મોદી સરકારનો નવો કાર્યકાળ, 72 મંત્રીઓએ લીધી શપથ, 3.0માં જાણો કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2024-06-10 19:06:20

દેશમાં નવી સરકાર બની ગઈ છે.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. ચોથી જૂને પરિણામ આવ્યું અને ગઈકાલે મંત્રી મંડળ તેમજ પીએમએ શપથ લીધા.. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બેઠકો ના હતી જેને લઈ તે એકલા હાથે સરકાર બનાવી શકે.. માટે આ વખતે એનડીએની સરકાર બની છે.. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.. ગઈકાલે 72 મંત્રીઓએ શપથ લીધા છે.. કયા રાજ્યમાંથી કેટલા સાંસદો મંત્રી બન્યા તેની વાત કરીએ.. 



ક્યાં રાજ્યના કેટલા સાંસદોને મળ્યું કેબિનેટમાં સ્થાન?

સૌથી પહેલા સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ.. ઉત્તર પ્રદેશના 10 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. તે સિવાય બિહારના 8 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. પંજાબના 2 સાંસદને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.. હરિયાણાની વાત કરીએ તો 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.. આસામની વાત કરીએ તો ત્યાંના 2 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય 2 મંત્રી જેમણે મંત્રી તરીકેના શપથ લીધા છે તેમાં ઝારખંડનો સમાવેશ થાય છે.


ગુજરાતના ચાર સાંસદો બન્યા મંત્રી તે સિવાય.... 

તે સિવાયના રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ચાર સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે જ્યારે તેલંગાણાના 2 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગોવાના એક સાંસદે મંત્રી પદના શપથ લીધા છે જ્યારે કેરળના બે સાંસદો મંત્રી બન્યા છે. તમિલનાડુના ત્રણ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો એક સાંસદે મંત્રી પદ તરીકેના શપથ લીધા છે. ઓડિશાની વાત કરીએ તો બે સાંસદે જ્યારે છત્તીસગઢના એક સાંસદે મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના પાંચ સાંસદોએ મંત્રી તરીકેના શપથ ગઈકાલે લીધા છે. તે સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો 6 સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે. 


આ રાજ્યના આટલા સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 5 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડના એક એક સાંસદે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે સિવાય દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુના 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના 3 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચાર સાંસદો જ્યારે ગોવાના એક સાંસદે મંત્રી તરીકે શપથ લીધા છે.  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.