MBBSના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, એકેડેમિક કેલેન્ડર થયું જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 18:47:56

નેશનલ મેડિકલ કમિશને નવા MBBSના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં ક્લાસથી લઈને તમામ વસ્તુનો શેડ્યૂલ જણાવવામાં આવ્યો છે. સપ્લીમેન્ટ્રી બેચ પણ ખતમ કરી દેવામાં આવી છે. 


15 નવેમ્બરથી ક્લાસ શરૂ થશે

નેશનલ મેડિકલ કમિશને MBBSના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. જો તેમે આ વર્ષે એનઈઈટી યુજી 2022 પાસ કરી છે અને એમસીસી નીટ યુજી કાઉન્સીલમાં ભાગ લઈ રહ્યા છો તો તમારા શેડ્યુલની માહિતી મેળવી લો. એનએમસીએ નવા એમબીબીએસ સ્ટુડન્ટ્સ માટે ક્લાસ શરૂ થવાની તારીખથી લઈ પરીક્ષાના શેડ્યૂલ સુધીની જાણકારી જાહેર કરી છે. એનએમસીએ MBBS એકેડેમિક કેલેન્ડર 2022 જાહેર કર્યું છે. વર્ષ 2022ના પહેલા સેમની ક્લાસ 15 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. 


MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા પણ ચાલી રહી છે

મેડિકલ કમિશને આ શેડ્યૂઅલ MCC NEET કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ છે તેવા સમયમાં જાહેર કર્યું છે. હાલ પહેલા રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ અને રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ છે. 17 ઓક્ટોબર સુધીમાં mcc.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલ કરી શકશો. આ પ્રક્રિયા બાદ મોક રાઉન્ડ શરૂ થશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .