કેરળમાં નિપાહનું બાંગ્લાદેશી વેરિયેન્ટ મળ્યું, 2 લોકોના મોત, સ્કૂલ-કોલેજ બે દિવસ માટે બંધ


  • Published By :
  • Published Date : 2023-09-14 19:03:00

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા કેસ વચ્ચે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેરળમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. એક નવ વર્ષનું બાળક આઈસીયુમાં છે. જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા

 

આરોગ્યકર્મી પણ નિપાહની ઝપેટમાં 


કેરળમાં આરોગ્યકર્મી પણ નિપાહ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ રાજ્યમાં નિપાહ વાયરસના એક્ટિવ કેસ વધીને 5 થઈ ગયા છે. ગુરૂવારે સેન્ટ્રલ હેલ્થ ટીમ કેરળના કોઝિકોડ પહોંચી છે. આ ટીમ જિલ્લા વહીવટી તંત્રની સાથે નિપાહ વાયરસ અંગે ચર્ચા કરશે. બુધવારે કોઝિકોટ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસની તપાસ માટે મરૂથોંકારા ગામમાંથી સોપારી અને અમરૂદના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા પ્રમાણે કેરળમાં જે વાયરસની પુષ્ટી થઈ છે તે બાંગ્લાદેશી વેરિયેન્ટ છે, અને તે માણસો દ્વારા માણસોમાં ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર વધુ છે,જો કે તે ઓછો સંક્રામક છે. 


આરોગ્ય વિભાગની ચિંતા વધી


કેરળમાં નિપાહ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે.મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત 30 ઓગસ્ટ અને બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. વાયરસ અંગે કેરળના 4 જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ અને જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.