'રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમજૂતી નહીં...', કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-02-11 12:54:31

કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 


આચાર્ય પ્રમોદે આપી પહેલી પ્રતિક્રિયા


શનિવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદની પહેલી પ્રતિક્રિયા રવિવારે આવી હતી. તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધીની હકાલપટ્ટી પર કટાક્ષ કરતા લખ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમોદ કૃષ્ણમ જાહેર મંચ પર સતત ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.


કોંગ્રેસ પર કર્યા હતા કટાક્ષ

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેઓ તેમના નિવેદનોથી નારાજ હતા અને તેથી જ તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણ પત્રને ફગાવી દેનારા નેતાઓ પર પણ તેઓ નારાજ હતા. કોંગ્રેસના અગ્રણી નેતા હોવા છતાં, જ્યારે તેમણે ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે અટકળો શરૂ થઈ કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે