નવું સંસદ ભવન PM મોદીના હસ્તે દેશને સમર્પિત, વૈદિક વિધિ અને મંત્રોચ્ચાર સાથે સેંગોલની કરાઈ સ્થાપના, જાણો શું છે નવી પાર્લામેન્ટની વિશેષતા


  • Published By :
  • Published Date : 2023-05-28 13:39:14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિ અને ધાર્મિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે વિવિધ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે રાજદંડ સેંગોલ પણ સ્થાપિત કર્યો હતો. વિપક્ષના ભારે વિરોધ વચ્ચે પીએમ મોદીએ નવા સંસદ ભવનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ આ ઈમારતનું નિર્માણ કરનારા શ્રમિકોનું પણ સન્માન કર્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે સંસદનાં ઉદ્ઘાટનનું બીજુ ચરણ બપોરે 12 વાગે શરુ થશે. જેમાં PM મોદી નવી સંસદને સંબોધિત પણ કરશે.


લોકસભામાં સેંગોલની સ્થાપના


​​નવા સંસદ ભવનના ઉદ્ઘાટન નિમિત્તે આયોજીત પૂજા અને હવન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેંગોલની પૂજા પણ કરી હતી. આ દરમિયાન, તેમણે રાજદંડ સેંગોલને સાષ્ટાંગ પ્રણામ કર્યા. તે ઉપરાંત ત્યાં ઉપસ્થિત સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં સ્પીકરની ખુરશી પાસે સેંગોલ સ્થાપિત કર્યું હતું.  નવા સંસદ ભવનમાં સર્વ-ધર્મ પ્રાર્થના ચાલુ છે. આ પ્રસંગે પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર છે.

 

નવા સંસદની શું છે વિશેષતા?


નવા સંસદ ભવનની રચના ત્રિકોણાકાર છે, ચાર માળના આ સંસદ ભવન 64,500 વર્ગ મીટરમાં ફેલાયેલું છે. ભવનના ત્રણ મુખ્ય દ્વાર છે- જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર. તેમાં VIP, સાંસદો તથા મુલાકાતીઓ માટે અલગ-અલગ પ્રવેશ દ્વાર છે. નવા સંસદ ભવનના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવેલી સામગ્રી દેશના વિવિધ ભાગોમાંથી મંગાવવામાં આવી છે.નવી ઇમારત જૂની ઇમારત કરતાં 17 હજાર ચોરસ મીટર મોટી છે. તેના પર ભૂકંપની અસર નહીં થાય. તેની ડિઝાઇન HCP ડિઝાઇન, પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના આર્કિટેક્ટ બિમલ પટેલ છે. નવા બિલ્ડિંગના નિર્માણમાં અંદાજીત 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 


લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 બેઠકોની ક્ષમતા  


નવા સંસદ ભવનમાં લોકસભામાં 888 બેઠકો છે અને મુલાકાતીઓની ગેલેરીમાં 336થી વધુ લોકો માટે બેઠક છે. હાલમાં રાજ્યસભાની બેઠક ક્ષમતા 280 છે. નવી રાજ્યસભામાં 384 બેઠકો છે અને વિઝિટર ગેલેરીમાં 336થી વધુ લોકો બેસી શકશે. લોકસભામાં એટલી જગ્યા હશે કે બંને ગૃહોના સંયુક્ત સત્ર દરમિયાન લોકસભામાં જ 1272થી વધુ સાંસદો એકસાથે બેસી શકશે. સંસદના દરેક મહત્વપૂર્ણ કામ માટે અલગ-અલગ ઓફિસ છે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક ઓફિસ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કાફે અને ડાઇનિંગ એરિયા પણ હાઇટેક છે. સમિતિની બેઠકના અલગ-અલગ રૂમમાં હાઇટેક સાધનો લગાવવામાં આવ્યા છે. અહીં કોમન રૂમ, લેડીઝ લાઉન્જ અને vip લાઉન્જ પણ છે. 


એન્ટી ડ્રોન અને મિસાઈલ સિસ્ટમથી સુસજ્જ 


નવા સંસદ ભવનની સુરક્ષા માટે એન્ટી ડ્રોન અને મિસાઈલ વિરોધી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. જો કે સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સુરક્ષાના કારણોથી તે બાબત ગુપ્ત રાખવામાં આવી છે. આ અંગે એટલું જ કહીં શકાય કે નવું સંસદ ભવન ખૂબ જ સુરક્ષિત છે. કોઈ પણ હવાઈ હુમલાને ટાળવા માટે ડબલ પ્રોટેક્શન ગિયર હાજર રહેશે. જો ડ્રોન હોય તો તેને ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા અને શૂટર દ્વારા પણ નીચે લાવી શકાય છે. તમે એટલું જ સમજો કે આવી કોઈ વસ્તુ સંસદ ભવન નજીક ન આવી શકે. તેને અધવચ્ચે મારી નાખવામાં આવશે.


PM મોદીએ કર્યો હતો શિલાન્યાસ


સંસદ ભવનનું નિર્માણ 15 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયું હતું. આ બિલ્ડીંગ ગયા વર્ષે નવેમ્બરમાં પૂર્ણ થવાની હતી. PM નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે સંસદની નવી ઇમારતથી વધુ સુંદર બીજું કંઈ ન હોઈ શકે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.