4 રાજ્યોથી આવી રહેલા રિઝલ્ટ પર Rajasthanના સહપ્રભારી Nitin Patel તેમજ ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું તેમણે?


  • Published By :
  • Published Date : 2023-12-03 13:35:51

ચાર રાજ્યો માટે મતગણતરી ચાલી રહી છે. છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા માટે મતગણતરી ચાલી રહી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અલગ અલગ જગ્યાઓ પરથી જીતની ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે ભાજપની સરકાર બનશે તેવા સંકેતો મળી રહ્યા છે. ગુજરાતના કાર્યકર્તાઓ ગરબાના તાલે ઝુમી ઉઠ્યા છે. દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં કાર્યકર્તાઓ જીતની ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.    

રાજસ્થાનના સહપ્રભારી નીતિન પટેલે આપી પ્રતિક્રિયા 

રાજસ્થાન, છત્તીસગઢ તેમજ મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર બનાવી રહ્યું છે તેવા સંકેતો હાલ મળી રહ્યા છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજસ્થાનના પ્રભારીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં ઘણા સમયથી ભારતની જનતા જેની રાહ જોતી હતી તે શુભ દિવસ આજે છે. આજે 4 રાજ્યોમાં ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે "રાજસ્થાનની જનતાએ કોંગ્રેસની ભ્રષ્ટ સરકારને હટાવવા માટે ભાજપને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને મને આનંદ છે કે રાજસ્થાનની જનતા અને કાર્યકરોએ અમારી સરકાર બનાવી છે. હવે ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ અમારી સરકાર કામ કરશે અને રાજસ્થાનનો વિકાસ થશે."



દરેક ઘરમાં મોદી સરકારનું કામ પહોંચ્યું છે - ઋષિકેશ પટેલ  

નીતિન પટેલ ઉપરાંત ઋષિકેશ પટેલે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે જેમ આશા હતી તેવા પરિણામો આવ્યા છે. પરિણામો ખૂબ સારા છે. દરેક ઘરમાં ભાજપ અને મોદી સરકારનું કામ પહોંચ્યું છે. નવી નવી યોજનાઓ દરેક લોકો સુધી પહોંચી છે. દેશ પીએમ મોદીને ચાહે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.