ઊર્જા કૌભાંડમાં આવી નવી અપડેટ, Yuvrajsinh Jadejaએ બહાર પાડેલા ઉર્જા કૌભાંડમાં કેટલા લોકો થયાં જેલ ભેગા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-18 09:07:42

ગુજરાતમાં થતા જ કૌભાંડો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. થોડા સમય પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા ડમી કૌભાંડ બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા પણ યુવરાજસિંહે અનેક કૌભાંડો બહાર લાવવાના પ્રયત્નો કર્યા છે. ભૂતકાળમાં 2021ના વર્ષની વાત કરીએ તો એક કૌભાંડ બહાર આવ્યું હતું જેનું નામ છે ઊર્જા કૌભાંડ. આ મામલે નવા નવા અપડેટ સામે આવી રહ્યા છે. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

અત્યાર સુધીમાં આટલા લોકો વિરૂદ્ધ કરાઈ કાર્યવાહી 

ઉર્જા કૌભાંડની વાત કરીએ તો અનેક મિમ્સ વાયરલ થયા હતા. એક મિમના માધ્યમથી એ કૌભાંડ યાદ અપાવવું છે કે એક છોકરીનો વીડિયો બહાર આવ્યો હતો જેને પત્રકાર કંઈ પણ સવાલ પૂછતા હતા તો એ છોકરી જવાબ આપતી હતી હું મહેનતથી જ પાસ થઈ છું અને બીજો જવાબ આપતા હતા એ તો જબરદસ્ત હતો જે હતો મારી મમ્મીને પૂછીને કહું છું. જો તમને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનો એ ઊર્જા કૌભાંડ યાદ આવી ગયો હોય તો ચાલો વાત કરીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સામે કાર્યવાહી થઈ, અત્યાર સુધી કેટલા વચેટિયા પકડાયા અને અત્યાર સુધીમાં કેટલા લોકોની કે અધિકારીની ધરપકડ કરાઈ.   


યુવરાજસિંહે પત્રકાર પરિષદ કરીને ઉર્જા કૌભાંડને કર્યો હતો ઉજાગર  

રાજ્યમાં ઉર્જા વિભાગના વિદ્યુત કોર્પોરેશનમાં જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્કની ભરતી વર્ષ 2020-21 દરમિયાન કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન પરીક્ષામાં ગોટાળા આચરીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા. યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ કરીને કૌભાંડ બહાર લાવ્યું હતું કે કેવી રીતે  ભરતીને લઈ એજન્ટોએ ટેકનોલોજીના ઉપયોગથી કૌભાંડ આચરી કેટલાક ઉમેદવારોને ભરતીમાં પાસ કરાવી દઈ નોકરી અપાવી હતી. આ મામલે પોલીસે બે વર્ષ બાદ તો બે વર્ષ બાદ પણ કાર્યવાહી કરી અને સરકારે પગલા લીધા. આ વીડિયોમાં કૌભાંડીઓની અને એજન્ટની વાત કરીએ. 


જે ઉમેદવારોને સસ્પેન્ડ કરાયા તેમની આ રહી યાદી

સસ્પેન્ડ કરાયેલા ઉમેદવારોની યાદીઃ નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, આસિમ યુનુસભાઇ લોઢા, જલકબેન મનહરભાઈ ચૌધરી, નિલમબેન કમલેશભાઈ પ્રજાપતિ


ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી 

અત્યાર સુધી ધરપકડ કરાયેલા એજન્ટોની યાદી: ભરતસિંહ ઠાકોર,સલીમ ઢાપા, મનોજ મંગળભાઈ મકવાણા ,નિકુંજ કુબેરભાઈ મકવાણા, સત્યેષ પાટીલ ,બિપીનચંદ્ર પરમાર, નિસર્ગ બાબુભાઇ પાર્થ, નટવરભાઈ શંકરભાઇ પટેલ, ઈશ્વરભાઈ ભીખાભાઇ પ્રજાપતિ, નારાયણ ભોજાભાઈ મારુ, પિયુષ હરગોવીંદભાઈ પટેલ, અશોકભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, મિતેષ હસમુખભાઈ પટેલ


નોકરીયાત ઉમેદવારો જેમના વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ તેમની યાદી 

અત્યાર સુધી ધરપકડ થયેલા નોકરીયાત ઉમેદવારોની યાદી: નિશાબેન પ્રકાશભાઈ પટેલ, જલ્પાબેન ભૌમિક કુમાર પટેલ, ઉપાસના બેન ચિરાગભાઈ સુતરીયા, નીલમબેન વિક્રમભાઈ ચાવડા, પ્રકાશ કુમાર મગનભાઈ વણકર, અલ્તાફભાઈ ઉંમરફારુક લોઢા, મનીષકુમાર ધનજીભાઈ પારઘી, રોહિત કુમાર મૂળજીભાઈ મકવાણા, પ્રવીણભાઈ ધનજીભાઈ ચૌધરી, આસિમ યુનુસભાઇ લોઢા, જિજ્ઞાસાબેન સંદીપભાઈ પટેલ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.