4 રાજ્યોથી આવી રહેલા રિઝલ્ટ પર Rajasthanના સહપ્રભારી Nitin Patel તેમજ ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-12-03 13:35:51

ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા માટે મતગણતરી ચાલી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી જીતની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ભાજપની સરકાર બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા છે. દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.    

રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા 

રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહ્યું છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજસ્થાનના પ્રભારીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે."



દરેક ઘરમાં મોદી સરકારનું કામ પહોંચ્યું છે - ઋષિકેશ પટેલ  

નીતિન પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યું છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ પીએમ મોદીને ચાહે છે.   




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.