ત્રણ મંત્રાલયોની માગ કરી નીતિશ કુમારે? જો આ માગો સ્વીકારાશે તો જ નીતિશ કુમાર આપશે ટેકો? જાણો શું મળી સૂત્રો પાસેથી માહિતી?


  • Published By :
  • Published Date : 2024-06-06 18:01:47

લોકસભા ચૂંટણીનું જ્યારથી પરિણામ આવ્યું ત્યારથી તમામના મનમાં સવાલ છે કે સરકાર કોની બનશે? એક તરફ NDAએ છે તો બીજી તરફ I.N.D.I.A છે. ભાજપને 272ને મત નથી મળ્યા, 272નો જાદુઈ આંકડો પાર નથી કરી શકે કે જેનાથી તે એકલા હાથે સરકાર બનાવી શકે.. ભાજપને જો સત્તા પર આવું છે તો એનડીએમાં સામેલ પાર્ટીનો સહારો લેવો પડશે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ અનેક લોકોના મોંઢે સાંભળ્યું હશે કે એન ફેક્ટર પર આ સરકારનું ભવિષ્ય રહેલું છે. એવી માહિતી પણ સામે આવી છે કે અગ્નિવીર યોજનામાં બદલાવ કરવાની માગ પણ નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી હોઈ શકે છે. 



નીતિશ કુમારે ત્રણ મંત્રાલયોની કરી માગ 

નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ગઈકાલે એનડીએની બેઠક માટે દિલ્હી આવ્યા હતા. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, મળતી માહિતી અનુસાર નીતિશ કુમારે ત્રણ મંત્રાલયની માગ કરી છે.. એવી પણ માહિતી સૂત્રો પાસેથી સામે આવી છે કે નીતિશ કુમારે એવી માગ પણ રાખી છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.. તે ઉપરાંત તેમના ચાર સાંસદો માટે એક મંત્રાલયની ફોર્મ્યુલા બનાવવામાં આવે તેવી સરકારની સામે રાખી છે. વાસ્તવમાં, 12 સાંસદ JDUના છે, તેથી તેને 3 મંત્રાલય જોઈએ છે.  



જ્યારે અનેક પાર્ટી ભેગી થઈ સરકાર બનાવે છે ત્યારે...

સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ નીતીશ કુમારને રેલવે, કૃષિ અને નાણા મંત્રાલય જોઈએ છે. જ્યારે રેલ્વે મંત્રાલય પ્રાથમિકતા પર છે. મહત્વનું છે કે આ વખતે મંત્રી મંડળમાં અનેક નવા ચહેરાઓને તક મળી શકે છે.. મહત્વનું છે કે એવું માનવામાં આવે છે કે જ્યારે ગઠબંધનમાં સરકાર હોય છે ત્યારે સાથી પક્ષોના સાંસદને સાચવવા પડે છે.. જે સ્વતંત્ર પણે પાર્ટીને ફેંસલો લેવો હોય તે લઈ નથી શકતા.. સાથી પક્ષોને પૂછ્યા વગર આગળ કોઈ પણ કાયદો, કાયદામાં ફેરફાર નથી કરી શકતા. ત્યારે જોવું રહ્યું કે નીતિશ કુમારે ભાજપ સામે કઈ શરતો મૂકી છે? એવી માહિતી પણ સામે આવી રહી છે કે 9 જૂને શપથ વિધી સમારોહ યોજાઈ શકે છે..     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.