લ્યો બોલો! હવે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું, ગુજરાત ATSએ બાતમીના આધારે રેડ પાડી


  • Published By :
  • Published Date : 2023-12-25 22:16:32

રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો છે, હવે સુરતમાંથી નકલી  ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું છે. ગુજરાત ATSએ બાતમીના આધારે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી ગેરકાયદે ચાલતું ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. આ ટેલિફોન એક્સચેન્જ DoT (Department of Telecommunications)ની ગાઇડલાઇનનો ભંગ કરીને ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલવામાં આવતું હતું. આ રીતે કોલરની ઓળખ છુપાવીને દેશની સલામતી જોખમમાં મુકવાની કામગીરી કરવામાં આવતી હતી. બાતમીના આધારે ગુજરાત ATSની એક ટીમ સુરત મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદથી રેડ પાડવામાં આવી હતી.


આ શખ્સોની ધરપકડ 

 

ગુજરાત ATSની એક ટીમે રેડ દરમિયાન સુરતના મહિધરપુરા વિસ્તારમાં ભવાની વાડ પાસે કળજુગ મહોલ્લોમાં ભવાની વિલાના ત્રીજા માળે આરોપી સૌરભ ચિન્મય સરકાર તથા પ્રેમ ઉર્ફે બોની બિનીનચંદ્ર ટોપીવાલા અલગ-અલગ સીમ કાર્ડ લગાવેલું ચાલુ હાલતમાં સીમ બોક્સ તેમજ ફાયર વોલ તથા અન્ય સામગ્રી મળી કુલ 2.48 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી જીગર દિપક ટોપીવાલા દુબઇ રહે છે અને ત્યાંથી પકડાયેલા આરોપીઓનો સંપર્ક કરી આરોપીઓને ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલા ત્રીજા માળે દુબઇની અલગ-અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદે રીતે ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સીમબોક્સ પાર્સલમાં મોકલી આપતો હતો. સીમબોક્સ એક્ટિવ કરવા વાઇટેક કંપનીના ટેક્નિશિયનને મોકલી અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ સીમકાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સીસ્ટમ ચાલુ કરતા હતા. દુબઇથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલી કોલરની ઓળખ છૂપાવતા હતા.


કઈ રીતે ચાલતું હતું ટેલિફોન એક્સચેન્જ?


ઉલ્લેખનિય છે કે, ગેરકાયદેસર SIM BOX ના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા VoIP કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને GSM સાદા કોલમાં પરિવર્તીત કરવામાં આવે છે અને સીમ બોક્સમાં લગાવેલ નંબર કોલ કરનારને ડીસ્પ્લે થતો હોવાથી કોલ રીસીવ કરનાને તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશલ કોલ (ISD) છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી ન હોવાથી તેઓને આર્થિક રીતે નુકશાન થાય છે.આ રીતે ટેલિફોન- એક્સચેન્જ ચલાવવું ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને નુકશાન ખૂબ જ મોટું નુકસાન થાય છે અને સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે. આ બાબતને ગંભીરતા લઇને ગુજરાત રાજ્ય ATS તથા સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા બે આરોપીને પકડી પાડી સીમ બોક્ષ, અલગ-અલગ કૂલ-31 સીમ કાર્ડ, ફાયરવોલ, CPU, ડેસ્કટોપ સ્વિચ, લેપ ટોપ નંગ-2 તેમજ LAN કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગુનાનાં મુળ સુધી પહોંચવા વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં એક પછી એક નકલી ચીજોનો પર્દાફાસ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાંથી હજું કેટલું નકલું નકલી બહાર આવશે?



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.