નવા વર્ષનો આજથી પ્રારંભ.. તમારૂં નવું વર્ષ વીતે સરસ.... નૂતન વર્ષાભિનંદન


  • Published By :
  • Published Date : 2024-11-02 18:30:49

અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તીથી પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે... વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે. તેવી રીતે કારતક મહિનાના પહેલા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ ઉજવાય છે... નવા વર્ષની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.. વિક્રમ સંવત 2081નો આજથી પ્રારંભ થઈ ગયો છે.... 


વેપારીઓ નવી ખાતાવહીનો કરે છે આરંભ 

હિંદુ ધર્મનું કેલેન્ડર સૂર્યોદયની તિથી પ્રમાણે ચાલતું હોય છે.. આપણે ત્યાં ઉદિત તીથીને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે... સામાન્ય રીતે દિવાળીના પછીના દિવસે નવું વર્ષ આવતું હોય છે પરંતુ આ વખતે દિવાળી અને બેસતા વર્ષના દિવસ વચ્ચે એક વધ દિવસ આવે છે... આ દિવસને પડતર દિવસ અથવા તો ધોકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે... અનેક વેપારીઓ નવા વર્ષથી નવા રોજમેળની શરૂઆત કરતા હોય છે... હિસાબી ચોપડાનું ઉદ્ધાટન કરતા હોય છે...


ભગવાનના આશીર્વાદ સાથે લોકો કરતા હોય છે નવા વર્ષની શરૂઆત... 

લોકો નવા વર્ષના દિવસની શરૂઆત મુખ્યત્વે ભગવાનના દર્શન કરીને કરતા હોય છે.. વહેલી સવારે ઉઠી લોકો મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લે છે અને નવું વર્ષ સારૂં વિતે તેની પ્રાર્થના કરતા હોય છે... તે ઉપરાંત વડીલોના આશીર્વાદ લેતા હોય છે.. કારણ કે આશીર્વાદમાં એવી તાકાત રહેલી છે જે અસંભવિત લાગતા કામને પાર પાડી શકે છે... ત્યારે આપનું પણ નવું વર્ષ સરસ વીતે તેવી શુભકામના... 



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.