નીતીશ કુમાર 9મી વખત બન્યા મુખ્યમંત્રી, સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ ડેપ્યુટી CM તરીકે શપથ લીધા


  • Published By :
  • Published Date : 2024-01-28 18:09:10

નીતિશ કુમારે ફરી એકવાર બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે. રવિવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નીતિશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ નીતીશ કુમારે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નીતિશ કુમારની સાથે ભાજપના બે દિગ્ગજ નેતાઓ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. આજે BJP, JDU અને HAM પાર્ટીના 8 ધારાસભ્યોએ પણ મંત્રી બન્યા હતા. આ દરમિયાન જેપી નડ્ડા અને બીજેપીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ ધારાસભ્યો બન્યા મંત્રી

રાજ્યપાલે નીતિશ કુમાર સહિત 9 લોકોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. નીતીશ કુમાર ઉપરાંત જે બે ચહેરાઓને ભાજપના કોટામાંથી ડેપ્યુટી સીએમ પદ મળ્યું છે તેમાં સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાનો સમાવેશ થાય છે. નીતિશ કુમાર બાદ સમ્રાટ ચૌધરીએ શપથ લીધા. આ સિવાય વિજય ચૌધરી, શ્રવણ કુમાર, ડૉ.પ્રેમ કુમાર, સંતોષ કુમાર સુમન, વિજેન્દ્ર યાદવ, સુમિત સિંહે મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, એલજેપી (રામ વિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાન, પશુપતિ પારસ, જીતન રામ માંઝી સહિત આ શપથ ગ્રહણ સમારોહમાં એનડીએના ઘટક પક્ષોના તમામ નેતાઓ હાજર રહ્યા હતા.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે