નીતિશ કુમારે ઈશારા ઈશારામાં બિહાર માટે રૂપિયા પહેલા દિવસે જ માગી લીધા, સાંભળો NDAની સંસદીય બેઠકમાં શું બોલ્યા નીતિશ કુમાર?


  • Published By :
  • Published Date : 2024-06-07 15:21:06

દેશમાં કોની સરકાર બનશે તેની ચર્ચાઓ ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદથી થઈ રહી છે..આ વખતે એનડીએની સરકાર બનવાની છે.. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સરકારનો આધાર રહેલો છે. તેમના ટેકાથી સરકાર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે નીતિશ કુમાર અને નાયડુ  દ્વારા શરતો રાખવામાં આવી છે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. નીતિશ કુમાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે એનડીએના સંસદીય દળની મીટિંગ મળી હતી જેમાં નીતિશ કુમારે આડકતરી રીતે એવી વાત કહી દીધી કે તેની ચર્ચા થઈ રહી છે...

શું કહ્યું નીતિશ કુમારે સંસદીય દળની બેઠકમાં?  

NDAના સંસદીય દળની મિટિંગમાં બિહારના CM નીતીશ કુમાર બોલી રહ્યા હતા. સંસદીય દળની બેઠકનું આયોજન સંસદમાં કરાયું હતું . બધા જ રાજકીય પક્ષોએ પીએમ મોદીને NDAના સંસદીય દળના નેતા તરીકેની નિમણુંક માટેનો ઠરાવ પસાર કર્યો. આ બેઠકમાં બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે , તમે જે કામ ઇચ્છશો અમે પુરા સહયોગથી તેને પૂરું કરીશું . બધા જ સંગઠિત થઈને પુરા દેશને આગળ વધારીશું. મારો આગ્રહ તો એ જ છે કે જલ્દીથી જલ્દી કામ શરુ થઈ જાય. અમે ઇચ્છતા હતા કે , તમારા શપથ ગ્રહણ આજે જ થઇ જતા તો સારું થાત . જે લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જવા માંગે છે તેમને કોઈ લાભ નથી.




9 તારીખે પીએમ મોદી લઈ શકે છે શપથ!

બોલવાની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. પીએમ 10 વર્ષથી મોદી પીએમ છે અને ફરીથી તે પીએમ બનવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફરી એક વાર ગઠબંધન યુગનો આરંભ થઈ ચુક્યો છે. આ સાથેજ NDAના મુખ્ય બે સાથી પક્ષો એવા TDP અને ચંદ્રાબાબુ નાયડુએ BJP  સમક્ષ ખુબ મહત્વના મંત્રીપદો માંગ્યા છે . આ સાથે જોવાનું એ પણ છે કે લોકસભાનું સ્પીકર પદ કયા પક્ષને મળશે? મહત્વનું છે કે એવી માહિતી સામે આવી છે કે 9 જૂને પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે.. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.