ઊંઝા ઉમિયા માતાજી સંસ્થામાં યોજાયેલા ધ્વાજારોહણ સપ્તાહમાં હાજર રહેલા નીતિન પટેલે CMની પ્રશંસા કરી, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-09-12 10:28:46

ગુજરાતની રાજનીતિમાં બેબાક અંદાજ, બોલવાની છટા અને પોતાના અલગ અંદાજને લઈને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જાણીતા છે... એવામાં ફરી એકવાર નીતિન પટેલે એક નિવેદન કર્યું અને ચર્ચામાં આવ્યા આ નિવેદન રાજકીય નથી.. પણ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશે બોલ્યા એટલે ચર્ચાઓ શરુ થઈ ગઈ... નીતિન પટેલે એવું કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુસ્સો કરશે તો હું ઈનામ આપીશ... 

ઊંઝામાં ધજા મહોત્સવ દરમિયાન નીતિન પટેલે આપ્યું નિવેદન!

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે ધજા મહોત્ત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નીતિન પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. નીતિન પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરશે તેને હું ઇનામ આપીશ.... નીતિન પટેલે ઊંઝા મહોત્ત્સવ દરમિયાન કહ્યું કે, આપણા હિન્દૂ ધર્મમાં મંદિર જેટલું જ ધજાનું મહત્ત્વ છે. યથા શક્તિ પ્રમાણે ભક્તો ધજા ચઢાવતા હોય છે. ઊંઝા એ ગુજરાતના લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. ઊંઝા સંસ્થા દ્વારા અનેક સામાજિક સેવાઓ કરવામાં આવે છે. 



મુખ્યમંત્રીના વખાણ કરતા કહ્યું કે....

હાલમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ભારતમાં પણ મા ઉમાના મંદિરો બન્યા છે. અમેરિકામાં પણ કરોડો રૂપિયાના મંદિરો બન્યા છે. અમદાવાદ સોલામાં પણ ઊંઝા મંદિર જેવું મંદિર બનવા જઇ રહ્યું છે. આ ધજા મહોત્ત્સવમાં 4 કરોડથી વધુ દાન ઉમિયા માતાને મળ્યું છે. ઊંઝા સંસ્થાને જ્યારે જરૂર પડી છે ત્યારે રાજ્ય સરકારે મદદ કરી છે... આ બધી વાતોની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, "લોકપ્રિય આવા મુખ્યમંત્રી હું નથી માનતો કે આપણને મળશે. હસતાને હસતા જ રહે છે કોઇ દિવસ નારાજ થતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ ગુસ્સે કરે તેને હું ઇનામ આપીશ. કોઇ મુખ્યમંત્રીને ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય અને મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઇને હસતા હસતા બહાર જાય છે.એમનામાં જાદુ છે."


ભૂપેન્દ્ર પટેલની વાત કરીએ તો...

2017માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લડનાર ભૂપેન્દ્ર પટેલ માટે 1 સપ્ટેમ્બર, 2021 નો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. કેન્દ્રીય મોવડી મંડળે તત્કાલીન વિજય રૂપાણી સરકારની વિદાય બાદ ઘાટલોડિયા વિધાનસભા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને એકાએક રાજ્યની ધુરા સંભાળવા કહ્યું. મૃદુ અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા ભૂપેન્દ્ર પટેલે અનેક પડકારો વચ્ચે સત્તા સંભાળી આવી વાતો છે... એ બધાની વચ્ચે એમની સામે પડકારો પણ અઢળક છે..  સતત વધતા ટ્રાફિક, જીવલેણ અકસ્માત, ગુના-આત્મહત્યા, દારૂકાંડ, જાહેરમાં દાદાગીરીના અનેક બનાવો બાબતે ભૂપેન્દ્ર પટેલ સરકારને ઘણું કરવાનું બાકી છે. રાજ્યમાં પકડાતા નકલી અમલદારો, સરકારી ઓફિસો, ટોલનાકાંથી રાજ્ય સરકારની છબીને આંચ આવે છે. રાજ્યના મતદારોએ જ્યારે ખોબલે-ખોબલે મત આપી 156 બેઠકો આપી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારની જવાબદારી પણ બેવડી બને છે.... પૂર આવે અને લોકો પરેશાન થાય, વરસાદ આવે અને લોકો પરેશાન થાય... આ બધી બાબતોનું પણ હસતા હસતા મુખ્યમંત્રી સમાધાન લાવે એ બહુ જરુરી છે... ત્યારે નીતિન પટેલના નિવદેન પર તમારૂં શું માનવું છ ે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.