નવા વર્ષનો આજથી પ્રારંભ.. તમારૂં નવું વર્ષ વીતે સરસ.... નૂતન વર્ષાભિનંદન


  • Published By :
  • Published Date : 2024-11-02 18:30:49

અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તીથી પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે... વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે. તેવી રીતે કારતક મહિનાના પહેલા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ ઉજવાય છે... નવા વર્ષની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.. વિક્રમ સંવત 2081નો આજથી પ્રારંભ થઈ ગયો છે.... 


વેપારીઓ નવી ખાતાવહીનો કરે છે આરંભ 

હિંદુ ધર્મનું કેલેન્ડર સૂર્યોદયની તિથી પ્રમાણે ચાલતું હોય છે.. આપણે ત્યાં ઉદિત તીથીને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે... સામાન્ય રીતે દિવાળીના પછીના દિવસે નવું વર્ષ આવતું હોય છે પરંતુ આ વખતે દિવાળી અને બેસતા વર્ષના દિવસ વચ્ચે એક વધ દિવસ આવે છે... આ દિવસને પડતર દિવસ અથવા તો ધોકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે... અનેક વેપારીઓ નવા વર્ષથી નવા રોજમેળની શરૂઆત કરતા હોય છે... હિસાબી ચોપડાનું ઉદ્ધાટન કરતા હોય છે...


ભગવાનના આશીર્વાદ સાથે લોકો કરતા હોય છે નવા વર્ષની શરૂઆત... 

લોકો નવા વર્ષના દિવસની શરૂઆત મુખ્યત્વે ભગવાનના દર્શન કરીને કરતા હોય છે.. વહેલી સવારે ઉઠી લોકો મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લે છે અને નવું વર્ષ સારૂં વિતે તેની પ્રાર્થના કરતા હોય છે... તે ઉપરાંત વડીલોના આશીર્વાદ લેતા હોય છે.. કારણ કે આશીર્વાદમાં એવી તાકાત રહેલી છે જે અસંભવિત લાગતા કામને પાર પાડી શકે છે... ત્યારે આપનું પણ નવું વર્ષ સરસ વીતે તેવી શુભકામના... 



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)  



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.