નીતિશ કુમારે ઈશારા ઈશારામાં બિહાર માટે રૂપિયા પહેલા દિવસે જ માગી લીધા, સાંભળો NDAની સંસદીય બેઠકમાં શું બોલ્યા નીતિશ કુમાર?


  • Published By :
  • Published Date : 2024-06-07 15:21:06

દેશમાં કોની સરકાર બનશે તેની ચર્ચાઓ ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદથી થઈ રહી છે..આ વખતે એનડીએની સરકાર બનવાની છે.. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સરકારનો આધાર રહેલો છે. તેમના ટેકાથી સરકાર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે નીતિશ કુમાર અને નાયડુ  દ્વારા શરતો રાખવામાં આવી છે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. નીતિશ કુમાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે એનડીએના સંસદીય દળની મીટિંગ મળી હતી જેમાં નીતિશ કુમારે આડકતરી રીતે એવી વાત કહી દીધી કે તેની ચર્ચા થઈ રહી છે...

શું કહ્યું નીતિશ કુમારે સંસદીય દળની બેઠકમાં?  

NDAના સંસદીય દળની મિટિંગમાં બિહારના CM નીતીશ કુમાર બોલી રહ્યા હતા. સંસદીય દળની બેઠકનું આયોજન સંસદમાં કરાયું હતું . બધા જ રાજકીય પક્ષોએ પીએમ મોદીને NDAના સંસદીય દળના નેતા તરીકેની નિમણુંક માટેનો ઠરાવ પસાર કર્યો. આ બેઠકમાં બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે , તમે જે કામ ઇચ્છશો અમે પુરા સહયોગથી તેને પૂરું કરીશું . બધા જ સંગઠિત થઈને પુરા દેશને આગળ વધારીશું. મારો આગ્રહ તો એ જ છે કે જલ્દીથી જલ્દી કામ શરુ થઈ જાય. અમે ઇચ્છતા હતા કે , તમારા શપથ ગ્રહણ આજે જ થઇ જતા તો સારું થાત . જે લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જવા માંગે છે તેમને કોઈ લાભ નથી.




9 તારીખે પીએમ મોદી લઈ શકે છે શપથ!

બોલવાની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. પીએમ 10 વર્ષથી મોદી પીએમ છે અને ફરીથી તે પીએમ બનવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફરી એક વાર ગઠબંધન યુગનો આરંભ થઈ ચુક્યો છે. આ સાથેજ NDAના મુખ્ય બે સાથી પક્ષો એવા TDP અને ચંદ્રાબાબુ નાયડુએ BJP  સમક્ષ ખુબ મહત્વના મંત્રીપદો માંગ્યા છે . આ સાથે જોવાનું એ પણ છે કે લોકસભાનું સ્પીકર પદ કયા પક્ષને મળશે? મહત્વનું છે કે એવી માહિતી સામે આવી છે કે 9 જૂને પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે.. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.