બિહારના પોણા 4 લાખ કરાર આધારિત શિક્ષકોને ન્યૂ યર ગિફ્ટ, સરકારે સહાયક શિક્ષકનો દરજ્જો આપી કાયમી કર્યા


  • Published By :
  • Published Date : 2023-12-26 17:33:06

બિહાર સરકારે વર્ષના અંતે આજે મહત્વનો નિર્ણય લેતા કરાર આધારિત શિક્ષકો ( Contract Teachers)ને મોટી ભેટ આપી છે. બિહાર સરકારે નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યના કાયમી કર્મચારીનો દરજ્જો આપ્યો છે. આ મુદ્દે બિહાર કેબિનેટની બેઠકમાં મંજુરીની મહોર પણ લગાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ  રાજ્યના શિક્ષણ વિભાગે પોણા 4 લાખ શિક્ષકોને રાજ્યના કર્મચારી તરીકેનો માન્ય કર્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારે વિશિષ્ટ શિક્ષક ( બિહાર નિયોજીત ટીચર્સ)ની પોસ્ટમાં સુધારો કર્યો છે. આ પ્રસ્તાવને મંજુરી મળ્યા બાદ નિયોજીત શિક્ષકો હવે સહાયક શિક્ષક કહેવાશે. આ સાથે જ BPSPથી પાસ નિયોજીત શિક્ષકોને એક્ઝામથી પણ છુટકારો મળશે, જે મેરિટની સાથે-સાથે ક્વોલિફાઈંગ માર્ક્સ પણ પૂરા કરી રહ્યા છે.


મળશે આ સુવિધાઓ


બિહાર નિયોજીત શિક્ષકો ( Contract Teachers)ને રાજ્યકર્મીનો દરજ્જો મળતાં જ ઈચ્છિત સ્થળાંતર, પ્રોમોશન, વેતન વૃધ્ધી, ડીએ સહિત તમામ સુવિધાઓનો લાભ મળશે. આ લાભ માટે શિક્ષકોને માત્ર એક સામાન્ય પરીક્ષા આપવી પડશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ બિહાર વિદ્યાલય પરીક્ષા સમિતિને સક્ષમતા પરીક્ષા લેવાની જવાબદારી આપી શકાય છે. 


બે દાયકાથી આ લોકો કરી રહ્યા હતા સંઘર્ષ


ઉલ્લેખનિય છે કે છેલ્લા બે દાયકાથી નિયોજીત યુનિટે મંજુર કરેલા નિયોજીત શિક્ષકો રાજ્યકર્મીનો દરજ્જો મેળવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા હતા. બિહાર સરકારના આ નિર્ણયથી બિહારના પોણા 4 લાખ શિક્ષકો અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.


નિયોજીત શિક્ષકો ( Contract Teachers) કોને કહેવાય છે?


બિહારના ગ્રામીણ સ્તર પર બેકાર યુવાનોને રોજગારની તક પુરી પાડવા માટે અને શિક્ષકોની અછતનો સામનો કરી રહેલી સરકારી શાળાઓમાં વર્ષ 2003થી શિક્ષા મિત્ર તરીકે નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે દશમા અને બારમામાં ટકાવારીના આધારે આ શિક્ષકોને 11 કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને માસિક માત્ર 1500 રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો, પછી ધીરે-ધીરે તેમનો કોન્ટ્રાક્ટ અને પગાર વધારવામાં આવ્યો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.