અમદાવાદ પોલીસનો આવકારદાયક પ્રોજેક્ટ - હેલ્મેટ સંસ્કાર , વિદ્યાર્થીઓને કરાયું હેલ્મેટનું વિતરણ IPS Safin Hasan રહ્યા ઉપસ્થિત, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2024-04-03 15:15:55

પોલીસની કામગીરી પર અનેક વખત સવાલ ઉઠાવ્યો છે પરંતુ આજે તમને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી એવી ઝુંબેશ વિશે વાત કરવી છે જે જાણ્યા બાદ પોલીસ માટેનું માન વધી જશે... પોલીસને અનેક વખત લોકોની નફરતનો સામનો કરવો પડતો હોય છે અને તેમાં પણ ટ્રાફિક પોલીસને તો ખાસ કારણ કે સામાન્ય માણસ જોડે તેમનો ડાયરેક્ટ સંપર્ક હોય છે. ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને હેલ્મેટની મહત્તા સમજાય તે હેતુસર અમદાવાદ પોલીસે એક ઝુંબેશ શરૂ કર્યું છે. હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કરાશે. બાળકોને તો પોલીસ હેલ્મેટ આપી સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ ના પહેરનાર માતા પિતા પણ આને કારણે જાગૃત થાય અને હેલ્મેટ પહેરે તેવું લક્ષ્ય છે....!.

હેલ્મેટ પહેરવાથી માથાને મળે છે સુરક્ષા કવચ   

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક લોકોના જીવ પણ આ અકસ્માતને કારણે ગયા છે. અકસ્માત વખતે જો હેલ્મેટ પહેરેલું હોય હોય તો માથાના ભાગ પર ઈજા થવાનો ખતરો ઓછો થઈ જાય છે. બચવાના ચાન્સીસ વધી જતા હોય છે. લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરે તે માટે અનેક અભિયાનો ચલાવવામાં આવે છે. હેલ્મેટને સુરક્ષા કવચ માનવામાં આવે છે પરંતુ અનેક લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ નથી પહેરતા. જેને કારણે તેમની સુરક્ષા પર ખતરો રહેતો હોય છે.


બાળકોને શાળાએ મૂકવા જતી વખતે માતા પિતા નથી પહેરતા હેલ્મેટ 

અનેક અપીલ પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ પહેરે તે માટે કાયદો પણ બનાવવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નથી થતો. હેલ્મેટ વગર જો કોઈ વ્યક્તિ દેખાય છે તો તેને દંડ પણ કરવામાં આવે છે ... પરંતુ અનેક લોકો હેલ્મેટ નથી પહેરતા... આપણે જ્યારે રસ્તા પર નિકળીએ છીએ ત્યારે આપણને અનેક લોકો હેલ્મેટ વગરના દેખાય છે. અનેક વાહનો પર નાના બાળકો પણ બેઠેલા જોવા મળતા હોય છે... 


7 હજાર બાળકોને આપવામાં આવશે સુરક્ષા કવચ!  

નાનપણથી બાળકોમાં કાયદાનું પાલન થાય, હેલ્મેટ પહેરવાની ગંભીરતાને સમજે તે માટે અમદાવાદ પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદ ટ્રાફિક પૂર્વ ઝોન દ્વારા મિશન હેલ્મેટ સંસ્કારની શરૂઆત કરવામાં આવી છે. આ સંસ્કાર અંતર્ગત ટુ વ્હીલર પર શાળાએ જઈ રહેલા 7 હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ આપવામાં આવશે. 7000થી વધુ બાળકો જે ટુ વ્હીલર પર વાલી સાથે શાળાએ જાય છે એમને સુરક્ષા કવચ આપવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે તેમાં લખવામાં આવ્યું છે જન્મ પહેલાં મૃત્યુ સુધીના 16 સંસ્કાર સાથે સુરક્ષા માટે 17માં સંસ્કારનું અનુસંધાન. મહત્વનું છે કે અનેક લોકોના મોત અકસ્માતને કારણે થતા હોય છે... અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ આવકાર દાયક છે...  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.