નીતિન પટેલએ ખૂલીને બોલ્યા "હું મેહસાણા છોડવાનો નથી"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-12 17:46:42

ગુજરાત વિધાનસભાની ચુંટણી જનીક આવી રહી છે ત્યારે દરેક નેતાઓ કઈક નવું બોલતા હોય છે અને સોશિયલ મીડિયા પર એક વિડિયો ખૂબ વાઇરલ થયો છે આજે નીતિન પટેલના હાસ્ય પાછળનું દર્દ છલકાઈ આવ્યું છે. તેમણે કહ્યું કે, હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવા વાળો નથી.


નીતિન પટેલએ શું કહ્યું ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ સામેથી મોવડીમંડળને પત્ર લખીને નહીં લડવાની જાહેરાત કરી હતી. નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓએ રાતોરાત ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાં જ રાજકારણ પણ ગરમાયું હતું. એવું પણ કહેવાય છે કે નીતિન પટેલે તેમના ત્રણ સમર્થકોને કડી, વિજાપુર અને મહેસાણા બેઠકોની ટિકિટ અપાવવામાં સફળતા મેળવી છે. મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ સાથે મંચ પર જોવા મળેલા નીતિનભાઈએ કાર્યકરોને કહ્યું હતું કે તમને બધાને નવાઈ લાગતી હશે કે મેં કેમ સામેથી ના પાડી. મહેસાણામાં એકતરફી અભિપ્રાય મારો આવ્યો હતો. મોવડીમંડળ મારા નામની જાહેરાત કરે એ પહેલાં મેં સામેથી પત્ર લખીને ના પાડી છે.


વધુમાં તેમણે વધુ કહ્યું કે તમને બધાંને કહી દવ હું મહેસાણા છોડવાનો નથી. ચૂંટણી લડાઈને જતો રહેવા વાળો આ ખેલાડી નથી. એ રાજકારણીઓ જુદા. આ બધા અહી હાજર છે એમને પૂછો. જેટલી મી મહેસાણાની ખબર રાખી છે. એટલી કડીની મને ખબર હોય જ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.