રાજદ્રોહનો કાયદો થશે ખતમ, અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું CrPC સુધારા બિલ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-08-11 17:06:46

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સુધારા માટે લોકસભામાં ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા છે. આ ત્રણેય કાનૂનમાં બ્રિટિશ કાળથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનું લક્ષ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. સજા આપવાનું નહીં. તેમણે કહ્યું કે જે કાયદાઓને નાબુદ કરવામાં આવશે, તેનું લક્ષ્ય બ્રિટિસ શાસનનું રક્ષણ કરવાનું અને તેને મજબુત બનાવવાનું હતું. તે કાયદામાં સજા કરવાનો વિચાર હતો, ન્યાય આપવાનો નહીં. હવે આ ત્રણ નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ને આગળની તપાસ માટે સંસદીય પેનલ પાસે મોકલામાં આવશે. 


નવા બિલમાં શું જોગવાઈ છે?


-બિલ મુજબ નવા કાયદાના માધ્યમથી કુલ 313 પરિવર્તનો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા આપરાધિક ન્યાય પ્રણાલીમાં પૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, જ્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરશે. 


-રાજદ્રોહની સજા બદલી દેવામાં આવી છે, નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવવામાં આવ્યું છે. કેટલાક ફેરફારોની સાથે કલમ 150 હેઠળ કેટલીક જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહમાં આજીવન કારાવાસ કે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. 


-સરકારી કર્મચારી સામે જો  કોઈ કેસ નોંધાય છે તો 120 દિવસમાં જ કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.


-સંગઠિત ગુનામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે.  મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલી શકાય છે. પરંતું સંપુર્ણ રીતે મુક્ત કરવા આસાન નહીં બને.


-રાજદ્રોગને સંપુર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે, દોષિચોતેની સંપત્તી જપ્ત કરવાનો આદેશ કોર્ટ આપશે, પોલીશ અધિકારી નહીં. તમામને 3 વર્ષમાં ન્યાય મળશે.


IPCની નવી  અને જુની કલમોમાં સમાન જોગવાઈ


 145: ભારત સરકાર સામે યુધ્ધ છેડવું/ યુધ્ધ છેડવાનો પ્રયાસ કરવો કે યુધ્ધ છેડવા માટે ઉશ્કેરવા. આ વર્તમાન કલમ 121 ની સમાન જ છે.


 146: યુધ્ધ છેડવાનું ષડયંત્ર, આ વર્તમાન કલમ 121 એની સમાન જ છે. 


 147: ભારત સરકાર સામે યુધ્ધ છેડવાના ઈરાદાથી હથિયાર વગેરે એકત્રિત કરવા, આ વર્તમાન કલમ 122ના સમાન જ છે. 


 રાજદ્રોહનો કાયદો ખતમ થશે, તેનું સ્થાન હવે કલમ 150 લેશે અને તેના હેઠળ આરોપ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને ખતરામાં મુકવાનું કૃત્ય 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.