મોદી સરકારનો નવો કાર્યકાળ, 72 મંત્રીઓએ લીધી શપથ, 3.0માં જાણો કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2024-06-10 19:06:20

દેશમાં નવી સરકાર બની ગઈ છે.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. ચોથી જૂને પરિણામ આવ્યું અને ગઈકાલે મંત્રી મંડળ તેમજ પીએમએ શપથ લીધા.. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બેઠકો ના હતી જેને લઈ તે એકલા હાથે સરકાર બનાવી શકે.. માટે આ વખતે એનડીએની સરકાર બની છે.. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.. ગઈકાલે 72 મંત્રીઓએ શપથ લીધા છે.. કયા રાજ્યમાંથી કેટલા સાંસદો મંત્રી બન્યા તેની વાત કરીએ.. 



ક્યાં રાજ્યના કેટલા સાંસદોને મળ્યું કેબિનેટમાં સ્થાન?

સૌથી પહેલા સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ.. ઉત્તર પ્રદેશના 10 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. તે સિવાય બિહારના 8 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. પંજાબના 2 સાંસદને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.. હરિયાણાની વાત કરીએ તો 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.. આસામની વાત કરીએ તો ત્યાંના 2 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય 2 મંત્રી જેમણે મંત્રી તરીકેના શપથ લીધા છે તેમાં ઝારખંડનો સમાવેશ થાય છે.


ગુજરાતના ચાર સાંસદો બન્યા મંત્રી તે સિવાય.... 

તે સિવાયના રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ચાર સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે જ્યારે તેલંગાણાના 2 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગોવાના એક સાંસદે મંત્રી પદના શપથ લીધા છે જ્યારે કેરળના બે સાંસદો મંત્રી બન્યા છે. તમિલનાડુના ત્રણ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો એક સાંસદે મંત્રી પદ તરીકેના શપથ લીધા છે. ઓડિશાની વાત કરીએ તો બે સાંસદે જ્યારે છત્તીસગઢના એક સાંસદે મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના પાંચ સાંસદોએ મંત્રી તરીકેના શપથ ગઈકાલે લીધા છે. તે સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો 6 સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે. 


આ રાજ્યના આટલા સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 5 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડના એક એક સાંસદે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે સિવાય દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુના 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના 3 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચાર સાંસદો જ્યારે ગોવાના એક સાંસદે મંત્રી તરીકે શપથ લીધા છે.  



ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .

જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે. ૨૬ જેટલા પર્યટકોના આ આતંકવાદી હુમલામાં મોતના સમાચાર છે. આ હુમલો પહલગામના બાઇસારન ઘાટીમાં નોંધાયો છે. હુમલો ત્યારે થયો જયારે પર્યટકો ઘોડેસવારી કરતા હતા . આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે.