મોદી સરકાર સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો, અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-10 21:36:34

મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન આજે ગુરૂવારે (10 ઓગસ્ટ)ના રોજ પડી ગયો છે. પીએમ મોદીના જવાબ બાદ સંસદમાં ધ્વનીમતથી આ પ્રસ્તાવ પડી ગયો છે. આવું એટલા માટે થયું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પીએમ મોદીના જવાબ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ધ્વનિમતથી વોટિંગથી થયું હતું. ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આ ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધિર રંજનના ગેરવર્તન બાદ આ નિર્ણય લીધો હતો.    


વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ


કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.