નીતિશ કુમાર આજે બપોરે આપશે રાજીનામું, સાંજે લેશે ફરી શપથ, ઈન્ડિયા ગઠબંધનને મોટો ફટકો


  • Published By :
  • Published Date : 2024-01-28 12:45:03

બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બપોર સુધીમાં પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારે જેડીયુ ધારાસભ્યોની બેઠકમાં કહ્યું કે હવે સાથે રહેવું મુશ્કેલ છે અને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે રવિવારે સવારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. માનવામાં આવે છે કે જેડીયુ નેતા નીતિશ કુમાર રવિવારે સવારે પદ પરથી રાજીનામું આપી શકે છે. બેઠક બાદ તેઓ રાજીનામું આપવા રાજભવન જવા રવાના થશે અને પછી રાજ્યપાલને રાજીનામું સોંપશે. 


2 ડેપ્યુટી સીએમ સાથે લેશે  શપથ 


નીતીશ કુમાર 2 ડેપ્યુટી સીએમ સાથે શપથ લેશે. આ બંને ડેપ્યુટી સીએમ ભાજપના હોઈ શકે છે. BJP-JDU તરફથી 14-14 મંત્રીઓ શપથ લઈ શકે છે. જીતન રામ માંઝીની પાર્ટીએ પણ 2 મંત્રી પદની માંગણી કરી છે.  



ઈન્ડિયા ગઠબંધન માટે મોટો ફટકો


નીતીશ કુમારના આ પગલાને તે ઈન્ડિયા બ્લોક માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે જેના તેઓ પોતે આર્કિટેક્ટ રહ્યા છે. બિહારમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આજે પૂર્ણિયામાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરશે.


જેપી નડ્ડા પટણા પહોંચ્યા


બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકાર બનાવવાના પ્રયાસો તેજ થયા છે. નીતીશ રાજીનામું આપી શકે છે અને સાંજ સુધીમાં મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પટના પહોંચી રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં તેઓ હાજર રહે તેવી શક્યતા છે. બીજી તરફ લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પોતાના નેતાઓ અને ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે. ધારાસભ્યોની બેઠકમાં તેજસ્વી યાદવે કહ્યું કે બિહારમાં મોટી રમત થવા જઈ રહી છે.


ભાજપે નીતિશ કુમાર સમક્ષ મૂકી છે શરત 


આ દરમિયાન એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભાજપે નીતિશ કુમાર સમક્ષ શરત મૂકી છે કે પહેલા રાજીનામું આપો, પછી તમને સમર્થનનો પત્ર આપવામાં આવશે.


લાલુ પ્રસાદ યાદવની પુત્રી કર્યું ટ્વીટ


આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પુત્રી ડો.રોહિણી આચાર્યએ બિહારના ઘટનાક્રમ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. "જ્યાં સુધી અમારી પાસે શ્વાસ છે, ત્યાં સુધી સાંપ્રદાયિક શક્તિઓ સામે અમારી લડાઈ ચાલુ રહેશે," તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની તેમની પોસ્ટમાં લખ્યું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે