આતંકવાદીઓની હવે ખેર નહી! Jammu kashmirમાં સુરક્ષા બળ દ્વારા કરાયું આતંકીઓનું એન્કાઉન્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 09:43:27

આપણી સુરક્ષા માટે દેશની સીમા પર જવાન તૈનાત છે તેને કારણે આપણે ઘરમાં શાંતિથી આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ. દુશ્મનોની ગોળી તેઓ પોતાના પર લઈ લે છે કે. દેશની સુરક્ષા કરવા માટે તેઓ તત્પર રહે છે. આતંકવાદીઓનો સામનો જ્યારે તેઓ કરે છે ત્યારે તે પોતાના જીવનને જોખમમાં નાખે છે. આતંકવાદીઓ સાથે થતી અથડામણમાં કાં તો તે શહીદ થઈ જાય છે કાં તો આતંકવાદીને ઠાર કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે પણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની માહિતી મળતા સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થઈ હતી અથડામણ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી હોય તેવા સમાચાર આપણને મળતા હોય છે. આતંકવાદીની જાણ થતાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ત્યારે કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે.સુરક્ષા બળોએ બે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે દેશની સીમા પર સુરક્ષા બળો તૈનાત છે તેને કારણે જ આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. દેશની સુરક્ષા માટે સુરક્ષા બળોના જવાનો તત્પર હોય છે. 


અનેક વખત સામે આવતા હોય છે આવા કિસ્સાઓ 

આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે તે આતંકવાદી ક્યારે સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી મળી ગઈ છે. મહત્વનું છે કે આની પહેલા પણ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા. ઘરમાં છૂપાયેલા હતા આતંકવાદીઓ. અથડામણમાં અનેક વખત આતંકવાદીઓ માર્યા જાય છે અથવા તો દેશનો વીર જવાન શહાદતને પામે છે. આપણી સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોને સો સો સલામ છે. 

અનંતનાગ આતંકી હુમલો : પાકિસ્તાને એક નહીં ઘણા હુમલાની બનાવી હતી યોજના, આવી  રીતે થયો ખુલાસો | anantnag encounter jammu kashmir pakistan involved in  attack source



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.