'મફતમાં કંઈ ન આપવું જોઈએ', નારાયણ મૂર્તિએ 'ચૂંટણીમાં 'રેવડી કલ્ચર' પર કર્યું આ સૂચન


  • Published By :
  • Published Date : 2023-11-30 21:39:33

આપણા દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા વિવિધ ફ્રી બીઝ (મફતમાં સુવિધાઓ)ના વચનો આપવામાં આવે છે. આ મુદ્દે સોફ્ટવેર કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિએ કહ્યું છે કે કંઈપણ મફતમાં ન આપવું જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સબસિડીનો લાભ લેતા લોકોએ સમાજની ભલાઈ માટે યોગદાન આપવું જોઈએ. સોફ્ટવેર દિગ્ગજ મૂર્તિએ એમ પણ કહ્યું હતું કે ભારત જેવા ગરીબ દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે ઉદાર મૂડીવાદ જ એકમાત્ર ઉપાય છે.


બેંગ્લોર ટેક સમિટમાં કર્યુ સંબોધન


બેંગ્લોર ટેક સમિટ 2023ની 26મી સમિટમાં ઉપસ્થિત રહેલા નારાયણ મૂર્તિએ લોકોને સંબોધ્યા હતા. તેમણે ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો તમે કહો છો કે "હું તમને મફત વીજળી આપીશ, તો તે સરકાર માટે ખૂબ જ સારી વાત છે. પરંતુ તમારે એમ પણ કહેવું જોઈએ કે જો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 20 ટકા સુધી પહોંચી જશે, ત્યારે જ અમે તમને આ સુવિધાઓ આપીશું."  


ભાવિ પેઢીના કલ્યાણ માટે યોગદાન આપો


આઈટી ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ નારાયણ મૂર્તિએ કહ્યું કે, "હું ફ્રી સેવાઓ આપવાના વિરુદ્ધમાં નથી. હું આ સારી રીતે સમજું છું કારણ કે હું પણ એક ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવ્યો છું. પરંતુ મને લાગે છે કે મફત સુવિધાઓનો લાભ લેતા લોકોએ પોતાની ભાવિ પેઢીના કલ્યાણ માટે બદલામાં કંઈક યોગદાન આપવું જોઈએ."



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે