4 રાજ્યોથી આવી રહેલા રિઝલ્ટ પર Rajasthanના સહપ્રભારી Nitin Patel તેમજ ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-12-03 13:35:51

ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા માટે મતગણતરી ચાલી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી જીતની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ભાજપની સરકાર બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા છે. દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.    

રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા 

રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહ્યું છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજસ્થાનના પ્રભારીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે."



દરેક ઘરમાં મોદી સરકારનું કામ પહોંચ્યું છે - ઋષિકેશ પટેલ  

નીતિન પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યું છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ પીએમ મોદીને ચાહે છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.