UP: લગ્નમાં ગુલાબ જાંબુ ખુટી જતા થયો હોબાળો, ધોકા-લાકડીની ઝપેટમાં આવતા 6 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-21 17:14:43

લગ્ન સમારોહમાં મનગમતી વાનગી ખુટી જાય ત્યારે જે લોકો તેનો સ્વાદ માણી શક્યા ન હોય તેમને વસવસો થાય તે સ્વાભાવિક છે. જો કે તેના કારણે મારમારી થાય તેવું તો જવલ્લેજ બનતું હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના શમસાબાદના નયા બાંસ રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા ભોજન સમારોહમાં ગુલાબ જાંબુ ખુટી જતા મોટી બબાલ થઈ ગઈ હતી. બે જુથો સામ-સામે આવી જતા એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. 


યજમાન પરિવાર સામે નોંધાઈ ફરિયાદ


લોહિયાળ સંઘર્ષ બાદ તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહેમાન ગૌરીશંકર શર્માએ યજમાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ગુલાબ જાંબુ ખલાસ થઈ જતા મહેમાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બબાલ એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે માથે મારપીટ કરવા લાગ્યા જેમા 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.