Nitish Kumarએ મહિલાઓને આપેલા નિવેદન પર માફી માગી, કહ્યું હું મારા શબ્દો પાછા ખેંચુ છું...


  • Published By :
  • Published Date : 2023-11-08 11:53:27

ગઈકાલથી નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. રાજ્યમાં વસ્તી વૃદ્ધિની ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન તેમણે એવી વાત કહી દીધી કે મહિલા ધારાસભ્યો તે વાતનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે જ્યારે મુખ્યમંત્રી નિતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહિલા ધારાસભ્યોએ તેમને પ્રવેશ ન કરવા દીધા. મહિલા ધારાસભ્યોની નીતિશ કુમારે માફી માગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની ન હતી. હું છોકરીઓની શિક્ષા પર બોલી રહ્યો હતો, જન્મ દર પર બોલી રહ્યો હતો. જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

વિધાનસભામાં સેક્સને લઈ આપ્યું નિવેદન 

બિહાર વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે નીતિશ કુમારે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનમાં નીતિશ કુમાર એવું સમાજાવવા માગતા હતા કે છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. એ નિવેદન બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે બિહારના મુખ્યમંત્રી જ્યારે વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ધારાસભ્યોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. 


નિવેદનને લઈ મુખ્યમંત્રીએ માફી માગી 

સોશિયલ મીડિયા પર નીતિશ કુમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ રહ્યા હતા. ટ્વિટર પર તે ટ્રેન્ડીંગ હતા. ત્યારે વિવાદ વધતા મુખ્યમંત્રીએ માફી માગી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે