કેરળમાં નિપાહનું બાંગ્લાદેશી વેરિયેન્ટ મળ્યું, 2 લોકોના મોત, સ્કૂલ-કોલેજ બે દિવસ માટે બંધ


  • Published By :
  • Published Date : 2023-09-14 19:03:00

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા કેસ વચ્ચે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેરળમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. એક નવ વર્ષનું બાળક આઈસીયુમાં છે. જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા

 

આરોગ્યકર્મી પણ નિપાહની ઝપેટમાં 


કેરળમાં આરોગ્યકર્મી પણ નિપાહ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ રાજ્યમાં નિપાહ વાયરસના એક્ટિવ કેસ વધીને 5 થઈ ગયા છે. ગુરૂવારે સેન્ટ્રલ હેલ્થ ટીમ કેરળના કોઝિકોડ પહોંચી છે. આ ટીમ જિલ્લા વહીવટી તંત્રની સાથે નિપાહ વાયરસ અંગે ચર્ચા કરશે. બુધવારે કોઝિકોટ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસની તપાસ માટે મરૂથોંકારા ગામમાંથી સોપારી અને અમરૂદના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા પ્રમાણે કેરળમાં જે વાયરસની પુષ્ટી થઈ છે તે બાંગ્લાદેશી વેરિયેન્ટ છે, અને તે માણસો દ્વારા માણસોમાં ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર વધુ છે,જો કે તે ઓછો સંક્રામક છે. 


આરોગ્ય વિભાગની ચિંતા વધી


કેરળમાં નિપાહ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે.મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત 30 ઓગસ્ટ અને બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. વાયરસ અંગે કેરળના 4 જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ અને જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .