કેરળમાં નિપાહનું બાંગ્લાદેશી વેરિયેન્ટ મળ્યું, 2 લોકોના મોત, સ્કૂલ-કોલેજ બે દિવસ માટે બંધ


  • Published By :
  • Published Date : 2023-09-14 19:03:00

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા કેસ વચ્ચે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેરળમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. એક નવ વર્ષનું બાળક આઈસીયુમાં છે. જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા

 

આરોગ્યકર્મી પણ નિપાહની ઝપેટમાં 


કેરળમાં આરોગ્યકર્મી પણ નિપાહ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ રાજ્યમાં નિપાહ વાયરસના એક્ટિવ કેસ વધીને 5 થઈ ગયા છે. ગુરૂવારે સેન્ટ્રલ હેલ્થ ટીમ કેરળના કોઝિકોડ પહોંચી છે. આ ટીમ જિલ્લા વહીવટી તંત્રની સાથે નિપાહ વાયરસ અંગે ચર્ચા કરશે. બુધવારે કોઝિકોટ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસની તપાસ માટે મરૂથોંકારા ગામમાંથી સોપારી અને અમરૂદના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા પ્રમાણે કેરળમાં જે વાયરસની પુષ્ટી થઈ છે તે બાંગ્લાદેશી વેરિયેન્ટ છે, અને તે માણસો દ્વારા માણસોમાં ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર વધુ છે,જો કે તે ઓછો સંક્રામક છે. 


આરોગ્ય વિભાગની ચિંતા વધી


કેરળમાં નિપાહ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે.મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત 30 ઓગસ્ટ અને બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. વાયરસ અંગે કેરળના 4 જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ અને જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.