Kerelaમાં નિપાહ વાયરસનો હાહાકાર! રાજ્યમાં અત્યાર સુધી આટલા લોકોના મોત, એલર્ટ કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-09-13 16:25:07

એક સમયે કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા.  અનેક પરિવારો કોરોનાને કારણે વિખેરાઈ ગયા હતા. કોરોના પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. નિપાહ વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી વધુ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 



આ વાયરસ કેવી રીતે ફેલાય છે? 

કેરળમાં બે લોકોના મોત તાવ આવવાને કારણે થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેના મોત નિપાહ વાયરસને કારણે થયા છે. નિપાહ વાયરસને કારણે આ મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસ અંગેની વાત કરીએ તો આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વાયરસ માણસોમાં જાનવરોથી ફેલાય છે. ચામાચિડિયાને કારણે મુખ્યત્વે આ રોગ , આ વાયરસ ફેલાય છે. આ વાયરસને જૂનોક વાયરસ તરીકે પણ ઓખળવવામાં આવે છે.  



અનેક નિયમોને કરાયા જાહેર 

નિપાહ વાયરસના દર્દીની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 4 કેસ નોંધાયા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે એસેમ્બલીમાં જણાવ્યું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ કેરળ આવશે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિપાહ વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી કોઝિકોડના જિલ્લા અધિકારીએ અનેક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ 7 પંચાયતોમાં બેંકો, સરકારી તેમજ શૈક્ષણિક ઓફિસો બંધ રહેશે. તે સિવાય આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના 7 વાગ્યા સુધી સાજંના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  



વધુ બે દર્દીની આવ્યા વાયરસની ઝપેટમાં!

નિપાહ વાયરસને કારણે જે બે લોકોના મોત થયા છે. પ્રથમ મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું જ્યારે બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. બંને મૃતકોના સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈવી આ સેમ્પલનું પરિષણ કરશે. જે બીજા બે દર્દી આ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમાં 9 વર્ષના બાળકનો તેમજ 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.  




ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?