં 80 હજાર 339 મહિલા મુસાફરો અને 2 લાખ 32 હજાર 495 પુરુષ મુસાફરો લાભ મેળવશે. આગામી દિવસોમાં ITI અને કોલેજના વિદ્યાર્થીઓને જોડવામાં આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.