રાજદ્રોહનો કાયદો થશે ખતમ, અમિત શાહે લોકસભામાં રજૂ કર્યું CrPC સુધારા બિલ, જાણો કાયદામાં શું છે જોગવાઈ


  • Published By :
  • Published Date : 2023-08-11 17:06:46

કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમમાં સુધારા માટે લોકસભામાં ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા છે. આ ત્રણેય કાનૂનમાં બ્રિટિશ કાળથી અમલમાં છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનું લક્ષ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનું છે. સજા આપવાનું નહીં. તેમણે કહ્યું કે જે કાયદાઓને નાબુદ કરવામાં આવશે, તેનું લક્ષ્ય બ્રિટિસ શાસનનું રક્ષણ કરવાનું અને તેને મજબુત બનાવવાનું હતું. તે કાયદામાં સજા કરવાનો વિચાર હતો, ન્યાય આપવાનો નહીં. હવે આ ત્રણ નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023ને આગળની તપાસ માટે સંસદીય પેનલ પાસે મોકલામાં આવશે. 


નવા બિલમાં શું જોગવાઈ છે?


-બિલ મુજબ નવા કાયદાના માધ્યમથી કુલ 313 પરિવર્તનો કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા આપરાધિક ન્યાય પ્રણાલીમાં પૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે કલમોમાં 7 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, જ્યાં ફોરેન્સિક ટીમ પુરાવા એકઠા કરશે. 


-રાજદ્રોહની સજા બદલી દેવામાં આવી છે, નવા બિલમાં રાજદ્રોહનું નામ હટાવવામાં આવ્યું છે. કેટલાક ફેરફારોની સાથે કલમ 150 હેઠળ કેટલીક જોગવાઈઓ યથાવત રાખવામાં આવી છે. પ્રસ્તાવિત કલમ 150માં રાજદ્રોહમાં આજીવન કારાવાસ કે ત્રણ વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે. 


-સરકારી કર્મચારી સામે જો  કોઈ કેસ નોંધાય છે તો 120 દિવસમાં જ કેસ ચલાવવાની મંજુરી આપવામાં આવશે.


-સંગઠિત ગુનામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે.  મૃત્યુદંડને આજીવન કારાવાસમાં બદલી શકાય છે. પરંતું સંપુર્ણ રીતે મુક્ત કરવા આસાન નહીં બને.


-રાજદ્રોગને સંપુર્ણપણે ખતમ કરવામાં આવ્યો છે, દોષિચોતેની સંપત્તી જપ્ત કરવાનો આદેશ કોર્ટ આપશે, પોલીશ અધિકારી નહીં. તમામને 3 વર્ષમાં ન્યાય મળશે.


IPCની નવી  અને જુની કલમોમાં સમાન જોગવાઈ


 145: ભારત સરકાર સામે યુધ્ધ છેડવું/ યુધ્ધ છેડવાનો પ્રયાસ કરવો કે યુધ્ધ છેડવા માટે ઉશ્કેરવા. આ વર્તમાન કલમ 121 ની સમાન જ છે.


 146: યુધ્ધ છેડવાનું ષડયંત્ર, આ વર્તમાન કલમ 121 એની સમાન જ છે. 


 147: ભારત સરકાર સામે યુધ્ધ છેડવાના ઈરાદાથી હથિયાર વગેરે એકત્રિત કરવા, આ વર્તમાન કલમ 122ના સમાન જ છે. 


 રાજદ્રોહનો કાયદો ખતમ થશે, તેનું સ્થાન હવે કલમ 150 લેશે અને તેના હેઠળ આરોપ નક્કી કરવામાં આવશે. કલમ 150 કહે છે કે ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતાને ખતરામાં મુકવાનું કૃત્ય 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે