Kadiનાં કાર્યક્રમ દરમિયાન Nitin Patel એ જાહેર મંચ પરથી BJPનો જૂથવાદ ખુલ્લો પાડ્યો? સાંભળો નીતિન પટેલના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-03-13 12:49:24

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. અનેક નેતાઓએ ચૂંટણી લડવાનો સ્વૈચ્છિક રીતે ઈન્કાર કરી દીધો છે એ ભાજપના હોય કે કોંગ્રેસના હોય. નીતિન પટેલે થોડા સમય પહેલા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ એક કાર્યક્રમમાં નીતિન પટેલે બળાપો કાઢ્યો હોય તેવું લાગ્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કડીમાં નગરપાલિકાના લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તે  દરમિયાન તેમણે કહ્યું કે ભાજપમાં પણ જુથવાદ તો છે. વધુમાં તેમણે કહ્યું કે આજકાલના આવેલા મને શીખવાડે છે. 

જાહેર મંચ પરથી નીતિન પટેલે કાઢ્યો બળાપો!

સામાન્ય રીતે જ્યારે કોઈ નેતા ભાષણ આપતા હોય છે તે ચર્ચાનો વિષય બનતો હોય છે. ત્યારે હમણાં તો ચૂંટણીનો સમય છે. નેતા દ્વારા આપવામાં આવતા નિવેદનને ચૂંટણીના પરીપેશયથી જ રીતે જોવામાં આવે છે. આ બધા વચ્ચે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલું ભાષણ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનભાઈએ જાહેર મંચ પર ખુલાસો કર્યો અને કહ્યું કે ચુંટણીમાં મે કહ્યું ભરત ને મદદ કરો, મને કહેવાયું ભરત ના ચાલે. તમે આજકાલ ના આવેલા, આજકાલના કડીને જાણતા થયેલા, કડીમાં કાઈ તમને ખબર નથી. 


આજકાલના આવેલા મને શીખવાડશે? - નીતિન પટેલ 

વધુમાં નીતિન પટેલે કહ્યું કે તમે આજકાલના આવેલા અમને શીખવાડશો? કડીમાં કયો કાર્યકર ચાલે અને કયો કાર્યકર ના ચાલે એની મારા જેટલી કોઈને ખબર નહિ હોય. કોઈ ચમચાગીરી નહીં કરવાની. નીતિન પટેલે પછી ઉદાહરણ આપ્યું કે મહેસાણા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરત પટેલ નીચે બેઠા છે અને અમુક લોકો કહે મને મંચ પર ના બેસાડ્યા. અત્યારે ઘરનો શીરો ખીચડી જેવો લાગે, પારકાની ગંદી ખીચડી માવા જેવી લાગે છે. ત્યારે નીતિન પટેલ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવો..      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.