Kadiનાં કાર્યક્રમ દરમિયાન Nitin Patel એ જાહેર મંચ પરથી BJPનો જૂથવાદ ખુલ્લો પાડ્યો? સાંભળો નીતિન પટેલના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-03-13 12:49:24

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઈન્કાર કરી દીધો છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય. નીતિન પટેલે થોડા સમય પહેલા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ એક કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો હોય તેવું લાગ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં નગરપાલિકાના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે  દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં પણ જુથવાદ તો છે. વધુમાં તેમણે કહ્યું કે આજકાલના આવેલા મને શીખવાડે છે. 

જાહેર મંચ પરથી નીતિન પટેલે કાઢ્યો બળાપો!

સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા ભાષણ આપતા હોય છે તે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હમણાં તો ચૂંટણીનો સમય છે. નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને ચૂંટણીના પરીપેશયથી જ રીતે જોવામાં આવે છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનભાઈએ જાહેર મંચ પર ખુલાસો કર્યો અને કહ્યું કે ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. 


આજકાલના આવેલા મને શીખવાડશે? - નીતિન પટેલ 

વધુમાં નીતિન પટેલે કહ્યું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. ત્યારે નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..      



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.