Niftyએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર 20,000 પોઈન્ટ પર પહોંચ્યો, અદાણી ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચ પર


  • Published By :
  • Published Date : 2023-09-11 22:09:11

G-20 સમિટ (G-20 Summit)ના સફળ આયોજનની અસર આજે શેર બજારમાં જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ દિવસે, નિફ્ટીએ તેના ઇતિહાસમાં પ્રથમ વખત 20,000નો આંકડો પાર કર્યો હતો જ્યારે સેન્સેક્સમાં પણ 500 પોઈન્ટની તેજી જોવા મળી હતી. નિફ્ટી 50 ઈન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 20,008 પોઈન્ટ પર પહોંચ્યો હતો, જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. આખરે તે 176 પોઈન્ટ અથવા 0.79 ટકાના વધારા સાથે 19,996 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. અગાઉ તેનો રેકોર્ડ 19,991.85 પોઈન્ટનો હતો. BSE સેન્સેક્સ 528.17 પોઈન્ટ અથવા 0.79% ના વધારા સાથે 67,127.08 ના સ્તર પર બંધ થયો. દરમિયાન, અદાણી ગ્રુપના શેરમાં 10% સુધીનો વધારો જોવા મળ્યો હતો અને ગ્રુપનું માર્કેટ કેપ સાત મહિનાની ટોચે પહોંચ્યું હતું.


આજે કેટલી તેજી જોવા મળી?


અદાણી ગ્રૂપના પ્રમોટરોએ બે કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો છે. તેમાં જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનો સમાવેશ થાય છે. જેના કારણે આજે કંપનીના શેરમાં 10 ટકાનો વધારો થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 3.74%ના વધારા સાથે રૂ. 2614.55 પર બંધ થયો હતો. એ જ રીતે અદાણી પાવરનો શેર 7.91%ના ઉછાળા સાથે રૂ. 398.50 પર બંધ રહ્યો હતો. તે તેના 52-સપ્તાહના નીચલા સ્તરેથી 200% વધ્યો છે. તેની 52-સપ્તાહની નીચી કિંમત 132.55 રૂપિયા છે જે 28 ફેબ્રુઆરી 2023ના રોજ પહોંચી હતી.


માર્કેટ કેપ કેટલે પહોંચ્યું?


અદાણી પોર્ટ્સ એન્ડ એસપીઝેડ (APSEZ)નો શેર 6.96%ના ઉછાળા સાથે રૂ. 882.55 પર બંધ થયો હતો. અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission) નો શેર પણ 5.07% વધીને રૂ. 875.15 પર પહોંચ્યો હતો. અદાણી ટોટલ ગેસ (Adani Total Gas)માં 2.23 ટકા, અદાણી વિલ્મર  (Adani Wilmar)માં 2.58 ટકા, NDTVમાં 5.80 ટકા, અંબુજા સિમેન્ટ્સ  (Ambuja Cements)માં 2.66 ટકા, અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy) 1.37 ટકા અને ACCમાં 1.15 ટકાની તેજી જોવા મળી હતી. આ સાથે જ ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 11.35 લાખ કરોડને વટાવી ગયું છે, જે સાત મહિનામાં તેની સર્વોચ્ચ સપાટી છે.  24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટના કારણે, ગ્રુપની અડધાથી વધુ માર્કેટ કેપ સ્વાહા થઈ ગયું હતું.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.