નિતિશ કુમાર ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે, 28 જાન્યુઆરીએ લેશે શપથ, સુશીલ મોદી બનશે ડેપ્યુટી CM


  • Published By :
  • Published Date : 2024-01-26 14:55:55

બિહારમાં રાજકારણ ગરમાયું છે, આરજેડી સાથે ખેંચતાણ વચ્ચે નિતિશ કુમારે ફરી એક વાર રાજ્યમાં નવી સરકારની કવાયત શરૂ કરી છે. જેડીયૂએ પોતાના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા છોડવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં એનડીએના સહયોગી પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે. મળતી જાણકારી મુજબ નિતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બની શકે છે, જ્યારે સુશીલ મોદી રાજ્યના ડેપ્યુટી સીએમ બનશે તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે હાલ સુશીલ મોદી રાજ્યસભા સાંસદ છે અને તે 15 જુલાઈ 2017 થી 15 નવેમ્બર 2020 સુધી બિહાર સુધી ડેપ્યુટી સીએમ રહી ચુક્યા છે. આજે સાંજે ચાર કલાકે નિતિશ કુમાર રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. ભાજપ અને જેડીયુના સુત્રોના જણાવ્યા પ્રમાણે તારીખ 28મીએ બિહારમાં નવી સરકાર બની શકે છે. 


ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડશે


નિતિશ કુમાર કોંગ્રેસ અને આરજેડીથી નારાજ છે, તેઓ ઇન્ડિયા ગઠબંધનથી છેડો ફાડી ફરી એનડીએમાં જોડાશે.જેડીયુએ કર્પૂરી ઠાકુરની 100 મી જયંતિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નિતિશ કુમારે પરિવારવાદ પર નિશાન સાધતા જ બિહાર રાજનિતીમાં પલટો આવ્યો હતો. નિતિશ કુમારનો ઈશારો લાલૂ યાદવના પુત્ર તેજસ્વી યાદવ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાધી પર હતો. આ રાજકીય ઉથલપાથલમાં લાલૂની પુત્રીએ રોહિણીએ નિતિશને નિશાન બનાવીને વિવાદાસ્પદ ટ્વીટ કરતા નિતિશ કુમારે લાલુ યાદવની પાર્ટી સાતે છેડો ફાડવાનો નિર્ણય કર્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે