Kerelaમાં નિપાહ વાયરસનો હાહાકાર! રાજ્યમાં અત્યાર સુધી આટલા લોકોના મોત, એલર્ટ કરાયું જાહેર


  • Published By :
  • Published Date : 2023-09-13 16:25:07

એક સમયે કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા હતા.  અનેક પરિવારો કોરોનાને કારણે વિખેરાઈ ગયા હતા. કોરોના પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે હવે નિપાહ વાયરસે ચિંતા વધારી છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસને કારણે બે લોકોના મોત થયા છે. નિપાહ વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખી વધુ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 



આ વાયરસ કેવી રીતે ફેલાય છે? 

કેરળમાં બે લોકોના મોત તાવ આવવાને કારણે થયા છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંનેના મોત નિપાહ વાયરસને કારણે થયા છે. નિપાહ વાયરસને કારણે આ મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નિપાહ વાયરસ અંગેની વાત કરીએ તો આ વાયરસ માણસથી માણસમાં ફેલાઈ શકે છે. એવી પણ માહિતી સામે આવી છે કે આ વાયરસ માણસોમાં જાનવરોથી ફેલાય છે. ચામાચિડિયાને કારણે મુખ્યત્વે આ રોગ , આ વાયરસ ફેલાય છે. આ વાયરસને જૂનોક વાયરસ તરીકે પણ ઓખળવવામાં આવે છે.  



અનેક નિયમોને કરાયા જાહેર 

નિપાહ વાયરસના દર્દીની વાત કરીએ તો કેરળમાં અત્યાર સુધી 4 કેસ નોંધાયા છે, જેમાંથી બે લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે બુધવારે એસેમ્બલીમાં જણાવ્યું કે નિપાહ વાયરસની તપાસ કરવા પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની ટીમ કેરળ આવશે અને આ અંગે વધુ તપાસ હાથ ધરાશે. ન્યુઝ એજન્સી પીટીઆઈ અનુસાર નિપાહ વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખી કોઝિકોડના જિલ્લા અધિકારીએ અનેક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ 7 પંચાયતોમાં બેંકો, સરકારી તેમજ શૈક્ષણિક ઓફિસો બંધ રહેશે. તે સિવાય આંગણવાડી કેન્દ્રો પણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો સવારના 7 વાગ્યા સુધી સાજંના 5 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.  



વધુ બે દર્દીની આવ્યા વાયરસની ઝપેટમાં!

નિપાહ વાયરસને કારણે જે બે લોકોના મોત થયા છે. પ્રથમ મોત 30 ઓગસ્ટના રોજ થયું હતું જ્યારે બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. બંને મૃતકોના સેમ્પલને ટેસ્ટ માટે લેબમાં મોકલી દેવામાં આવ્યા છે. એનઆઈવી આ સેમ્પલનું પરિષણ કરશે. જે બીજા બે દર્દી આ વાયરસની ચપેટમાં આવ્યા છે તેમાં 9 વર્ષના બાળકનો તેમજ 24 વર્ષના યુવાનનો સમાવેશ થાય છે.  




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .