હરિયાણાના નૂહ અને ગુરુગ્રામમાં કોમી હિંસા, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ, એક જવાનનું મોત


  • Published By :
  • Published Date : 2023-07-31 21:47:46

હરિયાણાના નૂહ જિલ્લામાં એક ધાર્મિક શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતી જોવા મળી રહી છે. બંને પક્ષો વચ્ચે થયેલા પથ્થરમારા દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હરિયાણા સરકારે જણાવ્યું હતું કે સાંપ્રદાયિક તણાવને રોકવા માટે બુધવાર સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું કે સરકારે પડોશી જિલ્લાઓમાંથી વધારાના દળો મોકલ્યા છે. નૂહમાં થયેલી હિંસાની અસર ગુરુગ્રામ સુધી જોવા મળી રહી છે. બંને જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હિંસા દરમિયાન ગુરુગ્રામના એક હોમગાર્ડનું મોત થયું હતું, જ્યારે બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.


હોમગાર્ડ જવાન શહીદ, ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ


નૂહમાં કોમી અશાંતિ બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે મોટા ભાગના સ્થળોએ હજુ પણ ઈન્ટરનેટ ચાલુ છે. નૂહમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. એક હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્પીકરના માધ્યમથી લોકોને સતત તેમના ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. રમખાણોમાં ગુરુગ્રામના ખેડકી દૌલા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ જવાન નૂહ શહીદ થયા છે જ્યારે બે અધિકારીઓ ઘાયલ થયા છે. ગુરુગ્રામના એક ઈન્સ્પેક્ટરને પેટમાં ગોળી વાગી હતી અને ડીએસપી હોડલ સજ્જન સિંહને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.


કોમી તંગદીલી કઈ રીતે સર્જાઈ?


ગુરુગ્રામ વિશ્વ હિંદુ પરિષદના મહાસચિવ યશવંત શેખાવતના જણાવ્યા અનુસાર, ગુરુગ્રામના સેંકડો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ભગવાન શિવના જલાભિષેક કરવા માટે નળ હદ શિવ મંદિર મેવાત ગયા હતા. યાત્રા શિવ મંદિર નળ હુદમાં પહોંચતા જ તોફાની તત્વોએ યાત્રા પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને આગચંપી કરી હતી. સાથે જ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. હંગામા દરમિયાન ફાયરિંગથી લઈને આગચંપી સુધીની ઘટનાઓ બની હતી. ઘણા સરકારી વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી અને કેટલાક ખાનગી વાહનોને પણ ટોળાએ નિશાન બનાવ્યા હતા. પોલીસે મામલો શાંત પાડવા ફાયરિંગ પણ કર્યું હતું. આ વિસ્તારમાં સ્થિતિ તણાવપૂર્ણ છે અને ઘણી જગ્યાએ છૂટાછવાયા બનાવો નોંધાઈ રહ્યા છે. આ ઘટના બાદ નૂહ-હોડલ રોડ પર માર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેને લઈને નૂહ શહેર સાવ નિર્જન ભાસી રહ્યું છે. આ ઘટના બાદ મોટાભાગની બજાર બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા છે.



પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.