આતંકવાદીઓની હવે ખેર નહી! Jammu kashmirમાં સુરક્ષા બળ દ્વારા કરાયું આતંકીઓનું એન્કાઉન્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 09:43:27

આપણી સુરક્ષા માટે દેશની સીમા પર જવાન તૈનાત છે તેને કારણે આપણે ઘરમાં શાંતિથી આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ. દુશ્મનોની ગોળી તેઓ પોતાના પર લઈ લે છે કે. દેશની સુરક્ષા કરવા માટે તેઓ તત્પર રહે છે. આતંકવાદીઓનો સામનો જ્યારે તેઓ કરે છે ત્યારે તે પોતાના જીવનને જોખમમાં નાખે છે. આતંકવાદીઓ સાથે થતી અથડામણમાં કાં તો તે શહીદ થઈ જાય છે કાં તો આતંકવાદીને ઠાર કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે પણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની માહિતી મળતા સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થઈ હતી અથડામણ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી હોય તેવા સમાચાર આપણને મળતા હોય છે. આતંકવાદીની જાણ થતાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ત્યારે કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે.સુરક્ષા બળોએ બે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે દેશની સીમા પર સુરક્ષા બળો તૈનાત છે તેને કારણે જ આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. દેશની સુરક્ષા માટે સુરક્ષા બળોના જવાનો તત્પર હોય છે. 


અનેક વખત સામે આવતા હોય છે આવા કિસ્સાઓ 

આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે તે આતંકવાદી ક્યારે સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી મળી ગઈ છે. મહત્વનું છે કે આની પહેલા પણ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા. ઘરમાં છૂપાયેલા હતા આતંકવાદીઓ. અથડામણમાં અનેક વખત આતંકવાદીઓ માર્યા જાય છે અથવા તો દેશનો વીર જવાન શહાદતને પામે છે. આપણી સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોને સો સો સલામ છે. 

અનંતનાગ આતંકી હુમલો : પાકિસ્તાને એક નહીં ઘણા હુમલાની બનાવી હતી યોજના, આવી  રીતે થયો ખુલાસો | anantnag encounter jammu kashmir pakistan involved in  attack source



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.