Nitish Kumarએ મહિલાઓને આપેલા નિવેદન પર માફી માગી, કહ્યું હું મારા શબ્દો પાછા ખેંચુ છું...


  • Published By :
  • Published Date : 2023-11-08 11:53:27

ગઈકાલથી નીતિશ કુમાર દ્વારા આપવામાં આવેલું નિવેદન ચર્ચામાં છે. રાજ્યમાં વસ્તી વૃદ્ધિની ચર્ચા થઈ રહી હતી તે દરમિયાન તેમણે એવી વાત કહી દીધી કે મહિલા ધારાસભ્યો તે વાતનો વિરોધ કરી રહી છે. મળતી માહિતી અનુસાર આજે જ્યારે મુખ્યમંત્રી નિતીશ કુમાર વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહિલા ધારાસભ્યોએ તેમને પ્રવેશ ન કરવા દીધા. મહિલા ધારાસભ્યોની નીતિશ કુમારે માફી માગી અને કહ્યું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાની ન હતી. હું છોકરીઓની શિક્ષા પર બોલી રહ્યો હતો, જન્મ દર પર બોલી રહ્યો હતો. જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

વિધાનસભામાં સેક્સને લઈ આપ્યું નિવેદન 

બિહાર વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. આજે આ સત્રનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જ્યારે વિધાનસભામાં ચર્ચા ચાલી રહી હતી તે વખતે નીતિશ કુમારે એક નિવેદન આપ્યું હતું જેનો વિરોધ થઈ રહ્યો છે. નિવેદનમાં નીતિશ કુમાર એવું સમાજાવવા માગતા હતા કે છોકરીઓ શિક્ષિત થશે તો વસ્તી આપોઆપ ઘટશે. પરંતુ આ માટે તેઓએ સમગ્ર સેક્સ્યુઅલ એક્ટિવિટી સમજાવવાનું શરૂ કર્યું. તેમણે કહેવાનું શરૂ કર્યું કે પહેલા મહિલાઓ સરળતાથી ગર્ભવતી થઈ જતી હતી, જ્યારે હવે મહિલાઓ શિક્ષિત છે, તેઓ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં અલગ રીતે વર્તે છે. એ નિવેદન બાદ વિરોધ શરૂ થઈ ગયો હતો. આજે બિહારના મુખ્યમંત્રી જ્યારે વિધાનસભા પહોંચ્યા હતા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મહિલા ધારાસભ્યોએ તેમના નિવેદનનો વિરોધ કર્યો હતો. 


નિવેદનને લઈ મુખ્યમંત્રીએ માફી માગી 

સોશિયલ મીડિયા પર નીતિશ કુમારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઈ રહ્યા હતા. ટ્વિટર પર તે ટ્રેન્ડીંગ હતા. ત્યારે વિવાદ વધતા મુખ્યમંત્રીએ માફી માગી છે.   



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .