રાજદ્રોહનો કાયદો થશે ખતમ, અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું CrPC સુધારા બિલ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-08-11 17:06:46

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સુધારા માટે લોકસભામાં ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા છે. આ ત્રણેય કાનૂનમાં બ્રિટિશ કાળથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનું લક્ષ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. સજા આપવાનું નહીં. તેમણે કહ્યું કે જે કાયદાઓને નાબુદ કરવામાં આવશે, તેનું લક્ષ્ય બ્રિટિસ શાસનનું રક્ષણ કરવાનું અને તેને મજબુત બનાવવાનું હતું. તે કાયદામાં સજા કરવાનો વિચાર હતો, ન્યાય આપવાનો નહીં. હવે આ ત્રણ નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ને આગળની તપાસ માટે સંસદીય પેનલ પાસે મોકલામાં આવશે. 


નવા બિલમાં શું જોગવાઈ છે?


-બિલ મુજબ નવા કાયદાના માધ્યમથી કુલ 313 પરિવર્તનો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા આપરાધિક ન્યાય પ્રણાલીમાં પૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, જ્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરશે. 


-રાજદ્રોહની સજા બદલી દેવામાં આવી છે, નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવવામાં આવ્યું છે. કેટલાક ફેરફારોની સાથે કલમ 150 હેઠળ કેટલીક જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહમાં આજીવન કારાવાસ કે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. 


-સરકારી કર્મચારી સામે જો  કોઈ કેસ નોંધાય છે તો 120 દિવસમાં જ કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.


-સંગઠિત ગુનામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે.  મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલી શકાય છે. પરંતું સંપુર્ણ રીતે મુક્ત કરવા આસાન નહીં બને.


-રાજદ્રોગને સંપુર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે, દોષિચોતેની સંપત્તી જપ્ત કરવાનો આદેશ કોર્ટ આપશે, પોલીશ અધિકારી નહીં. તમામને 3 વર્ષમાં ન્યાય મળશે.


IPCની નવી  અને જુની કલમોમાં સમાન જોગવાઈ


 145: ભારત સરકાર સામે યુધ્ધ છેડવું/ યુધ્ધ છેડવાનો પ્રયાસ કરવો કે યુધ્ધ છેડવા માટે ઉશ્કેરવા. આ વર્તમાન કલમ 121 ની સમાન જ છે.


 146: યુધ્ધ છેડવાનું ષડયંત્ર, આ વર્તમાન કલમ 121 એની સમાન જ છે. 


 147: ભારત સરકાર સામે યુધ્ધ છેડવાના ઈરાદાથી હથિયાર વગેરે એકત્રિત કરવા, આ વર્તમાન કલમ 122ના સમાન જ છે. 


 રાજદ્રોહનો કાયદો ખતમ થશે, તેનું સ્થાન હવે કલમ 150 લેશે અને તેના હેઠળ આરોપ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને ખતરામાં મુકવાનું કૃત્ય 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.