બિહારના પોણા 4 લાખ કરાર આધારિત શિક્ષકોને ન્યૂ યર ગિફ્ટ, સરકારે સહાયક શિક્ષકનો દરજ્જો આપી કાયમી કર્યા


  • Published By :
  • Published Date : 2023-12-26 17:33:06

બિહાર સરકારે વર્ષના અંતે આજે મહત્વનો નિર્ણય લેતા કરાર આધારિત શિક્ષકો ( Contract Teachers)ને મોટી ભેટ આપી છે. બિહાર સરકારે નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યના કાયમી કર્મચારીનો દરજ્જો આપ્યો છે. આ મુદ્દે બિહાર કેબિનેટની બેઠકમાં મંજુરીની મહોર પણ લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ  રાજ્યના શિક્ષણ વિભાગે પોણા 4 લાખ શિક્ષકોને રાજ્યના કર્મચારી તરીકેનો માન્ય કર્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે વિશિષ્ટ શિક્ષક ( બિહાર નિયોજીત ટીચર્સ)ની પોસ્ટમાં સુધારો કર્યો છે. આ પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ નિયોજીત શિક્ષકો હવે સહાયક શિક્ષક કહેવાશે. આ સાથે જ BPSPથી પાસ નિયોજીત શિક્ષકોને એક્ઝામથી પણ છુટકારો મળશે, જે મેરિટની સાથે-સાથે ક્વોલિફાઈંગ માર્ક્સ પણ પૂરા કરી રહ્યા છે.


મળશે આ સુવિધાઓ


બિહાર નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યકર્મીનો દરજ્જો મળતાં જ ઈચ્છિત સ્થળાંતર, પ્રોમોશન, વેતન વૃધ્ધી, ડીએ સહિત તમામ સુવિધાઓનો લાભ મળશે. આ લાભ માટે શિક્ષકોને માત્ર એક સામાન્ય પરીક્ષા આપવી પડશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિને સક્ષમતા પરીક્ષા લેવાની જવાબદારી આપી શકાય છે. 


બે દાયકાથી આ લોકો કરી રહ્યા હતા સંઘર્ષ


ઉલ્લેખનિય છે કે છેલ્લા બે દાયકાથી નિયોજીત યુનિટે મંજુર કરેલા નિયોજીત શિક્ષકો રાજ્યકર્મીનો દરજ્જો મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. બિહાર સરકારના આ નિર્ણયથી બિહારના પોણા 4 લાખ શિક્ષકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.


નિયોજીત શિક્ષકો ( Contract Teachers) કોને કહેવાય છે?


બિહારના ગ્રામીણ સ્તર પર બેકાર યુવાનોને રોજગારની તક પુરી પાડવા માટે અને શિક્ષકોની અછતનો સામનો કરી રહેલી સરકારી શાળાઓમાં વર્ષ 2003થી શિક્ષા મિત્ર તરીકે નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દશમા અને બારમામાં ટકાવારીના આધારે આ શિક્ષકોને 11 કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને માસિક માત્ર 1500 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો, પછી ધીરે-ધીરે તેમનો કોન્ટ્રાક્ટ અને પગાર વધારવામાં આવ્યો છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે