નીતિશ કુમારે ઈશારા ઈશારામાં બિહાર માટે રૂપિયા પહેલા દિવસે જ માગી લીધા, સાંભળો NDAની સંસદીય બેઠકમાં શું બોલ્યા નીતિશ કુમાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 15:21:06

દેશમાં કોની સરકાર બનશે તેની ચર્ચાઓ ચૂંટણીનું પરિણામ આવ્યું તે બાદથી થઈ રહી છે..આ વખતે એનડીએની સરકાર બનવાની છે.. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સરકારનો આધાર રહેલો છે. તેમના ટેકાથી સરકાર બનશે તેવું હાલ લાગી રહ્યું છે. એવી માહિતી સામે આવી છે કે નીતિશ કુમાર અને નાયડુ  દ્વારા શરતો રાખવામાં આવી છે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. નીતિશ કુમાર પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. આજે એનડીએના સંસદીય દળની મીટિંગ મળી હતી જેમાં નીતિશ કુમારે આડકતરી રીતે એવી વાત કહી દીધી કે તેની ચર્ચા થઈ રહી છે...

શું કહ્યું નીતિશ કુમારે સંસદીય દળની બેઠકમાં?  

NDAના સંસદીય દળની મિટિંગમાં બિહારના CM નીતીશ કુમાર બોલી રહ્યા હતા. સંસદીય દળની બેઠકનું આયોજન સંસદમાં કરાયું હતું . બધા જ રાજકીય પક્ષોએ પીએમ મોદીને NDAના સંસદીય દળના નેતા તરીકેની નિમણુંક માટેનો ઠરાવ પસાર કર્યો. આ બેઠકમાં બિહાર મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે , તમે જે કામ ઇચ્છશો અમે પુરા સહયોગથી તેને પૂરું કરીશું . બધા જ સંગઠિત થઈને પુરા દેશને આગળ વધારીશું. મારો આગ્રહ તો એ જ છે કે જલ્દીથી જલ્દી કામ શરુ થઈ જાય. અમે ઇચ્છતા હતા કે , તમારા શપથ ગ્રહણ આજે જ થઇ જતા તો સારું થાત . જે લોકો અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં જવા માંગે છે તેમને કોઈ લાભ નથી.




9 તારીખે પીએમ મોદી લઈ શકે છે શપથ!

બોલવાની શરૂઆતમાં તેમણે કહ્યું કે અમારી પાર્ટી જનતા દળ યુનાઈટેડ ભારતીય જનતા પાર્ટી સંસદીય દળના નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે. પીએમ 10 વર્ષથી મોદી પીએમ છે અને ફરીથી તે પીએમ બનવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાં ફરી એક વાર ગઠબંધન યુગનો આરંભ થઈ ચુક્યો છે. આ સાથેજ NDAના મુખ્ય બે સાથી પક્ષો એવા TDP અને ચંદ્રાબાબુ નાયડુએ BJP  સમક્ષ ખુબ મહત્વના મંત્રીપદો માંગ્યા છે . આ સાથે જોવાનું એ પણ છે કે લોકસભાનું સ્પીકર પદ કયા પક્ષને મળશે? મહત્વનું છે કે એવી માહિતી સામે આવી છે કે 9 જૂને પીએમ મોદી પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ શકે છે.. 



ઈશ્વરને, પ્રભુને ક્યારેય આપણે પત્ર લખ્યો છે? જ્યારે જ્યારે મન ઉદાસ હોય, મનમાં અનેક મુંઝવણ હોય ત્યારે સલાહ લેવા કોની પાસે જાવ છો? કહેવાય છે પ્રભુ પાસે દરેક સવાલના જવાબ હોય છે..

લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..