પેપર લીક અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર પ્રયોગ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:28:32

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવતર પ્રયોગ કરવાનું વિચારી રહી છે. આવતીકાલથી રાજકોટ સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પેપર લીકને અટકાવવા પરીક્ષામાં પરીક્ષાર્થીઓને વોટરમાર્ક વાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 

Saurashtra University Rajkot: Admission, Fees, Courses, Placements, Cutoff,  Ranking

પેપર પર વોટરમાર્ક લગાવવામાં આવશે  

પેપર લીકને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલ થી સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર અંદાજીત 42099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતી કાલથી શરૂ થતી પરિક્ષાના પેપરમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. પેપર લીક થવાને પગલે પરીક્ષામાં QPDS લાગુ કરવામાં આવશે. 

કોમર્સના પેપર રૂબરૂ મોકલાશે

9મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીમાં QPDS લાગુ કરવામાં આવશે. પરંતુ આ સિસ્ટમ કોમર્સ ફેકલ્ટી માટે અમલી નથી કરવાના. કોમર્સના પેજ વધુ માત્રમાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલાશે. તેની સિવાયના તમામ પેપર ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે. 

વોટરમાર્ક લગાવવાથી શું થશે ફાયદો?

જો આ વખતે પણ પેપર લીક થાય તો આ સિસ્ટમના લાગુ કરવાથી કયા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે તેની જાણકારી મેળવવી ઘણી સહેલી થઈ જશે. જો વોટરમાર્ક વાળા પ્રશ્ન પત્ર આપવામાં આવે તો પેપર કયાં કેન્દ્રથી અથવા કઈ કોલેજથી લીક થયું છે તેની જાણકારી મળી રહેશે.   



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.