UP: લગ્નમાં ગુલાબ જાંબુ ખુટી જતા થયો હોબાળો, ધોકા-લાકડીની ઝપેટમાં આવતા 6 લોકો ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-11-21 17:14:43

લગ્ન સમારોહમાં મનગમતી વાનગી ખુટી જાય ત્યારે જે લોકો તેનો સ્વાદ માણી શક્યા ન હોય તેમને વસવસો થાય તે સ્વાભાવિક છે. જો કે તેના કારણે મારમારી થાય તેવું તો જવલ્લેજ બનતું હોય છે. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના શમસાબાદના નયા બાંસ રોડ પર આવેલા સંતોષી માતાના મંદિર નજીક એક લગ્ન પ્રસંગ બાદ યોજાયેલા ભોજન સમારોહમાં ગુલાબ જાંબુ ખુટી જતા મોટી બબાલ થઈ ગઈ હતી. બે જુથો સામ-સામે આવી જતા એક મહિલા સહિત 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. 


યજમાન પરિવાર સામે નોંધાઈ ફરિયાદ


લોહિયાળ સંઘર્ષ બાદ તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મહેમાન ગૌરીશંકર શર્માએ યજમાન પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ગુલાબ જાંબુ ખલાસ થઈ જતા મહેમાનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બબાલ એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે માથે મારપીટ કરવા લાગ્યા જેમા 6 લોકો ઘાયલ થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દોષિતો સામે કાર્યવાહી શરૂ કરી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .