રાજદ્રોહનો કાયદો થશે ખતમ, અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું CrPC સુધારા બિલ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-08-11 17:06:46

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સુધારા માટે લોકસભામાં ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા છે. આ ત્રણેય કાનૂનમાં બ્રિટિશ કાળથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનું લક્ષ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. સજા આપવાનું નહીં. તેમણે કહ્યું કે જે કાયદાઓને નાબુદ કરવામાં આવશે, તેનું લક્ષ્ય બ્રિટિસ શાસનનું રક્ષણ કરવાનું અને તેને મજબુત બનાવવાનું હતું. તે કાયદામાં સજા કરવાનો વિચાર હતો, ન્યાય આપવાનો નહીં. હવે આ ત્રણ નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ને આગળની તપાસ માટે સંસદીય પેનલ પાસે મોકલામાં આવશે. 


નવા બિલમાં શું જોગવાઈ છે?


-બિલ મુજબ નવા કાયદાના માધ્યમથી કુલ 313 પરિવર્તનો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા આપરાધિક ન્યાય પ્રણાલીમાં પૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, જ્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરશે. 


-રાજદ્રોહની સજા બદલી દેવામાં આવી છે, નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવવામાં આવ્યું છે. કેટલાક ફેરફારોની સાથે કલમ 150 હેઠળ કેટલીક જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહમાં આજીવન કારાવાસ કે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. 


-સરકારી કર્મચારી સામે જો  કોઈ કેસ નોંધાય છે તો 120 દિવસમાં જ કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.


-સંગઠિત ગુનામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે.  મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલી શકાય છે. પરંતું સંપુર્ણ રીતે મુક્ત કરવા આસાન નહીં બને.


-રાજદ્રોગને સંપુર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે, દોષિચોતેની સંપત્તી જપ્ત કરવાનો આદેશ કોર્ટ આપશે, પોલીશ અધિકારી નહીં. તમામને 3 વર્ષમાં ન્યાય મળશે.


IPCની નવી  અને જુની કલમોમાં સમાન જોગવાઈ


 145: ભારત સરકાર સામે યુધ્ધ છેડવું/ યુધ્ધ છેડવાનો પ્રયાસ કરવો કે યુધ્ધ છેડવા માટે ઉશ્કેરવા. આ વર્તમાન કલમ 121 ની સમાન જ છે.


 146: યુધ્ધ છેડવાનું ષડયંત્ર, આ વર્તમાન કલમ 121 એની સમાન જ છે. 


 147: ભારત સરકાર સામે યુધ્ધ છેડવાના ઈરાદાથી હથિયાર વગેરે એકત્રિત કરવા, આ વર્તમાન કલમ 122ના સમાન જ છે. 


 રાજદ્રોહનો કાયદો ખતમ થશે, તેનું સ્થાન હવે કલમ 150 લેશે અને તેના હેઠળ આરોપ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને ખતરામાં મુકવાનું કૃત્ય 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.