નીતીશ કુમાર 9મી વખત બન્યા મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા


  • Published By :
  • Published Date : 2024-01-28 18:09:10

નીતિશ કુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે. રવિવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ નીતીશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નીતિશ કુમારની સાથે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે BJP, JDU અને HAM પાર્ટીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી બન્યા હતા. આ દરમિયાન જેપી નડ્ડા અને બીજેપીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ ધારાસભ્યો બન્યા મંત્રી

રાજ્યપાલે નીતિશ કુમાર સહિત 9 લોકોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નીતીશ કુમાર ઉપરાંત જે બે ચહેરાઓને ભાજપના કોટામાંથી ડેપ્યુટી સીએમ પદ મળ્યું છે તેમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરીએ શપથ લીધા. આ સિવાય વિજય ચૌધરી, શ્રવણ કુમાર, ડૉ.પ્રેમ કુમાર, સંતોષ કુમાર સુમન, વિજેન્દ્ર યાદવ, સુમિત સિંહે મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, એલજેપી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, પશુપતિ પારસ, જીતન રામ માંઝી સહિત આ શપથ ગ્રહણ સમારોહમાં એનડીએના ઘટક પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..