'INDIA'ના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા, PM મોદી 10મીએ આપશે જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-01 17:58:24

મણિપુરના મુદ્દા પર મોદી સરકાર સામે વિપક્ષોના મહાગઠબંધન 'INDIA'ના સાંસદો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8થી 10 ઓગસ્ટ દરમિયાન લોકસભામાં ચર્ચા થશે. પીએમ મોદી વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો જવાબ 10 ઓગસ્ટના રોજ આપશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, જેને લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સ્વિકારી લીધી હતી. 


બપોરે 12 વાગ્યે શરૂ થશે ચર્ચા  


લોકસભામાં (Lok Sabha) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં ચર્ચા શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 10 ઓગસ્ટે તેનો જવાબ આપશે. મણિપુરના મુદ્દા પર વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યો હતો.


PM મોદીએ જવાબ આપવો પડશે


વિપક્ષ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ લાવવા વિપક્ષ પોતાની માગ પર અડગ છે અને હંગામો મચાવતા રહ્યા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે. વિપક્ષની માગ હતી કે સરકારે નિયમ 267 હેઠળ વિગતવાર ચર્ચા કરવી જોઈએ અને બાદમાં પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. જો કે, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે. સરકારે વિપક્ષ પર ભાગી જવાનો આરોપ લગાવ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મણિપુરની સ્થિતિ પર સંસદમાં જવાબ આપશે. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો.


મોદી સરકાર પાસે છે લોકસભામાં બહુમતી


ભલે ગૃહમાં વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વિપક્ષનો આ દાવ ઉલટો પણ પડી શકે છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે લોકસભાના 537 સભ્યોમાંથી 143 સાંસદો છે. જ્યારે, મોદી સરકારને સમર્થન કરનારા લોકસભા સાંસદોની સંખ્યા લગભગ 333 છે. આવી સ્થિતિમાં સરકાર સંખ્યાના મામલામાં વિપક્ષી પાર્ટીઓને પાછળ છોડી દેશે.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.