કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ આવતી કાલે કેસરીયા કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-22 19:24:06

વિધાનસભાની ચૂંટણી પહેલા આયારામ ગયારામનું રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવાની ફિરાકમાં છે. ભાજપ પણ આ નેતાઓનું બે હાથ ફેલાવીને સ્વાગત કરે છે. તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ભાજપમાં જોડાયા હતા, હવે વધુ એક કોંગ્રેસી નેતા કેસરીયો ખેસ ધારણ કરે તેવું માનવામાં આવી રહ્યું છે.


પાટીલની હાજરીમાં નીતિન પટેલ ભાજપમાં જોડાશે


ભાજપના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર નીતિન પટેલ કાલે ભાજપમાં જોડાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં તે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના નેતા નીતિન પટેલ વર્ષ 2017માં નારણપુરા બેઠક પર ચૂંટણી લડ્યા હતા પણ ભાજપના કૌશિક પટેલ સામે હારી ગયા હતા.


કૌશિક પટેલનું પત્તુ કપાશે


ભાજપના વર્તમાન ધારાસભ્ય કૌશિક પટેલને ભાજપ નારણપુરા બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ નહીં આપે તેવું પાર્ટી વર્તુળોનું કહેવું છે. આમ પણ કૌશિક પટેલની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ભાજપ આ વખતની ચૂંટણીમાં કોઈ નવા ઉમેદવારની શોધમાં છે. હવે જ્યારે  કૌશિક પટેલ ભાજપમાં જોડાશે તો તેમને નારણપુરા સીટીની ટિકિટ મળવાની શક્યતા વધી જાય છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"