નિર્મલા સીતારમણ મંદિરના લાઈવ પ્રસારણ પર પ્રતિબંધથી નારાજ, તમિલનાડુ સરકારના નિર્ણયને ગણાવ્યો હિન્દુ વિરોધી


  • Published By :
  • Published Date : 2024-01-21 16:16:49

રામની નગરી અયોધ્યામાં આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે હે રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જે આખા દેશમાં ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. પરંતુ નાણામંત્રી નિર્મલા સીતારમણે તમિલનાડુમાં રામ મંદિરના કાર્યક્રમોનું પ્રસારણ રોકવા માટે તમિલનાડુ સરકાર સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારના આ નિર્ણયને હિન્દુ વિરોધી ગણાવ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ તેમના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકવાની સાથે રાજ્ય સરકાર રાજ્યભરના મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો પંડાલો તોડી પાડવાની ધમકી આપી રહી છે.

 

મંત્રીએ આરોપો ફગાવ્યા


HR&CE મંત્રી શેખર બાબુએ નાણામંત્રીના નિવેદનને રદિયો આપ્યો છે. તેણે લખ્યું, 'DMKની યુવા પાંખના સંમેલનમાંથી ધ્યાન હટાવવા માટે આ અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. ⁠HR&CE એ તમિલનાડુના કોઈપણ મંદિરમાં પૂજા કરવા અથવા રામ માટે અન્નધનમ અર્પણ કરવા પર કોઈ પ્રતિબંધ લાદ્યો નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે નિર્મલા સીતારમણ જેવા લોકો અફવા ફેલાવી રહ્યા છે જે સત્યની વિરુદ્ધ છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે