ભારતની સલાહ લીધા વિના વિશ્વમાં કોઈ પણ મોટા મુદ્દાનો નિર્ણય લેવામાં આવતો નથી: એસ જયશંકર


  • Published By :
  • Published Date : 2024-01-13 17:26:00

વિદેશ મંત્રી ડો. એસ જયશંકર હાલ મહારાષ્ટ્રના પ્રવાસ પર છે. તેમણે નાગપુરમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સંસ્થાપક ડો. હેડગેવાર અને ગુરુજીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથેની ચર્ચામાં કહ્યું કે હવે આપણે બદલાઈ ગયા છિએ તેથી દુનિયાનો આપણા તરફ જોવાનો દ્રષ્ટીકોણ પણ બદલાઈ ગયો છે. દુનિયામાં કોઈ પણ મોટા મુદ્દાઓ હવે ભારત સાથે વિચાર-વિમર્સ અને સલાહ વિના નક્કી થતાં નથી. 


કાલે અમેરિકાના વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા


લાલ સાગરમાં સુરક્ષા પરિસ્થિતીઓ હવે હુથી બળવાખોરોના કારણે મોટા પડકારરૂપ બની ગઈ છે. આ મામલે વિદેશ મંત્રી જય શંકરે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ફોન પર ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને યુક્રેનની સ્થિતી પર ચર્ચા કરી હતી. આ ચર્ચા અંગે મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે "આજ સાંજે મારા મિત્ર અને અમેરિકાના વિદેશ મંત્રી બ્લિંકન સાથે સારી ચર્ચા થઈ હતી. અમારી ચર્ચા સમુદ્ર સુરક્ષાના પડકારો, વિશેષ રીતથી લાલ લાગર ક્ષેત્ર પર કેન્દ્રીત હતું, તે સાથે જ ગાઝા સહિત પશ્ચિમ એશિયામાં માટેની અમેરિકાની નીતિઓની પ્રશંસા કરી હતી."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.