આતંકવાદીઓની હવે ખેર નહી! Jammu kashmirમાં સુરક્ષા બળ દ્વારા કરાયું આતંકીઓનું એન્કાઉન્ટર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-10 09:43:27

આપણી સુરક્ષા માટે દેશની સીમા પર જવાન તૈનાત છે તેને કારણે આપણે ઘરમાં શાંતિથી આપણા પરિવાર સાથે રહી શકીએ છીએ. દુશ્મનોની ગોળી તેઓ પોતાના પર લઈ લે છે કે. દેશની સુરક્ષા કરવા માટે તેઓ તત્પર રહે છે. આતંકવાદીઓનો સામનો જ્યારે તેઓ કરે છે ત્યારે તે પોતાના જીવનને જોખમમાં નાખે છે. આતંકવાદીઓ સાથે થતી અથડામણમાં કાં તો તે શહીદ થઈ જાય છે કાં તો આતંકવાદીને ઠાર કરે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનોની મુઠભેડ થવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી હોય છે. ત્યારે આજે પણ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા બળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદીઓની માહિતી મળતા સુરક્ષા બળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. 

સુરક્ષા બળ અને આતંકવાદી વચ્ચે થઈ હતી અથડામણ

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતી હોય તેવા સમાચાર આપણને મળતા હોય છે. આતંકવાદીની જાણ થતાં સુરક્ષા બળો સર્ચ ઓપરેશન હાથ ધરે છે. ત્યારે કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોને આતંકવાદીઓને ઠાર કરવામાં મોટી સફળતા મળી છે.સુરક્ષા બળોએ બે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. આ અંગેની જાણકારી કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવી  છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે દેશની સીમા પર સુરક્ષા બળો તૈનાત છે તેને કારણે જ આપણે ઘરમાં શાંતિથી રહી શકીએ છીએ. દેશની સુરક્ષા માટે સુરક્ષા બળોના જવાનો તત્પર હોય છે. 


અનેક વખત સામે આવતા હોય છે આવા કિસ્સાઓ 

આ અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જે આતંકવાદીઓનું એન્કાઉન્ટર થયું છે તે આતંકવાદી ક્યારે સંગઠન સાથે જોડાયેલા હતા તેની જાણકારી મળી ગઈ છે. મહત્વનું છે કે આની પહેલા પણ કુલગામ જિલ્લાના કુજ્જર વિસ્તારમાં રહેતા આતંકવાદીઓને મારી પાડવામાં આવ્યા હતા. ઘરમાં છૂપાયેલા હતા આતંકવાદીઓ. અથડામણમાં અનેક વખત આતંકવાદીઓ માર્યા જાય છે અથવા તો દેશનો વીર જવાન શહાદતને પામે છે. આપણી સુરક્ષા માટે તત્પર રહેતા જવાનોને સો સો સલામ છે. 

અનંતનાગ આતંકી હુમલો : પાકિસ્તાને એક નહીં ઘણા હુમલાની બનાવી હતી યોજના, આવી  રીતે થયો ખુલાસો | anantnag encounter jammu kashmir pakistan involved in  attack source



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.