Niftyએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર 20,000 પોઈન્ટ પર પહોંચ્યો, અદાણી ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચ પર


  • Published By :
  • Published Date : 2023-09-11 22:09:11

G-20 સમિટ (G-20 Summit)ના સફળ આયોજનની અસર આજે શેર બજારમાં જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 20,008 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આખરે તે 176 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 19,996 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ તેનો રેકોર્ડ 19,991.85 પોઈન્ટનો હતો. BSE સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79% ના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયો. દરમિયાન, અદાણી ગ્રુપના શેરમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચે પહોંચ્યું હતું.


આજે કેટલી તેજી જોવા મળી?


અદાણી ગ્રૂપના પ્રમોટરોએ બે કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3.74%ના વધારા સાથે રૂ. 2614.55 પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી પાવરનો શેર 7.91%ના ઉછાળા સાથે રૂ. 398.50 પર બંધ રહ્યો હતો. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 200% વધ્યો છે. તેની 52-સપ્તાહની નીચી કિંમત 132.55 રૂપિયા છે જે 28 ફેબ્રુઆરી 2023ના રોજ પહોંચી હતી.


માર્કેટ કેપ કેટલે પહોંચ્યું?


અદાણી પોર્ટ્સ એન્ડ એસપીઝેડ (APSEZ)નો શેર 6.96%ના ઉછાળા સાથે રૂ. 882.55 પર બંધ થયો હતો. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નો શેર પણ 5.07% વધીને રૂ. 875.15 પર પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 2.23 ટકા, અદાણી વિલ્મર  (Adani Wilmar)માં 2.58 ટકા, NDTVમાં 5.80 ટકા, અંબુજા સિમેન્ટ્સ  (Ambuja Cements)માં 2.66 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 1.37 ટકા અને ACCમાં 1.15 ટકાની તેજી જોવા મળી હતી. આ સાથે જ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11.35 લાખ કરોડને વટાવી ગયું છે, જે સાત મહિનામાં તેની સર્વોચ્ચ સપાટી છે.  24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, ગ્રુપની અડધાથી વધુ માર્કેટ કેપ સ્વાહા થઈ ગયું હતું.



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .