'INDIA'ના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા, PM મોદી 10મીએ આપશે જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-01 17:58:24

મણિપુરના મુદ્દા પર મોદી સરકાર સામે વિપક્ષોના મહાગઠબંધન 'INDIA'ના સાંસદો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8થી 10 ઓગસ્ટ દરમિયાન લોકસભામાં ચર્ચા થશે. પીએમ મોદી વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો જવાબ 10 ઓગસ્ટના રોજ આપશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, જેને લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સ્વિકારી લીધી હતી. 


બપોરે 12 વાગ્યે શરૂ થશે ચર્ચા  


લોકસભામાં (Lok Sabha) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં ચર્ચા શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 10 ઓગસ્ટે તેનો જવાબ આપશે. મણિપુરના મુદ્દા પર વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યો હતો.


PM મોદીએ જવાબ આપવો પડશે


વિપક્ષ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ લાવવા વિપક્ષ પોતાની માગ પર અડગ છે અને હંગામો મચાવતા રહ્યા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે. વિપક્ષની માગ હતી કે સરકારે નિયમ 267 હેઠળ વિગતવાર ચર્ચા કરવી જોઈએ અને બાદમાં પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. જો કે, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે. સરકારે વિપક્ષ પર ભાગી જવાનો આરોપ લગાવ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મણિપુરની સ્થિતિ પર સંસદમાં જવાબ આપશે. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો.


મોદી સરકાર પાસે છે લોકસભામાં બહુમતી


ભલે ગૃહમાં વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વિપક્ષનો આ દાવ ઉલટો પણ પડી શકે છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે લોકસભાના 537 સભ્યોમાંથી 143 સાંસદો છે. જ્યારે, મોદી સરકારને સમર્થન કરનારા લોકસભા સાંસદોની સંખ્યા લગભગ 333 છે. આવી સ્થિતિમાં સરકાર સંખ્યાના મામલામાં વિપક્ષી પાર્ટીઓને પાછળ છોડી દેશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .