મોદી સરકાર સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો, અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-10 21:36:34

મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન આજે ગુરૂવારે (10 ઓગસ્ટ)ના રોજ પડી ગયો છે. પીએમ મોદીના જવાબ બાદ સંસદમાં ધ્વનીમતથી આ પ્રસ્તાવ પડી ગયો છે. આવું એટલા માટે થયું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પીએમ મોદીના જવાબ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ધ્વનિમતથી વોટિંગથી થયું હતું. ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આ ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધિર રંજનના ગેરવર્તન બાદ આ નિર્ણય લીધો હતો.    


વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ


કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .