અમદાવાદ પોલીસનો આવકારદાયક પ્રોજેક્ટ - હેલ્મેટ સંસ્કાર , વિદ્યાર્થીઓને કરાયું હેલ્મેટનું વિતરણ IPS Safin Hasan રહ્યા ઉપસ્થિત, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-03 15:15:55

પોલીસની કામગીરી પર અનેક વખત સવાલ ઉઠાવ્યો છે પરંતુ આજે તમને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી એવી ઝુંબેશ વિશે વાત કરવી છે જે જાણ્યા બાદ પોલીસ માટેનું માન વધી જશે... પોલીસને અનેક વખત લોકોની નફરતનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં પણ ટ્રાફિક પોલીસને તો ખાસ કારણ કે સામાન્ય માણસ જોડે તેમનો ડાયરેક્ટ સંપર્ક હોય છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને હેલ્મેટની મહત્તા સમજાય તે હેતુસર અમદાવાદ પોલીસે એક ઝુંબેશ શરૂ કર્યું છે. હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કરાશે. બાળકોને તો પોલીસ હેલ્મેટ આપી સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ ના પહેરનાર માતા પિતા પણ આને કારણે જાગૃત થાય અને હેલ્મેટ પહેરે તેવું લક્ષ્ય છે....!.

હેલ્મેટ પહેરવાથી માથાને મળે છે સુરક્ષા કવચ   

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ પણ આ અકસ્માતને કારણે ગયા છે. અકસ્માત વખતે જો હેલ્મેટ પહેરેલું હોય હોય તો માથાના ભાગ પર ઈજા થવાનો ખતરો ઓછો થઈ જાય છે. બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તે માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે પરંતુ અનેક લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતા. જેને કારણે તેમની સુરક્ષા પર ખતરો રહેતો હોય છે.


બાળકોને શાળાએ મૂકવા જતી વખતે માતા પિતા નથી પહેરતા હેલ્મેટ 

અનેક અપીલ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ પહેરે તે માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નથી થતો. હેલ્મેટ વગર જો કોઈ વ્યક્તિ દેખાય છે તો તેને દંડ પણ કરવામાં આવે છે ... પરંતુ અનેક લોકો હેલ્મેટ નથી પહેરતા... આપણે જ્યારે રસ્તા પર નિકળીએ છીએ ત્યારે આપણને અનેક લોકો હેલ્મેટ વગરના દેખાય છે. અનેક વાહનો પર નાના બાળકો પણ બેઠેલા જોવા મળતા હોય છે... 


7 હજાર બાળકોને આપવામાં આવશે સુરક્ષા કવચ!  

નાનપણથી બાળકોમાં કાયદાનું પાલન થાય, હેલ્મેટ પહેરવાની ગંભીરતાને સમજે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા મિશન હેલ્મેટ સંસ્કારની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્કાર અંતર્ગત ટુ વ્હીલર પર શાળાએ જઈ રહેલા 7 હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ આપવામાં આવશે. 7000થી વધુ બાળકો જે ટુ વ્હીલર પર વાલી સાથે શાળાએ જાય છે એમને સુરક્ષા કવચ આપવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે જન્મ પહેલાં મૃત્યુ સુધીના 16 સંસ્કાર સાથે સુરક્ષા માટે 17માં સંસ્કારનું અનુસંધાન. મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે... અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ આવકાર દાયક છે...  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે