MBBSના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એકેડેમિક કેલેન્ડર થયું જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:47:56

નેશનલ મેડિકલ કમિશને નવા MBBSના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં ક્લાસથી લઈને તમામ વસ્તુનો શેડ્યૂલ જણાવવામાં આવ્યો છે. સપ્લીમેન્ટ્રી બેચ પણ ખતમ કરી દેવામાં આવી છે. 


15 નવેમ્બરથી ક્લાસ શરૂ થશે

નેશનલ મેડિકલ કમિશને MBBSના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જો તેમે આ વર્ષે એનઈઈટી યુજી 2022 પાસ કરી છે અને એમસીસી નીટ યુજી કાઉન્સીલમાં ભાગ લઈ રહ્યા છો તો તમારા શેડ્યુલની માહિતી મેળવી લો. એનએમસીએ નવા એમબીબીએસ સ્ટુડન્ટ્સ માટે ક્લાસ શરૂ થવાની તારીખથી લઈ પરીક્ષાના શેડ્યૂલ સુધીની જાણકારી જાહેર કરી છે. એનએમસીએ MBBS એકેડેમિક કેલેન્ડર 2022 જાહેર કર્યું છે. વર્ષ 2022ના પહેલા સેમની ક્લાસ 15 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 


MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે

મેડિકલ કમિશને આ શેડ્યૂઅલ MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયમાં જાહેર કર્યું છે. હાલ પહેલા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ છે. 17 ઓક્ટોબર સુધીમાં mcc.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલ કરી શકશો. આ પ્રક્રિયા બાદ મોક રાઉન્ડ શરૂ થશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.