બિનસચિવાલય ક્લાર્કની નિમણૂંક માટે તરસતા ઉમેદવારો, 5 વર્ષે એક ભરતી ન થઈ શકે આટલી ધીમી સિસ્ટમ?


  • Published By :
  • Published Date : 2023-01-19 21:39:54

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાઓની કાગડોળે રાહ જોતા હોય છે. જો કે તે પરીક્ષાની તારીખો જાહેર થયા બાદ પણ તે સમયસર લેવાતી નથી અને જો પરીક્ષા લેવામાં પણ આવે તો તેનું પરીણામ આવતા વર્ષો લાગે અને અને પરીક્ષાનું પરિણામ પણ જાહેર થાય તો નિમણૂક થશે કે કેમ તે સળગતો સવાલ ઉમેદવારોને સતત મૂંઝવતો હોય છે. આવું જ કાંઈક 2018ની બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા સાથે થયું છે.


2018માં બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષાની જાહેરાત 


ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી. બાદમાં ફરી વાર જૂન 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. આ પરીક્ષા માટે ગુજરાતમાંથી દસ લાખથી વધુ લોકોએ આ પરીક્ષાના ફોર્મ ભર્યાં હતાં. 20 ઑક્ટોબરે પરીક્ષા યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી. બાદમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા 17 નવેમ્બરે લેવાઈ હતી અને ગેરરીતિના આરોપ લાગતાં ફરી રદ કરવામાં આવી હતી. જો કે સરકારે 4 ડિસેમ્બરે સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજી પેપર લીક થયું હોવાનો ઇન્કાર કર્યો હતો. 


2019માં પેપરલીક થતા આંદોલન


બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લિક થતા વિદ્યાર્થીઓમાં આક્રોસ ભભુકી ઉઢ્યો હતો.પરીક્ષાર્થીઓએ પેપરલિંક ઘટનાની તપાસ માટે જોરદાર આંદોલન કર્યું હતું. જો કે અંતે સરકાર ઝુંકી હતી અને તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. 14 ડિસેમ્બરે એફએસએલ તેનો તપાસ રિપોર્ટ રજુ કર્યો અને તેમાં પેપર લીક થયાનું જાહેર કર્યું હતું. પોલીસે પેપરલિકમાં સામેલ પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી.


પરીક્ષા લેવા માટે ટ્વીટર પર આંદોલન


બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા 2 વર્ષમાં એકથી વધુ વખત બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા રાજ્યભરના ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારો દ્વારા તાત્કાલિક પરીક્ષાની તારીખ જાહેર કરવાની માગ ઉઠી હતી. પરીક્ષાર્થીઓએ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે ટ્વીટર પર આંદોલન ચલાવ્યું હતું. અંતે આ બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આગામી તારીખ 24મી એપ્રિલ, 2022ના રોજ યોજવાની માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ચેરમેન IAS એ કે રાકેશે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.


ઉમેદવારોની નિમણુંક માટે લડત


સરકારે પરીક્ષા તો યોજી અને હવે પરીણામ જાહેર થયા બાદ પરીક્ષાર્થીઓ નિમણૂક પત્ર માટે રીતસર લડત ચલાવી રહ્યા છે. સરકારે પણ વિધાનસભાની ચૂંટણી પહેલા વિદ્યાર્થીઓ નિમણૂક પત્ર આપવાના બદલે માત્ર અભિનંદન પત્ર મોકલ્યા હતા. ઉમેદવારોએ સરકાર સામે ટ્વીટર પર ફરી આંદોલન શરૂ કર્યું છે અને સરકારને અભિનંદન પત્રોના તમાશાના બદલે નિમણુક આપવા માટે પ્રક્રિયા પુરી કરવાની કરવાની માગ કરી હતી. આ મુદ્દાની સૌથી રસપ્રદ બાબત એ છે કે નિમણુંક આપનારી જીએડી અને પરીક્ષા લેનારી ગૌણસેવા એમ બંનેના ચેરમેન એકે રાકેશ છે. જો કે તેમ છતાં પણ નિમણૂંકની પ્રકિયા અધ્ધરતાલ છે. હવે 23મી જાન્યુઆરીની આસપાસ સરકાર નિમણૂકની પ્રક્રિયા પુરી કરે તેવું અનુમાન વ્યક્ત કરાવામાં આવી રહ્યું છે.


આટલી ધીમી સિસ્ટમ?


ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષાની જાહેરાત કરી હતી. આ વાતને પાંચ વર્ષ જેટલો સમય વિતી ગયો છે. આટલા સમય બાદ પણ હજું ઉમેદવારો તેમની નિમણૂકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકાર ગોકળ ગાયની ગતિએ કામ કરે છે  તેથી જ ઉમેદવારોનું ભાવી અંધકારમય બની જાય છે. શું સરકાર ભવિષ્યમાં પણ આવી જ રીતે મનમોજી રીતે પરીક્ષોએ યોજશે અને નિમણૂકો કરશે. જો આવું થશે તો ચોક્કસપણે ભાવી પેઢી માટે આ ચિંતાનો વિષય છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.