લ્યો બોલો! હવે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું, ગુજરાત ATSએ બાતમીના આધારે રેડ પાડી


  • Published By :
  • Published Date : 2023-12-25 22:16:32

રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો છે, હવે સુરતમાંથી નકલી  ટેલિફોન એક્સચેન્જ ઝડપાયું છે. ગુજરાત ATSએ બાતમીના આધારે સુરતના મહિધરપુરા વિસ્તારમાંથી ગેરકાયદે ચાલતું ટેલિફોન એક્સચેન્જ ઝડપી પાડ્યું છે. આ ટેલિફોન એક્સચેન્જ DoT (Department of Telecommunications)ની ગાઇડલાઇનનો ભંગ કરીને ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલવામાં આવતું હતું. આ રીતે કોલરની ઓળખ છુપાવીને દેશની સલામતી જોખમમાં મુકવાની કામગીરી કરવામાં આવતી હતી. બાતમીના આધારે ગુજરાત ATSની એક ટીમ સુરત મોકલવામાં આવી હતી. સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મદદથી રેડ પાડવામાં આવી હતી.


આ શખ્સોની ધરપકડ 

 

ગુજરાત ATSની એક ટીમે રેડ દરમિયાન સુરતના મહિધરપુરા વિસ્તારમાં ભવાની વાડ પાસે કળજુગ મહોલ્લોમાં ભવાની વિલાના ત્રીજા માળે આરોપી સૌરભ ચિન્મય સરકાર તથા પ્રેમ ઉર્ફે બોની બિનીનચંદ્ર ટોપીવાલા અલગ-અલગ સીમ કાર્ડ લગાવેલું ચાલુ હાલતમાં સીમ બોક્સ તેમજ ફાયર વોલ તથા અન્ય સામગ્રી મળી કુલ 2.48 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ચલાવતા મળી આવતા તેમની અટકાયત કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, મુખ્ય આરોપી જીગર દિપક ટોપીવાલા દુબઇ રહે છે અને ત્યાંથી પકડાયેલા આરોપીઓનો સંપર્ક કરી આરોપીઓને ફેક્શન બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કંપનીના નીચે આવેલા ત્રીજા માળે દુબઇની અલગ-અલગ કંપનીઓ તથા ગેમિંગ માટે ગેરકાયદે રીતે ઇન્ટરનેશનલ કોલ કરવા કોલિંગ સોફ્ટવેર ડેવલપ કરી સીપીયુ તથા સીમબોક્સ પાર્સલમાં મોકલી આપતો હતો. સીમબોક્સ એક્ટિવ કરવા વાઇટેક કંપનીના ટેક્નિશિયનને મોકલી અન્ય પાર્ટીઓના નામના મોબાઈલ સીમકાર્ડ એક્ટિવ કરી ઇન્ટરનેટ કનેક્શન આપી સીસ્ટમ ચાલુ કરતા હતા. દુબઇથી આવતા ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં બદલી કોલરની ઓળખ છૂપાવતા હતા.


કઈ રીતે ચાલતું હતું ટેલિફોન એક્સચેન્જ?


ઉલ્લેખનિય છે કે, ગેરકાયદેસર SIM BOX ના ઉપયોગથી ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા VoIP કોલને ગેરકાયદેસર રીતે બાયપાસ કરીને GSM સાદા કોલમાં પરિવર્તીત કરવામાં આવે છે અને સીમ બોક્સમાં લગાવેલ નંબર કોલ કરનારને ડીસ્પ્લે થતો હોવાથી કોલ રીસીવ કરનાને તથા ટેલિકોમ કંપનીઓને ખ્યાલ આવતો નથી કે ખરેખર આ ઇન્ટરનેશલ કોલ (ISD) છે. જેના કારણે ટેલિકોમ કંપનીઓ તેનો ચાર્જ વસૂલ કરી શકતી ન હોવાથી તેઓને આર્થિક રીતે નુકશાન થાય છે.આ રીતે ટેલિફોન- એક્સચેન્જ ચલાવવું ધ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ ગેરકાયદેસર છે. આવા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ ચલાવવાથી દેશના અર્થતંત્રને નુકશાન ખૂબ જ મોટું નુકસાન થાય છે અને સાથોસાથ રાષ્ટ્રની સુરક્ષા સામે પણ ખતરો ઊભો થાય છે. આ બાબતને ગંભીરતા લઇને ગુજરાત રાજ્ય ATS તથા સુરત શહેર ક્રાઇમ બ્રાંચની ટીમો દ્વારા બે આરોપીને પકડી પાડી સીમ બોક્ષ, અલગ-અલગ કૂલ-31 સીમ કાર્ડ, ફાયરવોલ, CPU, ડેસ્કટોપ સ્વિચ, લેપ ટોપ નંગ-2 તેમજ LAN કેબલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ગુનાનાં મુળ સુધી પહોંચવા વધુ તપાસ સુરત શહેર ક્રાઇમ બ્રાંચ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં એક પછી એક નકલી ચીજોનો પર્દાફાસ થઈ રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે રાજ્યમાંથી હજું કેટલું નકલું નકલી બહાર આવશે?



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.