નવા વર્ષનો આજથી પ્રારંભ.. તમારૂં નવું વર્ષ વીતે સરસ.... નૂતન વર્ષાભિનંદન


  • Published By :
  • Published Date : 2024-11-02 18:30:49

અલગ અલગ રાજ્યમાં અલગ અલગ તીથી પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે... વૈશાખના પ્રથમ દિવસે પંજાબીઓનું નવું વર્ષ બૈસાખી ઊજવવામાં આવે છે તો ચૈત્ર મહિનાના પહેલા દિવસે મરાઠી અને કોંકણી લોકોનું નવું વર્ષ ગુડી પડવો ઊજવાય છે. તેવી રીતે કારતક મહિનાના પહેલા દિવસે ગુજરાતીઓનું નવું વર્ષ ઉજવાય છે... નવા વર્ષની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે.. વિક્રમ સંવત 2081નો આજથી પ્રારંભ થઈ ગયો છે.... 


વેપારીઓ નવી ખાતાવહીનો કરે છે આરંભ 

હિંદુ ધર્મનું કેલેન્ડર સૂર્યોદયની તિથી પ્રમાણે ચાલતું હોય છે.. આપણે ત્યાં ઉદિત તીથીને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે... સામાન્ય રીતે દિવાળીના પછીના દિવસે નવું વર્ષ આવતું હોય છે પરંતુ આ વખતે દિવાળી અને બેસતા વર્ષના દિવસ વચ્ચે એક વધ દિવસ આવે છે... આ દિવસને પડતર દિવસ અથવા તો ધોકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે... અનેક વેપારીઓ નવા વર્ષથી નવા રોજમેળની શરૂઆત કરતા હોય છે... હિસાબી ચોપડાનું ઉદ્ધાટન કરતા હોય છે...


ભગવાનના આશીર્વાદ સાથે લોકો કરતા હોય છે નવા વર્ષની શરૂઆત... 

લોકો નવા વર્ષના દિવસની શરૂઆત મુખ્યત્વે ભગવાનના દર્શન કરીને કરતા હોય છે.. વહેલી સવારે ઉઠી લોકો મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ લે છે અને નવું વર્ષ સારૂં વિતે તેની પ્રાર્થના કરતા હોય છે... તે ઉપરાંત વડીલોના આશીર્વાદ લેતા હોય છે.. કારણ કે આશીર્વાદમાં એવી તાકાત રહેલી છે જે અસંભવિત લાગતા કામને પાર પાડી શકે છે... ત્યારે આપનું પણ નવું વર્ષ સરસ વીતે તેવી શુભકામના... 



(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.