Nitish Kumarએ મહિલાઓને આપેલા નિવેદન પર માફી માગી, કહ્યું હું મારા શબ્દો પાછા ખેંચુ છું...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-08 11:53:27

ગઈકાલથી નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. રાજ્યમાં વસ્તી વૃદ્ધિની ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન તેમણે એવી વાત કહી દીધી કે મહિલા ધારાસભ્યો તે વાતનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે જ્યારે મુખ્યમંત્રી નિતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહિલા ધારાસભ્યોએ તેમને પ્રવેશ ન કરવા દીધા. મહિલા ધારાસભ્યોની નીતિશ કુમારે માફી માગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની ન હતી. હું છોકરીઓની શિક્ષા પર બોલી રહ્યો હતો, જન્મ દર પર બોલી રહ્યો હતો. જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

વિધાનસભામાં સેક્સને લઈ આપ્યું નિવેદન 

બિહાર વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે નીતિશ કુમારે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનમાં નીતિશ કુમાર એવું સમાજાવવા માગતા હતા કે છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. એ નિવેદન બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે બિહારના મુખ્યમંત્રી જ્યારે વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ધારાસભ્યોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. 


નિવેદનને લઈ મુખ્યમંત્રીએ માફી માગી 

સોશિયલ મીડિયા પર નીતિશ કુમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ રહ્યા હતા. ટ્વિટર પર તે ટ્રેન્ડીંગ હતા. ત્યારે વિવાદ વધતા મુખ્યમંત્રીએ માફી માગી છે.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.