ઊર્જા કૌભાંડમાં આવી નવી અપડેટ, Yuvrajsinh Jadejaએ બહાર પાડેલા ઉર્જા કૌભાંડમાં કેટલા લોકો થયાં જેલ ભેગા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-18 09:07:42

ગુજરાતમાં થતા જ કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમી કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા પણ યુવરાજસિંહે અનેક કૌભાંડો બહાર લાવવાના પ્રયત્નો કર્યા છે. ભૂતકાળમાં 2021ના વર્ષની વાત કરીએ તો એક કૌભાંડ બહાર આવ્યું હતું જેનું નામ છે ઊર્જા કૌભાંડ. આ મામલે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અત્યાર સુધીમાં આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

ઉર્જા કૌભાંડની વાત કરીએ તો અનેક મિમ્સ વાયરલ થયા હતા. એક મિમના માધ્યમથી એ કૌભાંડ યાદ અપાવવું છે કે એક છોકરીનો વીડિયો બહાર આવ્યો હતો જેને પત્રકાર કંઈ પણ સવાલ પૂછતા હતા તો એ છોકરી જવાબ આપતી હતી હું મહેનતથી જ પાસ થઈ છું અને બીજો જવાબ આપતા હતા એ તો જબરદસ્ત હતો જે હતો મારી મમ્મીને પૂછીને કહું છું. જો તમને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનો એ ઊર્જા કૌભાંડ યાદ આવી ગયો હોય તો ચાલો વાત કરીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સામે કાર્યવાહી થઈ, અત્યાર સુધી કેટલા વચેટિયા પકડાયા અને અત્યાર સુધીમાં કેટલા લોકોની કે અધિકારીની ધરપકડ કરાઈ.   


યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને ઉર્જા કૌભાંડને કર્યો હતો ઉજાગર  

રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને કૌભાંડ બહાર લાવ્યું હતું કે કેવી રીતે  ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી હતી. આ મામલે પોલીસે બે વર્ષ બાદ તો બે વર્ષ બાદ પણ કાર્યવાહી કરી અને સરકારે પગલા લીધા. આ વીડિયોમાં કૌભાંડીઓની અને એજન્ટની વાત કરીએ. 


જે ઉમેદવારોને સસ્પેન્ડ કરાયા તેમની આ રહી યાદી

સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ


ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી 

અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી: ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ ,બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ


નોકરીયાત ઉમેદવારો જેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ તેમની યાદી 

અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી: નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.