Kadiનાં કાર્યક્રમ દરમિયાન Nitin Patel એ જાહેર મંચ પરથી BJPનો જૂથવાદ ખુલ્લો પાડ્યો? સાંભળો નીતિન પટેલના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-03-13 12:49:24

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઈન્કાર કરી દીધો છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય. નીતિન પટેલે થોડા સમય પહેલા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ એક કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો હોય તેવું લાગ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં નગરપાલિકાના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે  દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં પણ જુથવાદ તો છે. વધુમાં તેમણે કહ્યું કે આજકાલના આવેલા મને શીખવાડે છે. 

જાહેર મંચ પરથી નીતિન પટેલે કાઢ્યો બળાપો!

સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા ભાષણ આપતા હોય છે તે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હમણાં તો ચૂંટણીનો સમય છે. નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને ચૂંટણીના પરીપેશયથી જ રીતે જોવામાં આવે છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનભાઈએ જાહેર મંચ પર ખુલાસો કર્યો અને કહ્યું કે ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. 


આજકાલના આવેલા મને શીખવાડશે? - નીતિન પટેલ 

વધુમાં નીતિન પટેલે કહ્યું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. ત્યારે નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.