શેરબજારમાં સતત ત્રીજા દિવસે પણ હાહાકાર! સેન્સેક્સમાં 571 પોઈન્ટનો કડાકો, NHPC 6% ઘટ્યો


  • Published By :
  • Published Date : 2023-09-21 21:20:12

ભારતીય શેરબજારો ગુરુવારે સતત ત્રીજા સત્રમાં નુકસાન સાથે બંધ થયા હતા. BSEનો સેન્સેક્સ 570.60 પોઈન્ટ એટલે કે 0.85% ના ઘટાડા સાથે 66,230.24 પોઈન્ટ ના સ્તર પર બંધ થયો હતો. એ જ રીતે NSEનો નિફ્ટી 159.05 પોઈન્ટ અથવા 0.8 ટકાના ઘટાડા સાથે 19,742.35 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. આજે NHPCના શેર છ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ICICI બેંકના શેરમાં 3-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.


આ કંપનીના શેરોમાં કડાકો જોવા મળ્યો


સેન્સેક્સ પર ICICI બેંકનો શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયો. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, SBI, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર બે ટકાથી વધુના નુકસાન સાથે બંધ થયા હતા. આ સિવાય કોટક મહિન્દ્રા બેંક, ટાટા મોટર્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, પાવરગ્રીડ, ITC, HCL ટેકમાં એક-એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય JSW સ્ટીલ, NTPC, બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, મારુતિ અને વિપ્રોના શેર લાલ નિશાન સાથે બંધ થયા હતા.


સેન્સેક્સ 1700 પોઈન્ટ તુટ્યો


લગભગ એક અઠવાડિયા પહેલા, શેરબજારે સતત તેજી બતાવીને તેની 16 વર્ષની ટોચ તોડી હતી. વર્ષ 2007 પછી શેરબજારમાં આટલો લાંબો ઉછાળો જોવા મળ્યો હતો. જે છેલ્લા ત્રણ દિવસમાં 1600થી વધુ પોઈન્ટ્સ તુટી ગયો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોને 5.80 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે.


સોમવારે સેન્સેક્સ 242 પોઈન્ટ તૂટ્યો હતો. મંગળવારે બજાર બંધ રહ્યું હતું અને બુધવારે સેન્સેક્સમાં 796 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને ગુરુવારે એટલે કે આજે સેન્સેક્સમાં 663 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે આ સપ્તાહે કુલ નુકસાન 1700 પોઈન્ટ પર પહોંચી ગયું છે.


શા માટે શેર બજાર તુટ્યું?  


યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે લાંબા સમય સુધી ઊંચા વ્યાજદર ચાલુ રાખી શકે છે. જેના કારણે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેક્ટોરલ ઈન્ડાઈસીસીની વાત કરીએ તો બેંક, ઓટો અને ફાર્મા સેક્ટરના શેરમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.