શેરબજારમાં સતત ત્રીજા દિવસે પણ હાહાકાર! સેન્સેક્સમાં 571 પોઈન્ટનો કડાકો, NHPC 6% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2023-09-21 21:20:12

ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા સત્રમાં નુકસાન સાથે બંધ થયા હતા. BSEનો સેન્સેક્સ 570.60 પોઈન્ટ એટલે કે 0.85% ના ઘટાડા સાથે 66,230.24 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.8 ટકાના ઘટાડા સાથે 19,742.35 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે NHPCના શેર છ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં 3-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


આ કંપનીના શેરોમાં કડાકો જોવા મળ્યો


સેન્સેક્સ પર ICICI બેંકનો શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ITC, HCL ટેકમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય JSW સ્ટીલ, NTPC, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, મારુતિ અને વિપ્રોના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.


સેન્સેક્સ 1700 પોઈન્ટ તુટ્યો


લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેની 16 વર્ષની ટોચ તોડી હતી. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તુટી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.


સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 663 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ નુકસાન 1700 પોઈન્ટ પર પહોંચી ગયું છે.


શા માટે શેર બજાર તુટ્યું?  


યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર ચાલુ રાખી શકે છે. જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસીસીની વાત કરીએ તો બેંક, ઓટો અને ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .