આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ કર્યું 'ભારત બંધ'નું એલાન, રાકેશ ટિકૈત જણાવ્યો શું છે પ્લાન?


  • Published By :
  • Published Date : 2024-01-25 17:00:27

આગામી 16 ફેબ્રુઆરીએ ખેડૂતોએ ભારત બંધનો નિર્ણય કર્યો છે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બુધવારે કહ્યું હતું કે ખેડૂતો 16 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં અનેક મુદ્દાઓ પર ભારત બંધ રાખવામાં આવશે. આ મુદ્દાઓમાં ખેડૂતોમાં ટેકાના ભાવ (MSP)ની ગેરંટી આપનારા દાયદાઓનો અમલ ન કરવાનો પણ સમાવેશ થાય છે. ભારતીય કિસાન  યુનિયન  (BKU) ના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના જુથો ઉપરાંત, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને પણ આંદોલનોનું સમર્થન કરવા અને તે દિવસે હડતાલમાં ઉતરવાની અપીલ કરીએ છિએ.

 

16 ફેબ્રુઆરીએ ભારત બંધ, રાકેશ ટિકૈતે શું કહ્યું?


રાકેશ ટિકૈતે કહ્યું કે અમે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું છે. ઘણા ખેડૂત જૂથો તેનો ભાગ છે, જેમાં સંયુક્ત કિસાન મોરચા (SKM)નો સમાવેશ થાય છે.  આ પહેલા પણ ખેડૂતો 'અમાવસ્યા'ના દિવસે ખેતરોમાં કામ કરવાનું બંધ કરી દેતા હતા. તેવી જ રીતે 16મી ફેબ્રુઆરી માત્ર ખેડૂતો માટે જ 'અમાવસ્યા' છે. તેઓએ તે દિવસે કામ ન કરવું જોઈએ અને 'કૃષુ હડતાલ'નો આશરો લેવો જોઈએ. તેનાથી દેશને મોટો સંદેશ જશે.


હડતાલ શા માટે?


હડતાલનું આહવાન શા માટે કરવામાં આવ્યું તે અંગે પૂછતા ટિકૈતે જણાવ્યું કે અનેક કારણો છે. તેમણે કહ્યું કે MSPની ગેરંટી પર કાયદો, બેકારી, અગ્નિવીર યોજના, પેન્શન યોજના પણ નિવૃત લોકો માટે મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે આ માત્ર ખેડૂતોનો એકલાનો મુદ્દો નહીં હોય પણ અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાના છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે