BJPના કાર્યકર્તાઓને Nitin Patelએ આપ્યો ઠપકો, ગ્રાઉન્ડ પર કામ કરવા જવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી


  • Published By :
  • Published Date : 2023-11-29 14:56:28

ભાજપ જે હમેશાથી પોતાના કાર્યકર્તાઑ અને તેમની મેહનત માટે વખણાય છે પણ આજકાલ કાર્યકરતો સરખું કામ નથી કરતાં લગતા કારણકે અવાર નવાર જૂના નેતાઓ અને પ્રદેશ અધ્યક્ષ C.R Patil પણ કાર્યકર્તાઓને ઠપકો આપતા દેખાય છે. ફરી એક વાર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાઓને મીઠો ઠપકો આપ્યો છે.

  

નીતિન પટેલ : ગુજરાતીઓ મોટા પ્રમાણમાં IAS/IPS ક્લિયર કરી નથી શકતા - BBC News  ગુજરાતી



સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત હતા નીતિન પટેલ

કડીમાં  પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીતિન પટેલે હોદ્દેદારોને મીઠો ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, માત્ર સોશિયલ મીડિયામાં ફોટા મૂકી દેવાથી જવાબદારી પૂર્ણ થતી નથી. હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો તે સારૂ ન કહેવાય. કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નથી. 


 

જો કાર્યકર્તાઓ કામ નહીં કરે તો... 

મહત્વનું છે કે આની પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે પણ કાર્યકરતોને લાલ આંખ કરીને કહી દીધું હતું કે જો સરખું કામ નહીં કરો તો હોદ્દેદાર નહીં બનાવીએ. કોઈ પદ નહીં આપીએ. હવે ભાજપના ડખા પછી કાર્યકરોના કામકાજ પર ઘણા બધા સવાલ ઊભા થઈ રહ્યા છે. આ ઠપકા કાર્યકર્તાઓ કેટલા માને છે એ જોવાનું રહ્યું!



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.