Nirmala Sitharamanએ સંભાળ્યો કેન્દ્રીય નાણામંત્રી તરીકેનો કાર્યભાર, ગુજરાતના સાંસદો જેમને મંત્રી પદ આપવામાં આવ્યું તેમની પાસેથી એટલી અપેક્ષા કે...


  • Published By :
  • Published Date : 2024-06-12 13:16:24

રવિવારે પ્રધાનમંત્રી સહિત 72 મંત્રીઓએ શપથ લીધા. શપથ લીધાના થોડા કલાકોની અંદર મંત્રીઓને ખાતા ફાળવવામાં આવ્યા. અનેક મંત્રીઓ જે પદ પર હતા, જે ખાતા તેમની પાસે હતા તે જ ખાતા તેમને આપવામાં આવ્યા છે. અનેક નવા ખાતાઓ ઉમેરાયા છે. ગુજરાતમાંથી મંત્રી બનેલા સાંસદોની વાત કરીએ તો અમિત શાહને કેન્દ્રીય ગૃહમંત્રાલયની સાથે સાથે સહકારીતા મંત્રાલય પણ આપવામાં આવ્યું છે. મનસુખ માંડવિયાને શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ રમત ગમત ખાતું આપવામાં આવ્યું છે. તે સિવાય સી.આર.પાટીલને જળ શક્તિ મંત્રાલય આપવામાં આવ્યું છે. 

નિર્મલા સીતારમણે સંભાળ્યો કેન્દ્રીય નાણામંત્રી તરીકેનો ચાર્જ

અનેક મંત્રીઓએ પોતાનો હોદ્દો સંભાળી લીધો છે જ્યારે અનેક મંત્રીઓ આજે હોદ્દો સંભાળી રહ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમનો કાર્યભાર સ્વીકારી લીધો છે. અનેક મંત્રીઓ એવા છે જેમની પાસે હજારો કરોડની સંપત્તિ છે. ત્યારે સવાલ થાય કે શું તે સામાન્ય માણસની પીડાને સમજી શકશે? થોડા સમય પહેલા જ્યારે ડુંગળીના ભાવને લઈ નિર્મલા સીતારમણને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે ડુંગળી નથી ખાતા, એટલે તેમને ભાવની ખબર નથી..! મંત્રી જ્યારે આવું કહે છે ત્યારે આપણા મનમાં કેવો વિચાર આવે તે આપણે જાણીએ છીએ..

અમિત શાહ પાસેથી એટલી આશા કે.. 

વાત આપણે ગુજરાતના સાંસદો જેમને મંત્રી પદ મળ્યું છે તેની વાત કરીએ.. અમિત શાહ ગૃહમંત્રી તો છે પરંતુ સાથે સાથે તે સહકારીતા મંત્રાલય પણ સંભાળે છે. અમિત શાહ ખેડૂતોને સહકાર આપે તે જરૂરી છે. જ્યારે કોઈ વસ્તુ માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત કંપની નક્કી કરે છે પરંતુ જ્યારે ખેતી ઉત્પાદકની વાત આવે છે ત્યારે તેની કિંમત ખેડૂતો નક્કી નથી કરતા. અનેક વખત ખેડૂતોને રડવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતોને પણ સહકાર મળે અને ગામનો પણ ઉદ્ધાર થાય તેવા પ્રયત્નો અમિત શાહ કરશે તેવી આશા. 


રમત ગમતમાં યુવાઓને ઈન્ટરેસ્ટ જાગે... 

મનસુખ માંડવિયા પાસે પણ ખૂબ મહત્વના મંત્રાલયો છે. શ્રમ અને રોજગાર મંત્રાલય તેમજ રમત ગમત મંત્રાલય છે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજાવાની છે પરંતુ ગુજરાત પાસે એવા રમતવીરો નથી કારણ કે શાળાઓમાં એવા ગ્રાઉન્ડ નથી, શિક્ષકો નથી જે યુવાનોને ટ્રેનિંગ આપી શકે..! ત્યારે યુવાઓમાં રમત ગમતને લઈ ઈચ્છા જાગે, તે આમાં કેરિયર બનાવે તે માટે પ્રયત્નો કરવામાં આવી શકે છે.. ઘણી સારી તકો છે મનસુખ માંડવિયા પાસે જેમાં તે આગળ યુવાનોને વધારી શકે છે. શ્રમનું સન્માન થાય તેવા પ્રયત્નો તે કરી શકે છે.. 


નલ સે જલ યોજનામાં આચરવામાં આવ્યો છે ભ્રષ્ટાચાર!  

તે સિવાય જળ શક્તિ મંત્રાલય સી.આર.પાટીલને સોંપવામાં આવ્યું છે. જળ છે તો જીવન છે તેવી વાતો આપણે સાંભળતા આવીએ છીએ. પરંતુ આજે ગુજરાતના જ અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે.. અનેક વિસ્તારો એવા છે જ્યાં નળ તો પહોંચ્યો છે પંરતુ પાણી નથી પહોંચ્યું.. કાગળ પર નલ સે જલ યોજના 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ વાસ્તવિક્તા શું છે તે આપણે જાણીએ છીએ.. આ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે દેશમાં આવી પરિસ્થિતિ ના સર્જાય તેવી આશા સી.આર.પાટીલ પાસેથી રાખી રહ્યા છીએ. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો.. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.