મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા રામ મંદિરને અમારૂ કોઈ સમર્થન નહીં: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ


  • Published By :
  • Published Date : 2024-01-18 16:00:58

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મંદિરમાં રામ લાલાની પવિત્ર મૂર્તિની સ્થાપના થવાની છે. આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે વિરોધ પક્ષો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ આ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે.


શું કહ્યું ઉદયનિધિએ?


તમિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું છે કે 'અમે અથવા અમારી પાર્ટીના નેતાઓ કોઈપણ મંદિરના નિર્માણની વિરુદ્ધ નથી, હા પરંતુ અમે જે જગ્યાએ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવાનું સમર્થન કરતા નથી. અમારા નેતાએ કહ્યું હતું કે, ધર્મ અને રાજકારણને ભેળવશો નહીં. અમે હજુ પણ અમારા તે સ્ટેન્ડને મક્કમતાથી વળગી રહ્યા છીએ. અમે કોઈ મંદિરના વિરોધમાં નથી, પરંતુ પહેલા જ્યાં મસ્જિદ હતી તે જગ્યાને તોડીને જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.' ઉલ્લેખનિય છે કે ઉદયનિધિ સ્ટાલિન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે 


 અગાઉ પણ આપી ચુક્યા છે નિવેદન


ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. ઉદયનિધિ સ્ટાલિને અગાઉ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના જેવી મહામારીઓ સાથે જોડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સામે લડવાની જરૂર નથી પરંતુ તેને ખતમ કરવી પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહારો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ ગયો છે. તેમના નિવેદનના આધારે પરપટના કોર્ટે સમન્સ પણ જારી કર્યા છે અને 13મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.