'INDIA'ના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા, PM મોદી 10મીએ આપશે જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-01 17:58:24

મણિપુરના મુદ્દા પર મોદી સરકાર સામે વિપક્ષોના મહાગઠબંધન 'INDIA'ના સાંસદો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8થી 10 ઓગસ્ટ દરમિયાન લોકસભામાં ચર્ચા થશે. પીએમ મોદી વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો જવાબ 10 ઓગસ્ટના રોજ આપશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, જેને લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સ્વિકારી લીધી હતી. 


બપોરે 12 વાગ્યે શરૂ થશે ચર્ચા  


લોકસભામાં (Lok Sabha) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં ચર્ચા શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 10 ઓગસ્ટે તેનો જવાબ આપશે. મણિપુરના મુદ્દા પર વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યો હતો.


PM મોદીએ જવાબ આપવો પડશે


વિપક્ષ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ લાવવા વિપક્ષ પોતાની માગ પર અડગ છે અને હંગામો મચાવતા રહ્યા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે. વિપક્ષની માગ હતી કે સરકારે નિયમ 267 હેઠળ વિગતવાર ચર્ચા કરવી જોઈએ અને બાદમાં પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. જો કે, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે. સરકારે વિપક્ષ પર ભાગી જવાનો આરોપ લગાવ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મણિપુરની સ્થિતિ પર સંસદમાં જવાબ આપશે. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો.


મોદી સરકાર પાસે છે લોકસભામાં બહુમતી


ભલે ગૃહમાં વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વિપક્ષનો આ દાવ ઉલટો પણ પડી શકે છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે લોકસભાના 537 સભ્યોમાંથી 143 સાંસદો છે. જ્યારે, મોદી સરકારને સમર્થન કરનારા લોકસભા સાંસદોની સંખ્યા લગભગ 333 છે. આવી સ્થિતિમાં સરકાર સંખ્યાના મામલામાં વિપક્ષી પાર્ટીઓને પાછળ છોડી દેશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.