પેપર લીક અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નવતર પ્રયોગ


  • Published By :
  • Published Date : 2022-11-08 15:28:32

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હતું. જેને કારણે વિદ્યાર્થીઓને નુકશાન થયું હતું. જે બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નવતર પ્રયોગ કરવાનું વિચારી રહી છે. આવતીકાલથી રાજકોટ સહિત જુદા જુદા કેન્દ્રો પર પરીક્ષા યોજાવાની છે. પેપર લીકને અટકાવવા પરીક્ષામાં પરીક્ષાર્થીઓને વોટરમાર્ક વાળા પ્રશ્નપત્ર મોકલવામાં આવશે. 

Saurashtra University Rajkot: Admission, Fees, Courses, Placements, Cutoff,  Ranking

પેપર પર વોટરમાર્ક લગાવવામાં આવશે  

પેપર લીકને અટકાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નવતર પ્રયાસ કરવા જઈ રહ્યા છે. આવતી કાલ થી સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર અંદાજીત 42099 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે આ વખત પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે. જે અંતર્ગત આવતી કાલથી શરૂ થતી પરિક્ષાના પેપરમાં વોટરમાર્ક લગાવવામાં આવશે. પેપર લીક થવાને પગલે પરીક્ષામાં QPDS લાગુ કરવામાં આવશે. 

કોમર્સના પેપર રૂબરૂ મોકલાશે

9મી તારીખથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીમાં QPDS લાગુ કરવામાં આવશે. પરંતુ આ સિસ્ટમ કોમર્સ ફેકલ્ટી માટે અમલી નથી કરવાના. કોમર્સના પેજ વધુ માત્રમાં હોવાથી જે તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલાશે. તેની સિવાયના તમામ પેપર ઈ-મેલના માધ્યમથી મોકલવામાં આવશે. 

વોટરમાર્ક લગાવવાથી શું થશે ફાયદો?

જો આ વખતે પણ પેપર લીક થાય તો આ સિસ્ટમના લાગુ કરવાથી કયા કેન્દ્ર પરથી પેપર લીક થયું છે તેની જાણકારી મેળવવી ઘણી સહેલી થઈ જશે. જો વોટરમાર્ક વાળા પ્રશ્ન પત્ર આપવામાં આવે તો પેપર કયાં કેન્દ્રથી અથવા કઈ કોલેજથી લીક થયું છે તેની જાણકારી મળી રહેશે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.