ના હોય... આ વખતે સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર નહીં પરંતુ ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-01 12:58:07

પેપર લીક આ શબ્દ ગુજરાતમાં તો પ્રચલિત થઈ ગયો છે થોડા સમયથી પરંતુ હવે આ શબ્દ હવે ઉત્તર પ્રદેશમાં પ્રચલિત થઈ રહ્યો છે! થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીનું પેપર લીક થયું હતું.ઉમેદવારોના વિરોધ પ્રદર્શન બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હવે ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું છે. ધોરણ 12ના બે પેપર લીક થયા છે, પરીક્ષા શરૂ થઈ તેના એક કલાક બાદ પેપર વાયરલ થયું હોવાની માહિતી સામે આવી છે. યુપી બોર્ડના સચિવ અનુસાર ઈંટરમીડિએટ જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર બપોરે 3.10 વાગે એક whatsapp ગ્રુપમાં મોકલવામાં આવ્યું હતું. 


ધોરણ 12 બોર્ડના બે પેપર થયા લીક!

ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત પેપર લીકની ઘટના બની છે. થોડા સમય પહેલા પોલીસ ભર્તીનું પેપર ફૂટ્યું હતું. પેપર લીક થવાની ઘટના સામે આવતા ઉમેદવારોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને ધ્યાનમાં રાખી પરીક્ષાને રદ્દ કરવાનો નિર્ણય ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ બાદ ફરી એક વખત પેપર લીકની ઘટના બની છે. આ વખતે કોઈ સ્પાર્ધાત્મક પરીક્ષાનું પેપર નહીં પરંતુ ધોરણ 12 બોર્ડનું પેપર ફૂટ્યું છે.   


પેપર લીક મામલે દાખલ કરાઈ પોલીસ ફરિયાદ!

પેપર લીક મામલે યુપી બોર્ડના સચિવ દિવ્યકાંત શુક્લાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મધ્યવર્તી જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર બપોરે 3:10 વાગ્યે એક વોટ્સએપ ગ્રુપ પર મોકલવામાં આવ્યું હતું. યુપી પોલીસ ભરતી પેપર લીક વિવાદ સાથે આ કથિત ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. મળતી માહિતી અનુસાર જે શાળામાંથી આ પેપર લીક થવાની ઘટના બની છે તેના આચાર્ય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે. મહત્વનું છે કે ગુજરાતમાં પણ આની પહેલા અનેક વખત પેપર લીક થયા છે. જ્યારે પેપર લીક નથી થતાં અનેક ઉમેદવારોના સપના ચૂર થઈ જતા હોય છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.