કેરળમાં નિપાહનું બાંગ્લાદેશી વેરિયેન્ટ મળ્યું, 2 લોકોના મોત, સ્કૂલ-કોલેજ બે દિવસ માટે બંધ


  • Published By :
  • Published Date : 2023-09-14 19:03:00

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના વધતા કેસ વચ્ચે આજે ગુરૂવાર 14 સપ્ટેમ્બરના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેરળમાં બે લોકોના મોત થઈ ચુક્યા છે. એક નવ વર્ષનું બાળક આઈસીયુમાં છે. જેની સારવાર માટે સરકારે ICMR પાસેથી મોનોક્લોનલ એન્ટિબોડીઝ મંગાવી છે. બાળક વેન્ટિલેટર સપોર્ટ પર છે. 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા.ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં કેરળમાં પ્રથમ વખત નિપાહ ફેલાયો હતો. તે સમયગાળા દરમિયાન, 18 દર્દીઓમાંથી 17 મૃત્યુ પામ્યા હતા. આથી રાજ્યમાં ફરી એકવાર સંક્રમણ ફેલાતા ભયનું વાતાવરણ છે. બાદમાં 2019 અને 2021માં પણ તેનાથી સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા

 

આરોગ્યકર્મી પણ નિપાહની ઝપેટમાં 


કેરળમાં આરોગ્યકર્મી પણ નિપાહ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. આ સાથે જ રાજ્યમાં નિપાહ વાયરસના એક્ટિવ કેસ વધીને 5 થઈ ગયા છે. ગુરૂવારે સેન્ટ્રલ હેલ્થ ટીમ કેરળના કોઝિકોડ પહોંચી છે. આ ટીમ જિલ્લા વહીવટી તંત્રની સાથે નિપાહ વાયરસ અંગે ચર્ચા કરશે. બુધવારે કોઝિકોટ મેડિકલ કોલેજની એક ટીમે નિપાહ વાયરસની તપાસ માટે મરૂથોંકારા ગામમાંથી સોપારી અને અમરૂદના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જના જણાવ્યા પ્રમાણે કેરળમાં જે વાયરસની પુષ્ટી થઈ છે તે બાંગ્લાદેશી વેરિયેન્ટ છે, અને તે માણસો દ્વારા માણસોમાં ફેલાય છે. આ વાયરસમાં મૃત્યુદર વધુ છે,જો કે તે ઓછો સંક્રામક છે. 


આરોગ્ય વિભાગની ચિંતા વધી


કેરળમાં નિપાહ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતા વધવા લાગી છે.આ સાથે રાજ્યમાં નિપાહના દર્દીઓની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે.રાજ્યના આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ચેપને ફેલાતો રોકવા માટે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવ્યા છે. દર્દીઓના સંપર્કમાં આવેલા 700 જેટલા લોકોની યાદી બનાવવામાં આવી છે. તેમાંથી 77 લોકોને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. નિપાહ વાયરસના ચેપને કારણે રાજ્યમાં બે દર્દીઓના મોત પણ થયા છે.મંત્રીએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે સમગ્ર રાજ્યમાં ચેપ ફેલાઈ જવાનો ભય છે. રાજ્યએ ચેપને રોકવા માટે ઘણા પગલાં લીધાં છે. હાઈ રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવેલા લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે પહેલું મોત 30 ઓગસ્ટ અને બીજું મોત 11 સપ્ટેમ્બરના રોજ થયું હતું. વાયરસ અંગે કેરળના 4 જિલ્લા કોઝિકોડ, વાયનાડ અને મલપ્પુરમ એલર્ટ પર છે. હોસ્પિટલોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી દવાઓ અને જરૂરી ચીજોની દુકાનો ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવી છે. 



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.