વિપક્ષના ગઠબંધનથી નારાજગી મુદ્દે જદ(યુ)નું મોટું નિવેદન "નીતીશ કુમાર વિપક્ષી એકતાના સુત્રધાર, સુત્રધાર ક્યારેય ગુસ્સે થતો નથી"


  • Published By :
  • Published Date : 2023-07-19 18:51:53

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકાર સામે રચાયેલા ગઠબંધનનું નેતૃત્વ કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બેંગલુરુમાં વિપક્ષી એકતાની બેઠકમાં નારાજ હોવાનું કહેવાય છે. પરંતુ, જનતા દળ યુનાઈટેડ (JDU) ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહના જણાવ્યા અનુસાર, આ એક અફવા છે. લલન સિંહે એરપોર્ટ પર કહ્યું- “નીતીશ કુમાર વિપક્ષી એકતાના સુત્રધાર છે. સુત્રધાર ક્યારેય ગુસ્સે થતો નથી. મીડિયા દ્વારા આ અફવા ફેલાવવામાં આવી રહી છે. આ તદ્દન ખોટું છે, કોઈ રોષ નથી. મુંબઈમાં યોજાનારી આગામી બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.  I.N.D.I.A. નામને લઈને નારાજગીના સવાલ પર લલન સિંહે કહ્યું કે બધાની સહમતિથી વિપક્ષી એકતાનું નામ I.N.D.I.A. રાખવામાં આવ્યો છે, તેની સામે કોઈને વાંધો નથી.

 

મીડિયાનો દુષ્પ્રચાર કહીને PM પર નિશાન સાધ્યું


જેડીયુ પ્રમુખ  લલન સિંહે કહ્યું હતું કે "દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિયંત્રણમાં છે તે મીડિયા આવો પ્રચાર કરી રહ્યું છે. દેશનું ગોદી મીડિયા પણ અફવાઓ ફેલાવવામાં માહિર જૂઠા પક્ષને સમર્થન આપી રહ્યું છે. દેશમાં છેલ્લા અનેક દિવસોથી અનેક પ્રકારનો દુષ્પ્રચાર કરી રહ્યું છે. ફેલાવો. ક્યારેક એવો દુષ્પ્રચાર કરવામાં આવ્યો કે જેડીયુ તૂટી રહ્યું છે. પછી જેડીયુ અને આરજેડી વચ્ચેની ખટપટ ચર્ચામાં આવી. હવે એવું ચલાવી રહ્યા છે કે નીતીશ કુમાર નારાજ છે, પરંતુ,એવું કંઈ નથી. નીતીશ કુમાર નથી, નીતિશ કુમાર વિપક્ષી એકતાના સુત્રધાર છે અને સુત્રધાર ક્યારેય ગુસ્સે થતો નથી."


INDIA નામની અસંમતિ મુદ્દે પણ કરી સ્પષ્ટતા 


જેડીયુ પ્રમુખે કહ્યું કે INDIA નામ બધાની સહમતિથી નક્કી કરવામાં આવ્યું છે. લલન સિંહે સુશીલ મોદી પર પણ નિશાન સાધતા કહ્યું કે સુશીલ મોદી છપાસની બીમારીથી પીડિત છે. તેમને તેમની વાત કહેવા દો. મેં મોદીજીનો એક વીડિયો જોયો, જેમાં તેઓ કહી રહ્યા છે કે INDIAને વોટ આપો, તો હવે મોદીજી વિપક્ષની એકતા માટે વોટ માંગી રહ્યા છે? એનડીએની બેઠક અંગે ચર્ચા કરતાં લલન સિંહે કહ્યું કે હું પણ 5 વર્ષ એનડીએમાં રહ્યો છું, પરંતુ આજ સુધી ક્યારેય એનડીએની બેઠક થઈ હોય તેવું જોયું નથી. આખરે, નરેન્દ્ર મોદીને એનડીએની બેઠક બોલાવવાની ચિંતા તો થઈ. આના પરથી સ્પષ્ટ થાય છે કે હતાશા અને નિરાશાને કારણે બેઠક બોલાવવાની જરૂર પડી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.