'મફતમાં કંઈ ન આપવું જોઈએ', નારાયણ મૂર્તિએ 'ચૂંટણીમાં 'રેવડી કલ્ચર' પર કર્યું આ સૂચન


  • Published By :
  • Published Date : 2023-11-30 21:39:33

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા વિવિધ ફ્રી બીઝ (મફતમાં સુવિધાઓ)ના વચનો આપવામાં આવે છે. આ મુદ્દે સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લેતા લોકોએ સમાજની ભલાઈ માટે યોગદાન આપવું જોઈએ. સોફ્ટવેર દિગ્ગજ મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ઉદાર મૂડીવાદ જ એકમાત્ર ઉપાય છે.


બેંગ્લોર ટેક સમિટમાં કર્યુ સંબોધન


બેંગ્લોર ટેક સમિટ 2023ની 26મી સમિટમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ લોકોને સંબોધ્યા હતા. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો તમે કહો છો કે "હું તમને મફત વીજળી આપીશ, તો તે સરકાર માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એમ પણ કહેવું જોઈએ કે જો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 20 ટકા સુધી પહોંચી જશે, ત્યારે જ અમે તમને આ સુવિધાઓ આપીશું."  


ભાવિ પેઢીના કલ્યાણ માટે યોગદાન આપો


આઈટી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ કહ્યું કે, "હું ફ્રી સેવાઓ આપવાના વિરુદ્ધમાં નથી. હું આ સારી રીતે સમજું છું કારણ કે હું પણ એક ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો છું. પરંતુ મને લાગે છે કે મફત સુવિધાઓનો લાભ લેતા લોકોએ પોતાની ભાવિ પેઢીના કલ્યાણ માટે બદલામાં કંઈક યોગદાન આપવું જોઈએ."



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.