'મફતમાં કંઈ ન આપવું જોઈએ', નારાયણ મૂર્તિએ 'ચૂંટણીમાં 'રેવડી કલ્ચર' પર કર્યું આ સૂચન


  • Published By :
  • Published Date : 2023-11-30 21:39:33

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા વિવિધ ફ્રી બીઝ (મફતમાં સુવિધાઓ)ના વચનો આપવામાં આવે છે. આ મુદ્દે સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લેતા લોકોએ સમાજની ભલાઈ માટે યોગદાન આપવું જોઈએ. સોફ્ટવેર દિગ્ગજ મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ઉદાર મૂડીવાદ જ એકમાત્ર ઉપાય છે.


બેંગ્લોર ટેક સમિટમાં કર્યુ સંબોધન


બેંગ્લોર ટેક સમિટ 2023ની 26મી સમિટમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ લોકોને સંબોધ્યા હતા. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો તમે કહો છો કે "હું તમને મફત વીજળી આપીશ, તો તે સરકાર માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એમ પણ કહેવું જોઈએ કે જો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 20 ટકા સુધી પહોંચી જશે, ત્યારે જ અમે તમને આ સુવિધાઓ આપીશું."  


ભાવિ પેઢીના કલ્યાણ માટે યોગદાન આપો


આઈટી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ કહ્યું કે, "હું ફ્રી સેવાઓ આપવાના વિરુદ્ધમાં નથી. હું આ સારી રીતે સમજું છું કારણ કે હું પણ એક ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો છું. પરંતુ મને લાગે છે કે મફત સુવિધાઓનો લાભ લેતા લોકોએ પોતાની ભાવિ પેઢીના કલ્યાણ માટે બદલામાં કંઈક યોગદાન આપવું જોઈએ."



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.