Kerelaમાં નિપાહ વાયરસનો હાહાકાર! રાજ્યમાં અત્યાર સુધી આટલા લોકોના મોત, એલર્ટ કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-09-13 16:25:07

એક સમયે કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા.  અનેક પરિવારો કોરોનાને કારણે વિખેરાઈ ગયા હતા. કોરોના પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. નિપાહ વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી વધુ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 



આ વાયરસ કેવી રીતે ફેલાય છે? 

કેરળમાં બે લોકોના મોત તાવ આવવાને કારણે થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેના મોત નિપાહ વાયરસને કારણે થયા છે. નિપાહ વાયરસને કારણે આ મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસ અંગેની વાત કરીએ તો આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વાયરસ માણસોમાં જાનવરોથી ફેલાય છે. ચામાચિડિયાને કારણે મુખ્યત્વે આ રોગ , આ વાયરસ ફેલાય છે. આ વાયરસને જૂનોક વાયરસ તરીકે પણ ઓખળવવામાં આવે છે.  



અનેક નિયમોને કરાયા જાહેર 

નિપાહ વાયરસના દર્દીની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 4 કેસ નોંધાયા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે એસેમ્બલીમાં જણાવ્યું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ કેરળ આવશે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિપાહ વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી કોઝિકોડના જિલ્લા અધિકારીએ અનેક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ 7 પંચાયતોમાં બેંકો, સરકારી તેમજ શૈક્ષણિક ઓફિસો બંધ રહેશે. તે સિવાય આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના 7 વાગ્યા સુધી સાજંના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  



વધુ બે દર્દીની આવ્યા વાયરસની ઝપેટમાં!

નિપાહ વાયરસને કારણે જે બે લોકોના મોત થયા છે. પ્રથમ મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું જ્યારે બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. બંને મૃતકોના સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈવી આ સેમ્પલનું પરિષણ કરશે. જે બીજા બે દર્દી આ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમાં 9 વર્ષના બાળકનો તેમજ 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.