હવે તો આ બ્રિજ પર જતા પણ ડર લાગે છે,અમદાવાદના આ બ્રિજ જોવા જેવા છે


  • Published By :
  • Published Date : 2022-11-02 16:09:14

વિકસિત શહેર અમદાવાદમાં મોરબી જેવી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું  અમદાવાદનું તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે અમદાવાદમાં પણ મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના બ્રિજ પણ જર્જરિત 


અમદાવાદના સરખેજ જુહાપુરથી નારોલને જોડતો બ્રિજ છે જે શાસ્ત્રી બ્રિજના નામથી ઓળખાય છે.આ બ્રિજની હાલત એટલી ખરાબ છે ગમે ત્યારે પડી શકે છે. બ્રિજની પાડી અને દીવાલો તૂટેલી હાલતમાં છે મોટી તિરાડો પડી ગઈ છે. સાથે જ આ બ્રિજમાં કરવામાં આવેલા સાંધા પણ ખુલ્લી ગયા છે સાથે જ કોઈ પણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો એક ધ્રુજારી અનુભવાય છે. શાસ્ત્રી બ્રિજ પર લોકોની અવર જવર વધારે છે કેમ કે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડે છે દરરોજ અહીંથી હજારો વાહનો પસાર થતા હોય છે હવે જોવાનું એ રહેશે કે તંત્રની આંખ ક્યારે ઉઘડે છે ? કારણ કે જો તંત્રની આંખ નહિ ઉગડે અને શાસ્ત્રી બ્રિજનું સમારકામ ઝડપથી નહિ કરવામાં આવે તો મોરબી જેવી હોનારત થઈ શકે છે.


અમદાવાદના હાટકેશ્વર બ્રિજને ગાબડાં સાથે જૂનો સબંધ

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પાંચ વર્ષ પહેલા સો કરોડ કરતા પણ વધુ રકમનો બનાવવામાં આવેલ ઓવર બ્રિજ વારંવાર તૂટી જાય છે.અત્યારે છેલ્લા બે મહિનાથી આ બ્રિજ શહેરીજનો માટે બંધ છે આ બ્રિજ બન્યો ત્યારથી ગાબડાં પડી જતા અનેક વાર બંધ કરવામાં આવ્યો છે. નાગરિકોની આવકનો બેરોકટોક ધુમાડો કરવામાં આવે છે પણ ક્યારેય ઓવર બ્રિજ બનાવનાર સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

એક દુર્ઘટના પછી આપણે જાગી જઈએ,આ તૂટેલો ખખડધજ બ્રિજ યાદ આવે પછી એકાદ મહિનામાં ભુલાઈ જાય પણ યાદ છે ત્યાં સુધીમાં કંઇક સુધરી જાય તો સારું આશા છે કે તમે હવે તમારી કુંભકરણની નિંદ્રા સાઈડમાં મૂકી જાગી જશો 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.