આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ કર્યું 'ભારત બંધ'નું એલાન, રાકેશ ટિકૈત જણાવ્યો શું છે પ્લાન?


  • Published By :
  • Published Date : 2024-01-25 17:00:27

આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનો નિર્ણય કર્યો છે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો 16 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં અનેક મુદ્દાઓ પર ભારત બંધ રાખવામાં આવશે. આ મુદ્દાઓમાં ખેડૂતોમાં ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપનારા દાયદાઓનો અમલ ન કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કિસાન  યુનિયન  (BKU) ના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના જુથો ઉપરાંત, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આંદોલનોનું સમર્થન કરવા અને તે દિવસે હડતાલમાં ઉતરવાની અપીલ કરીએ છિએ.

 

16 ફેબ્રુઆરીએ ભારત બંધ, રાકેશ ટિકૈતે શું કહ્યું?


રાકેશ ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઘણા ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.  આ પહેલા પણ ખેડૂતો 'અમાવસ્યા'ના દિવસે ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દેતા હતા. તેવી જ રીતે 16મી ફેબ્રુઆરી માત્ર ખેડૂતો માટે જ 'અમાવસ્યા' છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને 'કૃષુ હડતાલ'નો આશરો લેવો જોઈએ. તેનાથી દેશને મોટો સંદેશ જશે.


હડતાલ શા માટે?


હડતાલનું આહવાન શા માટે કરવામાં આવ્યું તે અંગે પૂછતા ટિકૈતે જણાવ્યું કે અનેક કારણો છે. તેમણે કહ્યું કે MSPની ગેરંટી પર કાયદો, બેકારી, અગ્નિવીર યોજના, પેન્શન યોજના પણ નિવૃત લોકો માટે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે આ માત્ર ખેડૂતોનો એકલાનો મુદ્દો નહીં હોય પણ અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાના છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.