'INDIA'ના અવિશ્વાસ પ્રસ્તાવ પર 8 ઓગસ્ટથી શરૂ થશે ચર્ચા, PM મોદી 10મીએ આપશે જવાબ


  • Published By :
  • Published Date : 2023-08-01 17:58:24

મણિપુરના મુદ્દા પર મોદી સરકાર સામે વિપક્ષોના મહાગઠબંધન 'INDIA'ના સાંસદો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આગામી 8થી 10 ઓગસ્ટ દરમિયાન લોકસભામાં ચર્ચા થશે. પીએમ મોદી વિપક્ષના અવિશ્વાસના પ્રસ્તાવનો જવાબ 10 ઓગસ્ટના રોજ આપશે. વિપક્ષ તરફથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી, જેને લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ સ્વિકારી લીધી હતી. 


બપોરે 12 વાગ્યે શરૂ થશે ચર્ચા  


લોકસભામાં (Lok Sabha) વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. 8 ઓગસ્ટે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં ચર્ચા શરૂ થશે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) 10 ઓગસ્ટે તેનો જવાબ આપશે. મણિપુરના મુદ્દા પર વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકાર્યો હતો.


PM મોદીએ જવાબ આપવો પડશે


વિપક્ષ દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવ લાવવા વિપક્ષ પોતાની માગ પર અડગ છે અને હંગામો મચાવતા રહ્યા હતા. વિપક્ષને આ મુદ્દે બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાનો વિચાર આવ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર આ અંગે ગૃહમાં ચર્ચા કરશે. તે જાણે છે કે આ અવિશ્વાસ પ્રસ્તાવથી સરકારને કોઈ ફરક પડવાનો નથી. સરકાર પાસે બહુમતી છે, પરંતુ તેના દ્વારા અમે મણિપુર પર અમારા મંતવ્યો રજૂ કરી શકીશું, ચર્ચા થશે અને પછી વડાપ્રધાને પણ જવાબ આપવાનો રહેશે. વિપક્ષની માગ હતી કે સરકારે નિયમ 267 હેઠળ વિગતવાર ચર્ચા કરવી જોઈએ અને બાદમાં પીએમ મોદીએ જવાબ આપવો જોઈએ. જો કે, સરકાર વતી એવું કહેવામાં આવ્યું હતું કે તે નિયમ 176 હેઠળ ચર્ચા માટે તૈયાર છે. સરકારે વિપક્ષ પર ભાગી જવાનો આરોપ લગાવ્યો. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે અમિત શાહ મણિપુરની સ્થિતિ પર સંસદમાં જવાબ આપશે. પરંતુ વિપક્ષ આ માટે તૈયાર નહોતો.


મોદી સરકાર પાસે છે લોકસભામાં બહુમતી


ભલે ગૃહમાં વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ વિપક્ષનો આ દાવ ઉલટો પણ પડી શકે છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' પાસે લોકસભાના 537 સભ્યોમાંથી 143 સાંસદો છે. જ્યારે, મોદી સરકારને સમર્થન કરનારા લોકસભા સાંસદોની સંખ્યા લગભગ 333 છે. આવી સ્થિતિમાં સરકાર સંખ્યાના મામલામાં વિપક્ષી પાર્ટીઓને પાછળ છોડી દેશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.