Ambaji મોહનથાળ મામલામાં આવી મોટી અપડેટ, નીલકંઠ ટ્રેડર્સના માલિકની કરાઈ અટકાયત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-05 14:46:30

છેલ્લા બે ત્રણ દિવસથી શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. ફૂડ વિભાગ દ્વારા મોહનથાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલ ફેઈલ ગયા છે. આ મોહનથાળનો પ્રસાદ લાખો ભક્તોએ આરોગ્ય હશે કારણ કે તાજેતરમાં જ લોકમેળો સંપન્ન થયો છે. આ વાત સામે આવતા જ ત્વરીત એક્શન લેવામાં આવ્યા છે. મોહિની કેટરર્સને મળેલો કોન્ટ્રાક્ટને રિન્યુ નથી કરવામાં આવ્યો ઉપરાંત અક્ષયપાત્રને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેવી માહિતી પણ સામે આવી. આમાં નવી અપડેટ આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિક  જતીન શાહની અટકાટત કરી લેવામાં આવી છે. આ એ ટ્રેડર્સ છે જ્યાંથી ઘી ખરીદવામાં આવ્યું હતું, 

અક્ષયપાત્રને આપવામાં આવ્યો મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ

શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે ભાદરવી પૂનમના મેળા દરમિયાન ભક્તોને આપવામાં આવતા મોહનથાળના પ્રસાદમાં ભેળસેળવાળું  ઘી વાપરવામાં આવ્યું હોવાનો રિપોર્ટ સામે આવ્યા બાદ હોબાળો મચ્યો હતો. જો કે, હવે ભેળસેળ વાળા ઘી મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજી મંદિર ખાતે મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પ્રસાદ બનાવવાની કામગીરી મોહિની કેટરર્સ ના બદલે અક્ષયપાત્ર દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

(ફાઈલ ફોટો)

નીલકંઠ ટ્રેડર્સને કરાયું હતું સીલ 

 આ ઉપરાંત સરકારે કોન્ટ્રાક્ટ રદ્દ કરી મોહિની કેટરને બ્લેક લીસ્ટ પણ કરી છે.  અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. મહત્વનું છે કે મોહિની કેટરર્સમાંથી આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના નિષ્ફળ ગયા હતા. અક્ષયપાત્ર સંસ્થા હવે અંબાજી મંદિરનો પ્રસાદ બનાવશે. નવો કોન્ટ્રાક્ટ 1 નવેમ્બરથી લાગુ થશે. ઉલ્લેખનિય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું.  

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

Action taken in case of fake ghee in Ambaji | AMCએ દુકાન-ગોડાઉનને સીલ  કર્યું, અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાં મોડીરાત્રે ચેકિંગ, 15 કિલોના 3 ઘીના  ડબ્બા જપ્ત - Divya Bhaskar

જતીન શાહની કરાઈ અટકાયત, પોલીસ કરશે પૂછપરછ

અંબાજી મોહનથાળનો મુદ્દો અમદાવાદ પહોંચ્યો હતો. મોહિની કેટરર્સે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું. ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે નીલકંઠ ટ્રેડર્સના માલિકની અટકાયત કરી લેવામાં આવી છે. જતીન શાહે 300 ઘીના ડબ્બા મોહિની કેટરર્સને આપ્યા હતા. હાલ પોલીસ જતીન શાહની પૂછપરછ કરી રહી છે. 

Ambaji Mela: Mohanthal prasad preparation for devotees begins today, 3 lakh  packets per day will be prepared



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.