કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ આવતી કાલે કેસરીયા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 19:24:06

વિધાનસભાની ચૂંટણી પહેલા આયારામ ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવાની ફિરાકમાં છે. ભાજપ પણ આ નેતાઓનું બે હાથ ફેલાવીને સ્વાગત કરે છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા હતા, હવે વધુ એક કોંગ્રેસી નેતા કેસરીયો ખેસ ધારણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે.


પાટીલની હાજરીમાં નીતિન પટેલ ભાજપમાં જોડાશે


ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ કાલે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના નેતા નીતિન પટેલ વર્ષ 2017માં નારણપુરા બેઠક પર ચૂંટણી લડ્યા હતા પણ ભાજપના કૌશિક પટેલ સામે હારી ગયા હતા.


કૌશિક પટેલનું પત્તુ કપાશે


ભાજપના વર્તમાન ધારાસભ્ય કૌશિક પટેલને ભાજપ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ નહીં આપે તેવું પાર્ટી વર્તુળોનું કહેવું છે. આમ પણ કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ભાજપ આ વખતની ચૂંટણીમાં કોઈ નવા ઉમેદવારની શોધમાં છે. હવે જ્યારે  કૌશિક પટેલ ભાજપમાં જોડાશે તો તેમને નારણપુરા સીટીની ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.