Suratમાં નિલેશ કુંભાણીનો થયો વિરોધ, કોંગ્રેસના કાર્યકરો બેનરો સાથે તેમના ઘરે પહોંચ્યા, બેનરોમાં લખ્યું - જનતાનો ગદ્દાર..


  • Published By :
  • Published Date : 2024-04-23 14:50:10

પાંચ વર્ષે મતદાન કરવાનો અધિકાર મતદાતાઓને મળતો હોય છે.. મતદાન કરવા માટે મતદાતાઓને ઉત્સાહ રહેલો હોય છે.. ચૂંટણીને લોકશાહીનો પર્વ કહેવામાં આવે છે પરંતુ સુરતવાસીઓને આ વખતે મતદાન કરવાનો મોકો નહીં મળે.. ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે... જ્યારથી આ સમાચાર સામે આવ્યા છે ત્યારથી નિલેશ કુંભાણીનો સંપર્ક નથી થઈ રહ્યો તેવી માહિતી સામે આવી છે. ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે.. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હોય તેવી વાત સામે આવી છે.   

સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા 

ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 24 બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા તો ખરા પરંતુ ત્યાં જબરો ખેલ થઈ ગયો. ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું અને બાકી બીજા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા.. કોઈ ઉમેદવાર ના હોવાને કારણે સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા. આ બધા વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી રહી છે. નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.   


બેનરો લગાવી કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ 

કોંગ્રેસના કાર્યકરોએ બેનરો સાથે નિલેશ કુંભાણીનો વિરોધ કર્યો હતો. બેનરોમાં લખવામાં આવ્યું હતું જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો... કાર્યકર્તાઓ નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે વિરોધ કર્યો હતો તેવી માહિતી સામે આવી છે... મહત્વનું છે કે સુરતમાં જે ઘટના બની તે બાદ મતદાતાઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે.. વિરોધ કરવા આવેલા કાર્યકર્તાઓ ગુસ્સામાં દેખાયા હતા.. મહત્વનું છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.. હવે સૌ કોઈની નજર એની પર રહેલી છે કે શું નિલેશ કુંભાણી ભાજપમાં જોડાય છે કે આવા સમાચાર અફવાઓ છે...



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે