નરેન્દ્ર-ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઇ જ અશક્ય નથી - ભરૂચમાં વડાપ્રધાન મોદીનું સંબોધન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 13:41:43

વિધાનસભા ચૂંટણી નજીક આવતા પ્રચાર માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત તેઓ કરવાના છે. ઉપરાંત વિવિધ સ્થળો પર તેઓ જનસભા સંબોધી ભાજપના કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી ભરૂચ ખાતે પહોંચ્યા હતા ત્યાં જનસભાને સંબોધી હતી.

મુલાયમ સિંહને વડાપ્રધાન મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ 

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહને યાદ કર્યા હતા. ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં રહી મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુલાયમ સિંહને યાદ કરતા તેમણે કહ્યું કે, તેમના જવાથી દેશને મોટી ક્ષતિ પહોંચી છે. મુલાયમ સિંહ સાથેનો તેમનો નાતો વિશેષ પ્રકારનો રહ્યો છે. તેમણે કહ્યું કે તેમના આશીર્વાદ સદા હમેશાં મારી સાથે રહેશે.

Image

અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવીશું - પીએમ

પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે એક જમાનો હતો, આપણું ભરૂચ ખારી સીંગના કારણે ઓળખાતું હતું. અત્યારે ભરૂચ ઉદ્યોગસહિત ગુજરાત-ભારતમાં મહત્વનો ફાળો આપે છે. વધુમાં તેમણે કહ્યું કે અંકલેશ્વરમાં આપણે એરપોર્ટ બનાવીશું. ડબલ એન્જિનની સરકાર વિશે તેમણે કહ્યું કે નરેન્દ્ર -ભુપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર હોય ત્યાં કંઈ જ અશક્ય નથી. ગુજરાત વિકાસની ઉંચી ટોચ પર થનગની રહ્યું છે. 


દહેજ વિકાસનું મોડલ બન્યું છે - પીએમ મોદી 

પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે રોરો ફેરી સર્વિસ દહેજની નવા ઓળખ બની છે. હજારો કરોડોના ઉદ્યોગ ભરૂચ-દહેજમાં થયા જેને કારણે દહેજ વિકાસનું મોડલ બની ગયું છે. ભરૂચ જિલ્લો વાયબ્રન્ટ બની ગયો છે. વધુમાં તેમણે કહ્યું કે બંગાળમાં નકસલવાદ શરૂ થયો છે. આદિવાસીઓની જીંદગી ખરાબ કરી નાખી. એ વખતે મારી સામે પ્રશ્ન હતો કે મારે ગુજરાતમાં નકસલવાદ ઘૂસવા નથી દેવો. 


ભારતની અર્થવ્યવસ્થામાં થયો સુધારો - પીએમ

પોતાના સંબોધનમાં તેમણે ઉમેર્યું કે આજે આદિવાસી માટે નવો વિશ્વાસ ઉભો કર્યો છે. આદિવાસી સમુદાયના જીવનમાં બદલાવ આવ્યો છે. ઉપરાંત તેમણે કહ્યું કે હું તો કાયમ કહું છું દેશને આગળ લઈ જવો હોય તો દરેક નાગરિક લઈ જઈ શકે છે, તમે લોકલ ફોર વોકલનો મતલબ સમજી લો. તેમણે કહ્યું કે 2014માં હું દિલ્હી ગયો ત્યારે ભારત અર્થવ્યવસ્થામાં દુનિયામાં 10મા નંબરે હતું જ્યારે આજે ભારત 5માં નંબરે આવી ગયું છે.  આપણે એક જેમના ગુલામ હતા તેમને પણ આપણે પાછળ છોડી દીધા છે. 


કોરોના વેક્સિન અંગે તેમણે કહ્યું કે કોરોનાએ આખી દુનિયાને ઝપેટમાં લઈ લીધું, ત્યારે આપણને દવા ઉદ્યોગની ખબર પડી અને ગુજરાતમાં બનેલી વેક્સિને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. દેશમાં ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો હિસ્સો 25 ટકા જેટલો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .