નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે, 28 જાન્યુઆરીએ લેશે શપથ, સુશીલ મોદી બનશે ડેપ્યુટી CM


  • Published By :
  • Published Date : 2024-01-26 14:55:55

બિહારમાં રાજકારણ ગરમાયું છે, આરજેડી સાથે ખેંચતાણ વચ્ચે નિતિશ કુમારે ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત શરૂ કરી છે. જેડીયૂએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા છોડવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં એનડીએના સહયોગી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ નિતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે સુશીલ મોદી રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે હાલ સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે અને તે 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહાર સુધી ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. આજે સાંજે ચાર કલાકે નિતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપ અને જેડીયુના સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 28મીએ બિહારમાં નવી સરકાર બની શકે છે. 


ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે


નિતિશ કુમાર કોંગ્રેસ અને આરજેડીથી નારાજ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં જોડાશે.જેડીયુએ કર્પૂરી ઠાકુરની 100 મી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નિતિશ કુમારે પરિવારવાદ પર નિશાન સાધતા જ બિહાર રાજનિતીમાં પલટો આવ્યો હતો. નિતિશ કુમારનો ઈશારો લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાધી પર હતો. આ રાજકીય ઉથલપાથલમાં લાલૂની પુત્રીએ રોહિણીએ નિતિશને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટ્વીટ કરતા નિતિશ કુમારે લાલુ યાદવની પાર્ટી સાતે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.