Suratમાં નિલેશ કુંભાણીનો થયો વિરોધ, કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે તેમના ઘરે પહોંચ્યા, બેનરોમાં લખ્યું - જનતાનો ગદ્દાર..


  • Published By :
  • Published Date : 2024-04-23 14:50:10

પાંચ વર્ષે મતદાન કરવાનો અધિકાર મતદાતાઓને મળતો હોય છે.. મતદાન કરવા માટે મતદાતાઓને ઉત્સાહ રહેલો હોય છે.. ચૂંટણીને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે પરંતુ સુરતવાસીઓને આ વખતે મતદાન કરવાનો મોકો નહીં મળે.. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે... જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી નિલેશ કુંભાણીનો સંપર્ક નથી થઈ રહ્યો તેવી માહિતી સામે આવી છે. ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે.   

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા 

ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા તો ખરા પરંતુ ત્યાં જબરો ખેલ થઈ ગયો. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું અને બાકી બીજા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા.. કોઈ ઉમેદવાર ના હોવાને કારણે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. આ બધા વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.   


બેનરો લગાવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ 

કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે નિલેશ કુંભાણીનો વિરોધ કર્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું હતું જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો... કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિરોધ કર્યો હતો તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે બાદ મતદાતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.. વિરોધ કરવા આવેલા કાર્યકર્તાઓ ગુસ્સામાં દેખાયા હતા.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.. હવે સૌ કોઈની નજર એની પર રહેલી છે કે શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે કે આવા સમાચાર અફવાઓ છે...



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.