'રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમજૂતી નહીં...', કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-02-11 12:54:31

કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 


આચાર્ય પ્રમોદે આપી પહેલી પ્રતિક્રિયા


શનિવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદની પહેલી પ્રતિક્રિયા રવિવારે આવી હતી. તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધીની હકાલપટ્ટી પર કટાક્ષ કરતા લખ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમોદ કૃષ્ણમ જાહેર મંચ પર સતત ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.


કોંગ્રેસ પર કર્યા હતા કટાક્ષ

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેઓ તેમના નિવેદનોથી નારાજ હતા અને તેથી જ તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણ પત્રને ફગાવી દેનારા નેતાઓ પર પણ તેઓ નારાજ હતા. કોંગ્રેસના અગ્રણી નેતા હોવા છતાં, જ્યારે તેમણે ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે અટકળો શરૂ થઈ કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે.



થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.

માતા પિતા આપણે પંસદ નથી કરી શકતા પરંતુ આપણા મિત્ર કોણ હશે તે આપણે જાતે પસંદ કરીએ છીએ... મિત્રો આપણને જીવન જીવવાનું શિખવાડે છે... મિત્રતાના અનેક ઉદારણો આપણી સામે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મિત્રને સમર્પિત રચના.

લોકસભા ચૂંટણીમાં ન માત્ર બેઠકો ચર્ચમાં રહી પરંતુ અનેક એવા શબ્દો પણ તમે પ્રચાર દરમિયાન સાંભળ્યો હશે... અનેક શબ્દો એવા છે જે વારંવાર સાંભળ્યા મળ્યા છે અને અનેક એવા શબ્દો છે જેને કારણે વિવાદ છેડાઈ ગયો છે.. ત્યારે એવા શબ્દોની વાત કરીએ આજે.

બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું ત્યારે દિલ્હી જેવી ઘટના અમદાવાદમાં બની છે.. અમદાવાદની અનેક શાળાને પણ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે ઈમેલના માધ્યમથી..સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે..