'રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમજૂતી નહીં...', કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ પ્રમોદ કૃષ્ણમે આપી પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-02-11 12:54:31

કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે શનિવારે એક સત્તાવાર પત્ર જારી કરીને આ માહિતી આપી હતી. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પક્ષ વિરુદ્ધ અનુશાસનહીનતા અને વારંવાર નિવેદનોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને, પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનિય છે કે તાજેતરના સમયમાં પ્રમોદ કૃષ્ણમ ઘણા મુદ્દાઓ પર કોંગ્રેસ અને તેના નેતાની ટીકાને કારણે ચર્ચામાં આવ્યા હતા. 


આચાર્ય પ્રમોદે આપી પહેલી પ્રતિક્રિયા


શનિવારે કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા બાદ આચાર્ય પ્રમોદની પહેલી પ્રતિક્રિયા રવિવારે આવી હતી. તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ટેગ કરીને સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી છે. આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે રાહુલ ગાંધીની હકાલપટ્ટી પર કટાક્ષ કરતા લખ્યું કે, રામ અને રાષ્ટ્ર સાથે સમાધાન થઈ શકે નહીં. ઉલ્લેખનીય છે કે પ્રમોદ કૃષ્ણમ જાહેર મંચ પર સતત ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.


કોંગ્રેસ પર કર્યા હતા કટાક્ષ

 

આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સતત કોંગ્રેસના નેતાઓ પર નિશાન સાધતા હતા. તેઓ તેમના નિવેદનોથી નારાજ હતા અને તેથી જ તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓને હિન્દુ વિરોધી ગણાવ્યા હતા. અયોધ્યામાં શ્રી રામ મંદિરના અભિષેક સમારોહ માટેના આમંત્રણ પત્રને ફગાવી દેનારા નેતાઓ પર પણ તેઓ નારાજ હતા. કોંગ્રેસના અગ્રણી નેતા હોવા છતાં, જ્યારે તેમણે ખુલ્લેઆમ પોતાની પાર્ટીનો વિરોધ કરવાનું શરૂ કર્યું, ત્યારે અટકળો શરૂ થઈ કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે.



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.