મોદી સરકાર સામે લવાયેલો અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવાયો, અધીર રંજન ચૌધરી લોકસભામાંથી સસ્પેન્ડ


  • Published By :
  • Published Date : 2023-08-10 21:36:34

મોદી સરકાર સામે વિપક્ષી ગઠબંધન 'INDIA' દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાન આજે ગુરૂવારે (10 ઓગસ્ટ)ના રોજ પડી ગયો છે. પીએમ મોદીના જવાબ બાદ સંસદમાં ધ્વનીમતથી આ પ્રસ્તાવ પડી ગયો છે. આવું એટલા માટે થયું કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન વિરોધ પક્ષોએ વોકઆઉટ કર્યું હતું. લોકસભામાં પીએમ મોદીના જવાબ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયું હતું, જેમાં સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવ પડી ગયો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ પર ધ્વનિમતથી વોટિંગથી થયું હતું. ત્યારબાદ સંસદને 11 વાગ્યા સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યારે આ ઘટનાક્રમમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ અધિર રંજનના ગેરવર્તન બાદ આ નિર્ણય લીધો હતો.    


વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ


કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધીર સામેનો મામલો વિશેષાધિકાર સમિતિને તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ લોકસભામાં આ સંબંધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે ધ્વનિ મતથી મંજૂર કર્યો હતો. આ પહેલા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યો હતો. ઠરાવ મુજબ, કોંગ્રેસ નેતા ચૌધરી વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી ગૃહની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ રહેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.