મોદી સરકારનો નવો કાર્યકાળ, 72 મંત્રીઓએ લીધી શપથ, 3.0માં જાણો કયા રાજ્યમાંથી કેટલા સાંસદોને મળ્યું મંત્રી પદ?


  • Published By :
  • Published Date : 2024-06-10 19:06:20

દેશમાં નવી સરકાર બની ગઈ છે.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. ચોથી જૂને પરિણામ આવ્યું અને ગઈકાલે મંત્રી મંડળ તેમજ પીએમએ શપથ લીધા.. આ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી બેઠકો ના હતી જેને લઈ તે એકલા હાથે સરકાર બનાવી શકે.. માટે આ વખતે એનડીએની સરકાર બની છે.. નીતિશ કુમાર તેમજ ચંદ્રબાબુ નાયડુ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.. ગઈકાલે 72 મંત્રીઓએ શપથ લીધા છે.. કયા રાજ્યમાંથી કેટલા સાંસદો મંત્રી બન્યા તેની વાત કરીએ.. 



ક્યાં રાજ્યના કેટલા સાંસદોને મળ્યું કેબિનેટમાં સ્થાન?

સૌથી પહેલા સૌથી વધારે બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશની વાત કરીએ.. ઉત્તર પ્રદેશના 10 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. તે સિવાય બિહારના 8 સાંસદોને મંત્રી પદ આપવામાં આવ્યું છે.. પંજાબના 2 સાંસદને મંત્રી પદ સોંપવામાં આવ્યું છે.. હરિયાણાની વાત કરીએ તો 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થયું છે.. આસામની વાત કરીએ તો ત્યાંના 2 સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય પશ્ચિમ બંગાળની વાત કરીએ તો ત્યાં 2 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય 2 મંત્રી જેમણે મંત્રી તરીકેના શપથ લીધા છે તેમાં ઝારખંડનો સમાવેશ થાય છે.


ગુજરાતના ચાર સાંસદો બન્યા મંત્રી તે સિવાય.... 

તે સિવાયના રાજ્યની વાત કરીએ તો ગુજરાતના ચાર સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે જ્યારે તેલંગાણાના 2 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. ગોવાના એક સાંસદે મંત્રી પદના શપથ લીધા છે જ્યારે કેરળના બે સાંસદો મંત્રી બન્યા છે. તમિલનાડુના ત્રણ સાંસદોએ મંત્રી પદના શપથ લીધા છે. તે સિવાય અરૂણાચલ પ્રદેશની વાત કરીએ તો એક સાંસદે મંત્રી પદ તરીકેના શપથ લીધા છે. ઓડિશાની વાત કરીએ તો બે સાંસદે જ્યારે છત્તીસગઢના એક સાંસદે મંત્રી તરીકેના શપથ લીધા છે. મધ્યપ્રદેશના પાંચ સાંસદોએ મંત્રી તરીકેના શપથ ગઈકાલે લીધા છે. તે સિવાય મહારાષ્ટ્રની વાત કરીએ તો 6 સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું છે. 


આ રાજ્યના આટલા સાંસદોને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન

રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના 5 સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડના એક એક સાંસદે મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. જમ્મુ કાશ્મીરના એક સાંસદને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે સિવાય દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો તમિલનાડુના 3 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના 3 સાંસદોએ મંત્રી તરીકેના શપથ લીધા છે. કર્ણાટકના ચાર સાંસદો જ્યારે ગોવાના એક સાંસદે મંત્રી તરીકે શપથ લીધા છે.  



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.