News At One Click : જાણો ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતીની માગથી લઈ સંસદમાં NEETને લઈ હોબાળા સુધીના સમાચાર...


  • Published By :
  • Published Date : 2024-06-29 18:29:06

આખા અઠવાડિયામાં ગુજરાત, દેશ અને દુનિયામાં અનેક એવી ઘટનાઓ થઈ જે ચર્ચામાં રહી.. આવો જાણીએ એવા સમાચારો જે આ અઠવાડિયે ચર્ચામાં રહ્યા..


રાજકોટ એરપોર્ટ પર બની દુર્ઘટના

સૌથી પહેલા વાત કરીએ ગુજરાતની અને તેમાં પણ આજે બનેલી ઘટનાની.. રાજકોટના હીરાસર એરપોર્ટ પર વરસાદ તેમજ ભારે પવનને કારણે પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી પડી.. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવી માહિતી સામે આવી નથી પરંતુ વિપક્ષને સરકાર પર પ્રહાર કરવાનો એક મુદ્દો મળી ગયો.. કોંગ્રેસ દ્વારા તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે લખ્યું કે રાજકોટમાં વિકાસનું ચિત્ર સામે આવ્યું છે. આ એરપોર્ટનું ઉદ્ધાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું - માત્ર 1 વર્ષ પહેલા.. તે સિવાય આમ આદમી પાર્ટીએ પણ આ મામલે પ્રહાર કર્યા છે.



ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો લખી રહ્યા છે પત્ર

તે સિવાય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એક બાદ એક પત્ર લખી રહ્યા છે. પોતાની સરકાર સામે, અધિકારીઓ તેમનું માનતા નથી તેવી વાતો ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહી છે. થોડા સમયની અંદર અનેક ધારાસભ્યોઓ પત્ર લખ્યા છે.. ખેડાના ધારાસભ્યએ પત્ર લખ્યો છે અને પાણી છોડવાની માગ કરી છે.  વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.



એક તરફ શાળા પ્રવેશોત્સવ છે તો બીજી તરફ... 

ગુજરાતની શાળાઓમાં હાલ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે.. વિદ્યાર્થીઓ ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી છે. મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ અલગ અલગ શાળાઓની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે... એક તરફ પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે તો બીજી તરફ ધારાસભ્ય દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઈ અનેક વખત ટ્વિટ કરવામાં આવી છે. ગાંધીનગરમાં જ્યારે ટેટ ટાટ પાસ ઉમેદવાર કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે આવ્યા હતા તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ આવ્યા હતા.. ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. 




પ્રિ મોનસુન કામગીરીની ખુલી પોલ

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યા પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. થોડા કલાક વરસાદ વરસે છે પરંતુ તે બાદ વરસાદી પાણી ભરાઈ જાય છે.. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કોઈ જગ્યાએ પુલ તૂટે છે તો કોઈ જગ્યા પર ખાડા પડી જાય છે. પુલનું ધોવાણ થઈ જાય છે તો કોઈ વખત રસ્તાઓ પર એટલું બધુ પાણી આવી જાય છે કે રસ્તા બેટમાં ફરી ગયા હોય તેવું લાગે.. પ્રિ મોનસુનની કામગીરીની પોલ અનેક જગ્યાઓ પર ખુલી રહી છે..  




કેજરીવાલને મોકલાયા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં

દિલ્હીના મુખ્યમંત્રી છેલ્લા ઘણા સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે. દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરીંગ કેસને લઈ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સજા ભોગવી રહ્યા છે.. અનેક વખત જામીન માટે કેજરીવાલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી પરંતુ તેમને દર વખતે ઝટકો મળતો હતો. શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં અરવિંદ કેજરીવાલને પેશ કરવામાં આવ્યા હતા.સુનાવણી હાથ ધરવામાં આવી હતી.. અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં કોઈ ઘટડો નથી થયો. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં 14 દિવસ માટે મોકલ્યા છે. કોર્ટ દ્વારા સીબીઆઈની અરજીને મંજૂર કરી લીધી છે...



સરકારને ઘેરવાનો વિપક્ષનો પ્રયાસ 

18મી લોકસભાનું સત્ર ચાલી રહ્યું છે.. આ વખતે એનડીએની સરકાર બની છે.. વિપક્ષનું પણ સંખ્યાબળ આ વખતે વધારે છે.. સત્રની શરૂઆત થઈ ત્યારથી જ લાગતું હતું કે આ સત્ર હંગામેદાર રહેશે. સત્ર શરૂ થાય તે પહેલા જ અનેક એવી ઘટનાઓ બની જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહી છે. સૌથી મહત્વનો મુદ્દો છે નીટની પરીક્ષાનો.. સંસદમાં આ મુદ્દો વિપક્ષ દ્વારા મજબૂતાઈથી ઉઠાવવામાં આવી રહ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. શુક્રવારે રાહુલ ગાંધી દ્વારા નીટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે વખતે હોબાળો થયો.. હોબાળો એટલો બધો વધી ગયો કે સંસદની કાર્યવાહીને પહેલી જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી. તે સિવાય રાજ્યસભામાં પણ પેપર લીકના મુદ્દો ઉઠાવવામાં આવ્યો. કોંગ્રેસનો આરોપ છે કે જ્યારે આ મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો તે દરમિયાન તેમના માઈકને બંધ કરી દેવાયા હતા.



દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1ની છત પડી ગઈ અને..

દિલ્હીમાં એક તરફ પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે તો બીજી તરફ ત્યાં વરસાદે કહેર મચાવ્યો છે. ભારે વરસાદ આવ્યો છે જેને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલે ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ-1ની છત પડી ગઈ હતી.. તેની નીચે અનેક ગાડીઓ હતી,, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું.. તે સિવાય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે.. 




પેરૂમાં ધરતીકંપ આવવાના કિસ્સાઓ યથાવત

ધરતીકંપના આંચકાનો અનુભવ આપણને અનેક વખત થયો છે. ધરતીકંપ આવે ત્યારે આપણા જીવ અધ્ધર થઈ જાય છે.. ઓછી તીવ્રતાના આંચકાની અસર બહુ નથી થતી પરંતુ જો તીવ્રતા વધારે હોય તો તેની અસર ઘણી થતી હોય છે. પેરૂમાં છેલ્લા ઘણા દિવસોથી અતિ તીવ્રતાવાળા ભૂકંપના આંચકાનો અહેસાસ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચાર દિવસની અંદર ત્રણ વખત ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. શનિવારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવ્યો હતો જેની તીવ્રતા rector scale પર 6ની નોંધાઈ હતી, શુક્રવારે પેરૂમાં ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી.. સુનામી માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે એલર્ટ પાછું ખેંચી લેવામાં આવ્યું હોય તેવી માહિતી સામે આવી છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.