મસ્જિદ તોડીને બનાવવામાં આવેલા રામ મંદિરને અમારૂ કોઈ સમર્થન નહીં: તમિલનાડુના મંત્રી ઉદયનિધિ


  • Published By :
  • Published Date : 2024-01-18 16:00:58

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મંદિરમાં રામ લાલાની પવિત્ર મૂર્તિની સ્થાપના થવાની છે. આ ભવ્ય સમારોહને લઈને અયોધ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જો કે વિરોધ પક્ષો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને પણ આ મામલે વિવાદિત નિવેદન આપ્યું છે.


શું કહ્યું ઉદયનિધિએ?


તમિલનાડુના મંત્રી ઉદયનિધિએ કહ્યું છે કે 'અમે અથવા અમારી પાર્ટીના નેતાઓ કોઈપણ મંદિરના નિર્માણની વિરુદ્ધ નથી, હા પરંતુ અમે જે જગ્યાએ મસ્જિદ તોડી પાડવામાં આવી હતી ત્યાં મંદિર બનાવવાનું સમર્થન કરતા નથી. અમારા નેતાએ કહ્યું હતું કે, ધર્મ અને રાજકારણને ભેળવશો નહીં. અમે હજુ પણ અમારા તે સ્ટેન્ડને મક્કમતાથી વળગી રહ્યા છીએ. અમે કોઈ મંદિરના વિરોધમાં નથી, પરંતુ પહેલા જ્યાં મસ્જિદ હતી તે જગ્યાને તોડીને જે મંદિર બનાવવામાં આવ્યું છે તેને અમે સમર્થન આપી શકીએ નહીં.' ઉલ્લેખનિય છે કે ઉદયનિધિ સ્ટાલિન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે 


 અગાઉ પણ આપી ચુક્યા છે નિવેદન


ઉદયનિધિ સ્ટાલિન તમિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર અને યુવા બાબતોના મંત્રી છે. ઉદયનિધિ સ્ટાલિને અગાઉ પણ સનાતન ધર્મને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 2 સપ્ટેમ્બરે એક કાર્યક્રમ દરમિયાન તેમણે સનાતન ધર્મને ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના જેવી મહામારીઓ સાથે જોડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સામે લડવાની જરૂર નથી પરંતુ તેને ખતમ કરવી પડશે. ઉદયનિધિ સ્ટાલિનના આ વિવાદાસ્પદ નિવેદન સામે ભાજપના નેતાઓએ પણ આકરા પ્રહારો કર્યા હતા. મામલો કોર્ટમાં પણ ગયો છે. તેમના નિવેદનના આધારે પરપટના કોર્ટે સમન્સ પણ જારી કર્યા છે અને 13મી ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.