પેપર લીક અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર પ્રયોગ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:28:32

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવતર પ્રયોગ કરવાનું વિચારી રહી છે. આવતીકાલથી રાજકોટ સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પેપર લીકને અટકાવવા પરીક્ષામાં પરીક્ષાર્થીઓને વોટરમાર્ક વાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 

Saurashtra University Rajkot: Admission, Fees, Courses, Placements, Cutoff,  Ranking

પેપર પર વોટરમાર્ક લગાવવામાં આવશે  

પેપર લીકને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલ થી સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર અંદાજીત 42099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતી કાલથી શરૂ થતી પરિક્ષાના પેપરમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. પેપર લીક થવાને પગલે પરીક્ષામાં QPDS લાગુ કરવામાં આવશે. 

કોમર્સના પેપર રૂબરૂ મોકલાશે

9મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીમાં QPDS લાગુ કરવામાં આવશે. પરંતુ આ સિસ્ટમ કોમર્સ ફેકલ્ટી માટે અમલી નથી કરવાના. કોમર્સના પેજ વધુ માત્રમાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલાશે. તેની સિવાયના તમામ પેપર ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે. 

વોટરમાર્ક લગાવવાથી શું થશે ફાયદો?

જો આ વખતે પણ પેપર લીક થાય તો આ સિસ્ટમના લાગુ કરવાથી કયા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે તેની જાણકારી મેળવવી ઘણી સહેલી થઈ જશે. જો વોટરમાર્ક વાળા પ્રશ્ન પત્ર આપવામાં આવે તો પેપર કયાં કેન્દ્રથી અથવા કઈ કોલેજથી લીક થયું છે તેની જાણકારી મળી રહેશે.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.