Suratમાં નિલેશ કુંભાણીનો થયો વિરોધ, કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે તેમના ઘરે પહોંચ્યા, બેનરોમાં લખ્યું - જનતાનો ગદ્દાર..


  • Published By :
  • Published Date : 2024-04-23 14:50:10

પાંચ વર્ષે મતદાન કરવાનો અધિકાર મતદાતાઓને મળતો હોય છે.. મતદાન કરવા માટે મતદાતાઓને ઉત્સાહ રહેલો હોય છે.. ચૂંટણીને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે પરંતુ સુરતવાસીઓને આ વખતે મતદાન કરવાનો મોકો નહીં મળે.. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે... જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી નિલેશ કુંભાણીનો સંપર્ક નથી થઈ રહ્યો તેવી માહિતી સામે આવી છે. ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે.   

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા 

ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા તો ખરા પરંતુ ત્યાં જબરો ખેલ થઈ ગયો. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું અને બાકી બીજા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા.. કોઈ ઉમેદવાર ના હોવાને કારણે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. આ બધા વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.   


બેનરો લગાવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ 

કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે નિલેશ કુંભાણીનો વિરોધ કર્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું હતું જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો... કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિરોધ કર્યો હતો તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે બાદ મતદાતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.. વિરોધ કરવા આવેલા કાર્યકર્તાઓ ગુસ્સામાં દેખાયા હતા.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.. હવે સૌ કોઈની નજર એની પર રહેલી છે કે શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે કે આવા સમાચાર અફવાઓ છે...



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે