હવે તો આ બ્રિજ પર જતા પણ ડર લાગે છે,અમદાવાદના આ બ્રિજ જોવા જેવા છે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:09:14

વિકસિત શહેર અમદાવાદમાં મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું  અમદાવાદનું તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના બ્રિજ પણ જર્જરિત 


અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે.આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે ? કારણ કે જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ગાબડાં સાથે જૂનો સબંધ

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા સો કરોડ કરતા પણ વધુ રકમનો બનાવવામાં આવેલ ઓવર બ્રિજ વારંવાર તૂટી જાય છે.અત્યારે છેલ્લા બે મહિનાથી આ બ્રિજ શહેરીજનો માટે બંધ છે આ બ્રિજ બન્યો ત્યારથી ગાબડાં પડી જતા અનેક વાર બંધ કરવામાં આવ્યો છે. નાગરિકોની આવકનો બેરોકટોક ધુમાડો કરવામાં આવે છે પણ ક્યારેય ઓવર બ્રિજ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક દુર્ઘટના પછી આપણે જાગી જઈએ,આ તૂટેલો ખખડધજ બ્રિજ યાદ આવે પછી એકાદ મહિનામાં ભુલાઈ જાય પણ યાદ છે ત્યાં સુધીમાં કંઇક સુધરી જાય તો સારું આશા છે કે તમે હવે તમારી કુંભકરણની નિંદ્રા સાઈડમાં મૂકી જાગી જશો 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .