અમદાવાદ પોલીસનો આવકારદાયક પ્રોજેક્ટ - હેલ્મેટ સંસ્કાર , વિદ્યાર્થીઓને કરાયું હેલ્મેટનું વિતરણ IPS Safin Hasan રહ્યા ઉપસ્થિત, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-03 15:15:55

પોલીસની કામગીરી પર અનેક વખત સવાલ ઉઠાવ્યો છે પરંતુ આજે તમને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી એવી ઝુંબેશ વિશે વાત કરવી છે જે જાણ્યા બાદ પોલીસ માટેનું માન વધી જશે... પોલીસને અનેક વખત લોકોની નફરતનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં પણ ટ્રાફિક પોલીસને તો ખાસ કારણ કે સામાન્ય માણસ જોડે તેમનો ડાયરેક્ટ સંપર્ક હોય છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને હેલ્મેટની મહત્તા સમજાય તે હેતુસર અમદાવાદ પોલીસે એક ઝુંબેશ શરૂ કર્યું છે. હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કરાશે. બાળકોને તો પોલીસ હેલ્મેટ આપી સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ ના પહેરનાર માતા પિતા પણ આને કારણે જાગૃત થાય અને હેલ્મેટ પહેરે તેવું લક્ષ્ય છે....!.

હેલ્મેટ પહેરવાથી માથાને મળે છે સુરક્ષા કવચ   

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ પણ આ અકસ્માતને કારણે ગયા છે. અકસ્માત વખતે જો હેલ્મેટ પહેરેલું હોય હોય તો માથાના ભાગ પર ઈજા થવાનો ખતરો ઓછો થઈ જાય છે. બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તે માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે પરંતુ અનેક લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતા. જેને કારણે તેમની સુરક્ષા પર ખતરો રહેતો હોય છે.


બાળકોને શાળાએ મૂકવા જતી વખતે માતા પિતા નથી પહેરતા હેલ્મેટ 

અનેક અપીલ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ પહેરે તે માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નથી થતો. હેલ્મેટ વગર જો કોઈ વ્યક્તિ દેખાય છે તો તેને દંડ પણ કરવામાં આવે છે ... પરંતુ અનેક લોકો હેલ્મેટ નથી પહેરતા... આપણે જ્યારે રસ્તા પર નિકળીએ છીએ ત્યારે આપણને અનેક લોકો હેલ્મેટ વગરના દેખાય છે. અનેક વાહનો પર નાના બાળકો પણ બેઠેલા જોવા મળતા હોય છે... 


7 હજાર બાળકોને આપવામાં આવશે સુરક્ષા કવચ!  

નાનપણથી બાળકોમાં કાયદાનું પાલન થાય, હેલ્મેટ પહેરવાની ગંભીરતાને સમજે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા મિશન હેલ્મેટ સંસ્કારની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્કાર અંતર્ગત ટુ વ્હીલર પર શાળાએ જઈ રહેલા 7 હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ આપવામાં આવશે. 7000થી વધુ બાળકો જે ટુ વ્હીલર પર વાલી સાથે શાળાએ જાય છે એમને સુરક્ષા કવચ આપવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે જન્મ પહેલાં મૃત્યુ સુધીના 16 સંસ્કાર સાથે સુરક્ષા માટે 17માં સંસ્કારનું અનુસંધાન. મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે... અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ આવકાર દાયક છે...  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"