મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા રામ મંદિરને અમારૂ કોઈ સમર્થન નહીં: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ


  • Published By :
  • Published Date : 2024-01-18 16:00:58

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મંદિરમાં રામ લાલાની પવિત્ર મૂર્તિની સ્થાપના થવાની છે. આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે વિરોધ પક્ષો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ આ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે.


શું કહ્યું ઉદયનિધિએ?


તમિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું છે કે 'અમે અથવા અમારી પાર્ટીના નેતાઓ કોઈપણ મંદિરના નિર્માણની વિરુદ્ધ નથી, હા પરંતુ અમે જે જગ્યાએ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવાનું સમર્થન કરતા નથી. અમારા નેતાએ કહ્યું હતું કે, ધર્મ અને રાજકારણને ભેળવશો નહીં. અમે હજુ પણ અમારા તે સ્ટેન્ડને મક્કમતાથી વળગી રહ્યા છીએ. અમે કોઈ મંદિરના વિરોધમાં નથી, પરંતુ પહેલા જ્યાં મસ્જિદ હતી તે જગ્યાને તોડીને જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.' ઉલ્લેખનિય છે કે ઉદયનિધિ સ્ટાલિન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે 


 અગાઉ પણ આપી ચુક્યા છે નિવેદન


ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. ઉદયનિધિ સ્ટાલિને અગાઉ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના જેવી મહામારીઓ સાથે જોડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સામે લડવાની જરૂર નથી પરંતુ તેને ખતમ કરવી પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહારો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ ગયો છે. તેમના નિવેદનના આધારે પરપટના કોર્ટે સમન્સ પણ જારી કર્યા છે અને 13મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.