ભાજપના દંડકે AMC કોર્પોરેટરોને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો માગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:16:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ભાજપ તમામ 182 બેઠકો જીતવા માટે કૃતસંકલ્પ છે. લોકોના દિલ જીતવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં  વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર ન રહેતા આ બાબતની નોંધ લઈ ગેરહાજર રહેનાર કોર્પોરેટરને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો આપવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય ખુલાસો નહીં આપનાર કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તેમને આગામી દિવસોમાં કાર્યક્રમમાં હાજર રહેવા તાકીદ કરાઈ છે. 


AMCના ભાજપના દંડકે ફટકારી નોટિસ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. નોટીસમાં જણાવ્યું છે કે, AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાનના હસ્તે કરવામાં આવેલ અટલ બ્રિજના ઉદ્ધાટનના કાર્યક્રમમાં બધા કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જે ખૂબ જ ગંભીર બાબત છે અને પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટરો ગેરહાજર હતા તો કયા કારણથી તેનો ખુલાસો ત્રણ દિવસની અંદર દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે.

 

કોર્પોરેટરોએ કર્યો બચાવ


કેટલાક કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, પોતે તે કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર નહોતા પ્રવેશી શક્યા. કેટલાકે કહ્યું કે પોતે ત્યાં હાજર રહ્યા હતા પરંતુ હાજરી રહી ગઈ હતી. આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનો પણ ખ્યાલ ન હતો તેવું સામે આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ખાદીના કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો પહોંચી ગયા હતા.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .