MBBSના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એકેડેમિક કેલેન્ડર થયું જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:47:56

નેશનલ મેડિકલ કમિશને નવા MBBSના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં ક્લાસથી લઈને તમામ વસ્તુનો શેડ્યૂલ જણાવવામાં આવ્યો છે. સપ્લીમેન્ટ્રી બેચ પણ ખતમ કરી દેવામાં આવી છે. 


15 નવેમ્બરથી ક્લાસ શરૂ થશે

નેશનલ મેડિકલ કમિશને MBBSના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જો તેમે આ વર્ષે એનઈઈટી યુજી 2022 પાસ કરી છે અને એમસીસી નીટ યુજી કાઉન્સીલમાં ભાગ લઈ રહ્યા છો તો તમારા શેડ્યુલની માહિતી મેળવી લો. એનએમસીએ નવા એમબીબીએસ સ્ટુડન્ટ્સ માટે ક્લાસ શરૂ થવાની તારીખથી લઈ પરીક્ષાના શેડ્યૂલ સુધીની જાણકારી જાહેર કરી છે. એનએમસીએ MBBS એકેડેમિક કેલેન્ડર 2022 જાહેર કર્યું છે. વર્ષ 2022ના પહેલા સેમની ક્લાસ 15 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 


MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે

મેડિકલ કમિશને આ શેડ્યૂઅલ MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયમાં જાહેર કર્યું છે. હાલ પહેલા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ છે. 17 ઓક્ટોબર સુધીમાં mcc.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલ કરી શકશો. આ પ્રક્રિયા બાદ મોક રાઉન્ડ શરૂ થશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.