મોદી સરકારનો નવો કાર્યકાળ, 72 મંત્રીઓએ લીધી શપથ, 3.0માં જાણો કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2024-06-10 19:06:20

દેશમાં નવી સરકાર બની ગઈ છે.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. ચોથી જૂને પરિણામ આવ્યું અને ગઈકાલે મંત્રી મંડળ તેમજ પીએમએ શપથ લીધા.. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બેઠકો ના હતી જેને લઈ તે એકલા હાથે સરકાર બનાવી શકે.. માટે આ વખતે એનડીએની સરકાર બની છે.. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.. ગઈકાલે 72 મંત્રીઓએ શપથ લીધા છે.. કયા રાજ્યમાંથી કેટલા સાંસદો મંત્રી બન્યા તેની વાત કરીએ.. 



ક્યાં રાજ્યના કેટલા સાંસદોને મળ્યું કેબિનેટમાં સ્થાન?

સૌથી પહેલા સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ.. ઉત્તર પ્રદેશના 10 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. તે સિવાય બિહારના 8 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. પંજાબના 2 સાંસદને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.. હરિયાણાની વાત કરીએ તો 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.. આસામની વાત કરીએ તો ત્યાંના 2 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય 2 મંત્રી જેમણે મંત્રી તરીકેના શપથ લીધા છે તેમાં ઝારખંડનો સમાવેશ થાય છે.


ગુજરાતના ચાર સાંસદો બન્યા મંત્રી તે સિવાય.... 

તે સિવાયના રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ચાર સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે જ્યારે તેલંગાણાના 2 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગોવાના એક સાંસદે મંત્રી પદના શપથ લીધા છે જ્યારે કેરળના બે સાંસદો મંત્રી બન્યા છે. તમિલનાડુના ત્રણ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો એક સાંસદે મંત્રી પદ તરીકેના શપથ લીધા છે. ઓડિશાની વાત કરીએ તો બે સાંસદે જ્યારે છત્તીસગઢના એક સાંસદે મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના પાંચ સાંસદોએ મંત્રી તરીકેના શપથ ગઈકાલે લીધા છે. તે સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો 6 સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે. 


આ રાજ્યના આટલા સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 5 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડના એક એક સાંસદે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે સિવાય દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુના 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના 3 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચાર સાંસદો જ્યારે ગોવાના એક સાંસદે મંત્રી તરીકે શપથ લીધા છે.  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.