Ambaji મોહનથાળ મામલામાં આવી મોટી અપડેટ, નીલકંઠ ટ્રેડર્સના માલિકની કરાઈ અટકાયત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 14:46:30

છેલ્લા બે ત્રણ દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેઈલ ગયા છે. આ મોહનથાળનો પ્રસાદ લાખો ભક્તોએ આરોગ્ય હશે કારણ કે તાજેતરમાં જ લોકમેળો સંપન્ન થયો છે. આ વાત સામે આવતા જ ત્વરીત એક્શન લેવામાં આવ્યા છે. મોહિની કેટરર્સને મળેલો કોન્ટ્રાક્ટને રિન્યુ નથી કરવામાં આવ્યો ઉપરાંત અક્ષયપાત્રને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવી માહિતી પણ સામે આવી. આમાં નવી અપડેટ આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિક  જતીન શાહની અટકાટત કરી લેવામાં આવી છે. આ એ ટ્રેડર્સ છે જ્યાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું, 

અક્ષયપાત્રને આપવામાં આવ્યો મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

(ફાઈલ ફોટો)

નીલકંઠ ટ્રેડર્સને કરાયું હતું સીલ 

 આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે.  અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનિય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું.  

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

જતીન શાહની કરાઈ અટકાયત, પોલીસ કરશે પૂછપરછ

અંબાજી મોહનથાળનો મુદ્દો અમદાવાદ પહોંચ્યો હતો. મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે. જતીન શાહે 300 ઘીના ડબ્બા મોહિની કેટરર્સને આપ્યા હતા. હાલ પોલીસ જતીન શાહની પૂછપરછ કરી રહી છે. 

Ambaji Mela: Mohanthal prasad preparation for devotees begins today, 3 lakh  packets per day will be prepared



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.