'રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમજૂતી નહીં...', કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-02-11 12:54:31

કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 


આચાર્ય પ્રમોદે આપી પહેલી પ્રતિક્રિયા


શનિવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદની પહેલી પ્રતિક્રિયા રવિવારે આવી હતી. તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધીની હકાલપટ્ટી પર કટાક્ષ કરતા લખ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમોદ કૃષ્ણમ જાહેર મંચ પર સતત ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.


કોંગ્રેસ પર કર્યા હતા કટાક્ષ

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેઓ તેમના નિવેદનોથી નારાજ હતા અને તેથી જ તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણ પત્રને ફગાવી દેનારા નેતાઓ પર પણ તેઓ નારાજ હતા. કોંગ્રેસના અગ્રણી નેતા હોવા છતાં, જ્યારે તેમણે ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે અટકળો શરૂ થઈ કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.