Niftyએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર 20,000 પોઈન્ટ પર પહોંચ્યો, અદાણી ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચ પર


  • Published By :
  • Published Date : 2023-09-11 22:09:11

G-20 સમિટ (G-20 Summit)ના સફળ આયોજનની અસર આજે શેર બજારમાં જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 20,008 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આખરે તે 176 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 19,996 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ તેનો રેકોર્ડ 19,991.85 પોઈન્ટનો હતો. BSE સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79% ના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયો. દરમિયાન, અદાણી ગ્રુપના શેરમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચે પહોંચ્યું હતું.


આજે કેટલી તેજી જોવા મળી?


અદાણી ગ્રૂપના પ્રમોટરોએ બે કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3.74%ના વધારા સાથે રૂ. 2614.55 પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી પાવરનો શેર 7.91%ના ઉછાળા સાથે રૂ. 398.50 પર બંધ રહ્યો હતો. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 200% વધ્યો છે. તેની 52-સપ્તાહની નીચી કિંમત 132.55 રૂપિયા છે જે 28 ફેબ્રુઆરી 2023ના રોજ પહોંચી હતી.


માર્કેટ કેપ કેટલે પહોંચ્યું?


અદાણી પોર્ટ્સ એન્ડ એસપીઝેડ (APSEZ)નો શેર 6.96%ના ઉછાળા સાથે રૂ. 882.55 પર બંધ થયો હતો. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નો શેર પણ 5.07% વધીને રૂ. 875.15 પર પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 2.23 ટકા, અદાણી વિલ્મર  (Adani Wilmar)માં 2.58 ટકા, NDTVમાં 5.80 ટકા, અંબુજા સિમેન્ટ્સ  (Ambuja Cements)માં 2.66 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 1.37 ટકા અને ACCમાં 1.15 ટકાની તેજી જોવા મળી હતી. આ સાથે જ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11.35 લાખ કરોડને વટાવી ગયું છે, જે સાત મહિનામાં તેની સર્વોચ્ચ સપાટી છે.  24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, ગ્રુપની અડધાથી વધુ માર્કેટ કેપ સ્વાહા થઈ ગયું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.