હવે તો આ બ્રિજ પર જતા પણ ડર લાગે છે,અમદાવાદના આ બ્રિજ જોવા જેવા છે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:09:14

વિકસિત શહેર અમદાવાદમાં મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું  અમદાવાદનું તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના બ્રિજ પણ જર્જરિત 


અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે.આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે ? કારણ કે જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ગાબડાં સાથે જૂનો સબંધ

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા સો કરોડ કરતા પણ વધુ રકમનો બનાવવામાં આવેલ ઓવર બ્રિજ વારંવાર તૂટી જાય છે.અત્યારે છેલ્લા બે મહિનાથી આ બ્રિજ શહેરીજનો માટે બંધ છે આ બ્રિજ બન્યો ત્યારથી ગાબડાં પડી જતા અનેક વાર બંધ કરવામાં આવ્યો છે. નાગરિકોની આવકનો બેરોકટોક ધુમાડો કરવામાં આવે છે પણ ક્યારેય ઓવર બ્રિજ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક દુર્ઘટના પછી આપણે જાગી જઈએ,આ તૂટેલો ખખડધજ બ્રિજ યાદ આવે પછી એકાદ મહિનામાં ભુલાઈ જાય પણ યાદ છે ત્યાં સુધીમાં કંઇક સુધરી જાય તો સારું આશા છે કે તમે હવે તમારી કુંભકરણની નિંદ્રા સાઈડમાં મૂકી જાગી જશો 



સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...