મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા રામ મંદિરને અમારૂ કોઈ સમર્થન નહીં: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ


  • Published By :
  • Published Date : 2024-01-18 16:00:58

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મંદિરમાં રામ લાલાની પવિત્ર મૂર્તિની સ્થાપના થવાની છે. આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે વિરોધ પક્ષો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ આ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે.


શું કહ્યું ઉદયનિધિએ?


તમિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું છે કે 'અમે અથવા અમારી પાર્ટીના નેતાઓ કોઈપણ મંદિરના નિર્માણની વિરુદ્ધ નથી, હા પરંતુ અમે જે જગ્યાએ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવાનું સમર્થન કરતા નથી. અમારા નેતાએ કહ્યું હતું કે, ધર્મ અને રાજકારણને ભેળવશો નહીં. અમે હજુ પણ અમારા તે સ્ટેન્ડને મક્કમતાથી વળગી રહ્યા છીએ. અમે કોઈ મંદિરના વિરોધમાં નથી, પરંતુ પહેલા જ્યાં મસ્જિદ હતી તે જગ્યાને તોડીને જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.' ઉલ્લેખનિય છે કે ઉદયનિધિ સ્ટાલિન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે 


 અગાઉ પણ આપી ચુક્યા છે નિવેદન


ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. ઉદયનિધિ સ્ટાલિને અગાઉ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના જેવી મહામારીઓ સાથે જોડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સામે લડવાની જરૂર નથી પરંતુ તેને ખતમ કરવી પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહારો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ ગયો છે. તેમના નિવેદનના આધારે પરપટના કોર્ટે સમન્સ પણ જારી કર્યા છે અને 13મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.