UP: લગ્નમાં ગુલાબ જાંબુ ખુટી જતા થયો હોબાળો, ધોકા-લાકડીની ઝપેટમાં આવતા 6 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-21 17:14:43

લગ્ન સમારોહમાં મનગમતી વાનગી ખુટી જાય ત્યારે જે લોકો તેનો સ્વાદ માણી શક્યા ન હોય તેમને વસવસો થાય તે સ્વાભાવિક છે. જો કે તેના કારણે મારમારી થાય તેવું તો જવલ્લેજ બનતું હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના શમસાબાદના નયા બાંસ રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા ભોજન સમારોહમાં ગુલાબ જાંબુ ખુટી જતા મોટી બબાલ થઈ ગઈ હતી. બે જુથો સામ-સામે આવી જતા એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. 


યજમાન પરિવાર સામે નોંધાઈ ફરિયાદ


લોહિયાળ સંઘર્ષ બાદ તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહેમાન ગૌરીશંકર શર્માએ યજમાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ગુલાબ જાંબુ ખલાસ થઈ જતા મહેમાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બબાલ એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે માથે મારપીટ કરવા લાગ્યા જેમા 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.