ભાવેશ રબારી પર એક નવો ગુનો થયો દાખલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-22 17:52:43

ઉત્તર ગુજરાતમાં આજકાલ એક અસામાજિક તત્વનું નામ ખુબ ચર્ચામાં છે તે છે , ભાવેશ રબારી. આ એજ ભાવેશ રબારી છે કે જેના રામાધણી નામના ફાર્મ હાઉસ પર પોલીસ પર ૧૮ જેટલા અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ , આ ૧૮ જેટલા અસામાજિક તત્વોનો વરઘોડો ચાણસ્માના બજારમાં કાઢવામાં આવ્યો હતો. આ પછી , ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી નાખવામાં આવે છે. આજે ભાવેશ રબારી અને તેના સાગરીતોની સામે નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

Bhupendra Patel Action: पाटन में पुलिस पर हमला पड़ा भारी, भावेश रबारी के  फार्महाउस पर चला बुलडोजर - patan bulldozer action bhavesh rabari farmhouse  gujarat news | Webdunia Hindi

પાટણ જિલ્લાના કુખ્યાત અસામાજિક તત્વ ભાવેશ રબારીના ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી આ કડક કાર્યવાહીમાં ભાવેશ રબારીનું આલીશાન 'રામાધણી' ફાર્મહાઉસ અને તેમાં આવેલો બંગલો તોડી પાડવામાં આવ્યો છે. બીજી તરફ હવે ભાવેશ રબારી  સહિત તેના 6થી 7 મળતિયા વિરુધ્ધ પાટણમાં વધુ એક હુમલો કરવાના કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાટણના બી ડિવિઝન પોલીસ સ્ટેશને , ઝીલીયા બ્રધર્સ તરીકે ઓળખાતા ,  ભાવેશ રબારી, ભાર્ગવ દેસાઈ , અક્કી દેસાઈ અને દેવું દેસાઈ સહિત અન્ય 6 થી 7 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનો જહુભા ઠાકોર દ્વારા નોંધાવવામાં આવ્યો છે. જેમાં , જહુભા ઠાકોર પર 10 લાખ રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હતો.  4 ગાડીઓના કાફલાએ ફરિયાદીની અર્ટિગા ગાડીને ઘેરી લઈ હુમલો કર્યો હતો. જૂની અદાવતનો બદલો લેવા માટે ભાવેશ રબારીએ આ હુમલો કરાવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. પોલીસે રાયોટિંગ અને હુમલાની કલમો હેઠળ તપાસ તેજ કરી છે. તંત્રની આ આકરી કાર્યવાહીથી પંથકના વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હવે વાત કરીએ , આ ઝીલીયા ગામની ઘટના શું હતી તો? ઝીલિયા ગામે રામાપીરના મંદિરના ફાળાની ઉઘરાણી અને વ્યવસ્થાપનને લઈને ભાવેશ રબારી અને મુખ્ય આરોપી જીતુભા વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને થોડાક સમય અગાઉ મોડી રાત્રે જીતુભા અને તેના 15 થી 20 શખ્સોના ટોળાએ પૂર્વ આયોજિત કાવતરું રચી હિંસક હુમલો કર્યો હતો. હુમલાખોરો લાકડી, ધોકા અને અન્ય પ્રાણઘાતક હથિયારો સાથે ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા અને ગામમાં આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ ભાવેશ રબારીના ઘરને નિશાન બનાવી પથ્થરમારો અને તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે બેફામ બનેલું ટોળું હિંસા પર ઉતરી આવ્યું હતું. ગ્રામજનોમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોએ જીવ બચાવવા દોડધામ કરવી પડી હતી. ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચેલી પોલીસની 112 વાન પર પણ ટોળાએ હુમલો કરતા કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધું હતું. ત્યારબાદ પાટણ જિલ્લાના પોલીસ વડાએ આ બાબતને ગંભીરતાથી લઈ કડક પગલાં ભર્યા છે.પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઘટનામાં સામેલ તમામ ૧૮ અસામાજિક તત્વોને દબોચી લીધા હતા.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.