BJPના કાર્યકર્તાઓને Nitin Patelએ આપ્યો ઠપકો, ગ્રાઉન્ડ પર કામ કરવા જવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-29 14:56:28

ભાજપ જે હમેશાથી પોતાના કાર્યકર્તાઑ અને તેમની મેહનત માટે વખણાય છે પણ આજકાલ કાર્યકરતો સરખું કામ નથી કરતાં લગતા કારણકે અવાર નવાર જૂના નેતાઓ અને પ્રદેશ અધ્યક્ષ C.R Patil પણ કાર્યકર્તાઓને ઠપકો આપતા દેખાય છે. ફરી એક વાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને મીઠો ઠપકો આપ્યો છે.

  

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા - BBC News  ગુજરાતી



સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા નીતિન પટેલ

કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે હોદ્દેદારોને મીઠો ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર સોશિયલ મીડિયામાં ફોટા મૂકી દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો તે સારૂ ન કહેવાય. કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નથી. 


 

જો કાર્યકર્તાઓ કામ નહીં કરે તો... 

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ કાર્યકરતોને લાલ આંખ કરીને કહી દીધું હતું કે જો સરખું કામ નહીં કરો તો હોદ્દેદાર નહીં બનાવીએ. કોઈ પદ નહીં આપીએ. હવે ભાજપના ડખા પછી કાર્યકરોના કામકાજ પર ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઠપકા કાર્યકર્તાઓ કેટલા માને છે એ જોવાનું રહ્યું!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.