ભાજપના દંડકે AMC કોર્પોરેટરોને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો માગ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:16:00

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ભાજપ તમામ 182 બેઠકો જીતવા માટે કૃતસંકલ્પ છે. લોકોના દિલ જીતવા માટે સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસના કામો ઝડપથી થાય તેના માટેના આયોજનો કરીને ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં  વડાપ્રધાન મોદીના હસ્તે સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મોટાભાગના કોર્પોરેટરો હાજર ન રહેતા આ બાબતની નોંધ લઈ ગેરહાજર રહેનાર કોર્પોરેટરને નોટિસ આપી 3 દિવસમાં ખુલાસો આપવાની માંગ કરવામાં આવી છે. યોગ્ય ખુલાસો નહીં આપનાર કોર્પોરેટરો સામે કાર્યવાહી કરવામાં આવશે. તે ઉપરાંત તેમને આગામી દિવસોમાં કાર્યક્રમમાં હાજર રહેવા તાકીદ કરાઈ છે. 


AMCના ભાજપના દંડકે ફટકારી નોટિસ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના દંડક અરુણસિંહ રાજપુતે તમામ કોર્પોરેટરોને નોટિસ ફટકારી છે. નોટીસમાં જણાવ્યું છે કે, AMCમાં ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છો. સાબરમતી રિવરફ્રન્ટ પર વડાપ્રધાનના હસ્તે કરવામાં આવેલ અટલ બ્રિજના ઉદ્ધાટનના કાર્યક્રમમાં બધા કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં કોર્પોરેટરો આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જે ખૂબ જ ગંભીર બાબત છે અને પાર્ટીના ઉચ્ચ પદ અધિકારીઓએ તેની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં કોર્પોરેટરો ગેરહાજર હતા તો કયા કારણથી તેનો ખુલાસો ત્રણ દિવસની અંદર દંડક અરુણસિંહ રાજપૂતને આપવા જાણ કરવામાં આવી છે.

 

કોર્પોરેટરોએ કર્યો બચાવ


કેટલાક કોર્પોરેટરોએ પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, પોતે તે કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ સિક્યુરિટીના કારણે અંદર નહોતા પ્રવેશી શક્યા. કેટલાકે કહ્યું કે પોતે ત્યાં હાજર રહ્યા હતા પરંતુ હાજરી રહી ગઈ હતી. આ કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરોને પોતાને ક્યાં જવાનું હતું તેનો પણ ખ્યાલ ન હતો તેવું સામે આવ્યું હતું. રિવરફ્રન્ટ પર ખાદીના કાર્યક્રમમાં કેટલાક કોર્પોરેટરો પહોંચી ગયા હતા.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.