કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ આવતી કાલે કેસરીયા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 19:24:06

વિધાનસભાની ચૂંટણી પહેલા આયારામ ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવાની ફિરાકમાં છે. ભાજપ પણ આ નેતાઓનું બે હાથ ફેલાવીને સ્વાગત કરે છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા હતા, હવે વધુ એક કોંગ્રેસી નેતા કેસરીયો ખેસ ધારણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે.


પાટીલની હાજરીમાં નીતિન પટેલ ભાજપમાં જોડાશે


ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ કાલે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના નેતા નીતિન પટેલ વર્ષ 2017માં નારણપુરા બેઠક પર ચૂંટણી લડ્યા હતા પણ ભાજપના કૌશિક પટેલ સામે હારી ગયા હતા.


કૌશિક પટેલનું પત્તુ કપાશે


ભાજપના વર્તમાન ધારાસભ્ય કૌશિક પટેલને ભાજપ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ નહીં આપે તેવું પાર્ટી વર્તુળોનું કહેવું છે. આમ પણ કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ભાજપ આ વખતની ચૂંટણીમાં કોઈ નવા ઉમેદવારની શોધમાં છે. હવે જ્યારે  કૌશિક પટેલ ભાજપમાં જોડાશે તો તેમને નારણપુરા સીટીની ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.